12 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : મહાકુંભમાં માઘી પૂનમનું મહાસ્નાન, આજે 2 કરોડ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી, હેલિકોપ્ટરમાંથી કરાઇ પુષ્પવર્ષા
આજે 12 ફેબુઆરી બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 12 ફેબુઆરી બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સરથાણાના મહિલા PSI ઉર્વિશા મેંદપરાએ એક કાર્યક્રમમાં આપેલા નિવેદનથી વિવાદ
સુરત સરથાણાના મહિલા PSI ઉર્વિશા મેંદપરાએ એક કાર્યક્રમમાં આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે. મહિલા PSIએ પાટીદાર યુવાનોમાં વધતા વ્યસન અને ગુનાખોરી મુદ્દે વ્યથા વ્યક્ત કરી હતી. મહિલા PSIએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું કે, સુરતમાં પાટીદાર સમાજનાં યુવકોમાં દારૂનું વ્યસન વ્યાપી રહ્યું છે. દારૂના વ્યસનની સાથે સાથે સાયબર ફ્રોડનાં ગુનામાં પણ 50ટકા કેસમાં પાટીદાર યુવાનો આરોપી હોય છે તેવું પણ મહિલા PSIએ જણાવ્યું હતું. જે પાટીદાર સમાજનાં યુવકોનાં આવા કૃત્ય સમાજ માટે નામોશી નોતરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાનાં ચકડોળે ચઢ્યો છે. કેટલાક લોકો મહિલા PSIની ટિપ્પણીને સુરતના અમુક વિસ્તાર પુરતી સિમિત ગણાવી રહ્યા છે તો કેટલાક સમાજ માટે ચેતવણીરૂપ ગણાવી રહ્યા છે.
-
PSI એ ઉર્વિશાએ સ્વીકાર્યુ કે દારૂબંધીનો કડક અમલ નથી
સુરતનાં સરથાણાનાં મહિલા PSI ઉર્વિશા મેંદપરાએ એક કાર્યક્રમમાં આપેલા નિવેદન સામે પાટીદાર સમાજના અગ્રણીઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પાટીદાર સમાજના યુવાનોમાં દારૂનાં વ્યસન અંગે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ કહ્યું કે, સમાજને આ બાબતે મંથન કરવુ જોઇએ. પરંતુ જો પોલીસ અધિકારી જ વાત સ્વીકારે છે તેનો અર્થ એ છે કે દારૂબંધીનો કડકાઇથી અમલ નથી થઇ રહ્યો.
-
-
સુરત: ઉત્રાણ વિસ્તારમાં બેંક કર્મચારીનો આપઘાતનો કેસ
- સુરત: ઉત્રાણ વિસ્તારમાં બેંક કર્મચારીનો આપઘાતનો કેસ
- આપઘાત કરનાર 30 વર્ષીય યુવકની સ્યુસાઇડ નોટ આવી સામે
- સ્યુસાઇડ નોટમાં દેવું થઇ ગયા હોવાનું આવ્યું સામે
- ઉઘરાણી કરનારાઓનાં ત્રાસથી અંતિમ પગલું ભર્યાની ઉલ્લેખ
- ત્રાસ આપનારાઓ સામે કાર્યવાહી કરવા સ્યુસાઇડ નોટમાં માંગ
- પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી વધુ કાર્યવાહી કરી શરૂ
-
કાગડાપીઠમાં લગ્ન પ્રસંગમાં ખેલાયો ખૂની ખેલ
અમદાવાદ શહેર કાગડાપીઠ વિસ્તારનાં મજુર ગામમાં ડુંગર મોતીની ચાલી સામે જાહેર રોડ ઉપર લગ્ન પ્રસંગ હતો. જેમાં મોડી રાત્રે ખુની ખેલ ખેલાયો. ઢોલ વગાડનાર યુવક મહેન્દ્ર ઉર્ફે કરણ સોલંકીનો હાથ નાચી રહેલા કેટલાક શખ્સને અડી જતા બબાલ થઇ. ભરત ઉર્ફે ભલી રાઠોડ, અમિત ઉર્ફે ખાધું સિંધવ, જયેશ ઉર્ફે જગો રાઠોડ અને જીગ્નેશ ઉર્ફે જીગો સિંધવ નામના શખ્સોએ છરીના ઘા મારી યુવકનું ઢીમ ઢાળી નાખ્યું…યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો પણ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. તમામ ચારેય આરોપી ફરાર થઇ ગયા પણ પોલીસે તેમને ઝડપી પાડ્યા. ઝડપાયેલા આરોપી અને મૃતકના નામે અગાઉ ગુના નોંધાયેલા છે..
-
રિલના ચક્કરમાં સ્ટંટ કરનારા યુવકને પોલીસે ભણાવ્યો પાઠ
સુરતમાં રિલના ચક્કરમાં જોખમી સ્ટંટ કરનાર યુવકને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે. ઓલપાડના કીમ ગામે ઓવરબ્રિજ પર છૂટ્ટા હાથે બાઇક ચલાવીને જોખમી સ્ટંટ કર્યો હતો. યુવકે છૂટા હાથે બાઇક ચલાવીને પોતાનો અને અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મુક્યો હતો. ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસે યુવક સામે કાર્યવાહી કરી. જોખમી સ્ટંટ કરનાર યુવક સામે કાયદાનો કોરડો વિંઝાતા યુવકે બે હાથ જોડીને માફી માગી હતી અને ભવિષ્યમાં આવા જોખમી સ્ટંટ ન કરવા ખાતરી આપી હતી.
-
-
અમદાવાદમાંથી ગેરકાયદે વસવાટ કરતા 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા
- રાજ્ય સરકાર દ્વારા 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટનો મામલો
- ગેરકાયદે વસવાટ કરતા 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા
- ક્રાઇમ બ્રાન્ચે દ્વારા ગેરકાયદે વસતા 50 બાંગ્લાદેશીઓની ધરપકડ
- આવનારા સમયમાં વધુ 35 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે
- બાંગ્લાદેશે પણ પોતાના નાગરિકો હોવાનું સ્વીકાર્યું
- ક્રાઇમ બ્રાન્ચે આપેલા આધારપુરાવા બાદ બાંગ્લાદેશે સ્વીકાર્યું
-
અમદાવાદ રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવા ઉઠી માગ
અમદાવાદ રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ એક્ટિવિટી પુનઃ શરૂ કરવા માગ ઊઠી છે. હરણી ઘટના બાદ બંધ કરાયેલી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવા કોન્ટ્રાક્ટરો માગણી કરી રહ્યા છે સ્પોર્ટ્સ એક્ટિવિટીના સંચાલકોનો દાવો છે કે સરકારની નવી ગાઇડલાઈન મુજબ તમામ તૈયારીઓ હોવા છતાં હજુ ફરીથી સ્પોર્ટ્સ એક્ટિવિટીને મંજૂરી નથી મળી. એક્ટિવિટી બંધ થતાં મોંઘી બોટ ધૂળ ખાઈ રહી હોવાનો સંચાલકોનો દાવો.
-
ઝુલાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રાથમિક શાળાનું લોકાર્પણ
મહેસાણાના ઝુલાસણમાં અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું. ભાજપના કાર્યકર્તાઓ અને ગામના લોકોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું..શાળાના લોકાર્પણ બાદ CM ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનોને સંબોધન પણ કર્યું હતું. જે દરમિયાન CMએ કહ્યું ઝુલાસણ ગામમાં 5 હજાર લોકોની વસ્તી છે. જેમાંથી 2 હજાર લોકો તો અમેરિકા રહે છે.. ગામમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તમામ મદદ આપવાની સરકારની તૈયારી છે.. સાથે જ ગામના વધુમાં વધુ બાળકો શાળામાં શિક્ષણ મેળવવા આવે તેવી મુખ્યપ્રધાને અપીલ કરતા કહ્યું. શાળામાં બાળકો આવશે તો શાળા બનાવીશું ને. વધુમાં તેઓએ કહ્યું કે ગામની દીકરીઓ અને બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે વિકાસના કામો કરવા સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહેશે.
-
ડાંગ: કુવામાં પડેલા દીપડાનું કરવામાં આવ્યું રેસ્ક્યૂ
- ડાંગ: કુવામાં પડેલા દીપડાનું કરવામાં આવ્યું રેસ્ક્યૂ
- આહવા પોલીસ લાઈનની પાછળ કુવામાં પડ્યો હતો દીપડો
- 21 કલાકની જહેમત બાદ દીપડાને સુરક્ષિત રીતે બહાર કઢાયો
- કૂવામા પાંજરું ગોઠવીને દીપડાનું રેસ્ક્યૂ કરાયું
-
અમરેલી: ખેડૂતો મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાનો CMને પત્ર
- અમરેલી: ખેડૂતો મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાનો CMને પત્ર
- ખેતર ફરતે તાર ફેન્સિંગની યોજનાના બજેટમાં વધારાની માગ
- જંગલી પશુ, રોઝના વધુ ત્રાસથી ખેડૂતોને નુકસાન: કસવાલા
- વધુમાં વધુ ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકે તે માટે રજૂઆત
- જંગલી પશુઓથી કૃષિપાકના રક્ષણ માટે છે તાર ફેન્સિંગની યોજના
-
જુનાગઢઃ ગીર જંગલનો અદભુત વીડિયો વાયરલ
- જુનાગઢઃ ગીર જંગલનો અદભુત વીડિયો વાયરલ
- હવામાં પક્ષીનો શિકાર કરતા સિંહનો વીડિયો
- હવામાં ઉડીને સિંહે પક્ષીનો કર્યો શિકાર
- અદભુત દ્રશ્યો સર્જાયા
- ભાગ્યે જ આવા સિંહના શિકારના દ્રશ્યો જોવા મળતા હોય છે
-
અમરેલી: શિક્ષક બન્યો હેવાન, વિદ્યાર્થી સાથે દુષ્કર્મ
- અમરેલી: શિક્ષક બન્યો હેવાન, વિદ્યાર્થી સાથે દુષ્કર્મ
- સાવરકુંડલાના વંડા વિસ્તારની ખાનગી શાળાનો બનાવ
- શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાઈ
- દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો
- ઘટનાની ગંભીરતા દાખવી ASP સહિત પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ
- શિક્ષકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ
-
ગાંધીનગર RTO નજીક કારમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો
ગાંધીનગર RTO નજીક કારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. SOGએ બાતમીના આધારે તપાસ કરતા કારમાંથી ગાંજો ઝડપાયો. ગાંજા, કાર સહિત કુલ 5 લાખ 13 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં વેચવાનો તે અંગે તપાસ હતો.
-
અમદાવાદઃ ગેરકાયદે વસવાટ કરતા 15 બાંગ્લાદેશીઓને ડિપાર્ટ કરાયા
અમદાવાદઃ ગેરકાયદે વસવાટ કરતા 15 બાંગ્લાદેશીઓને ડિપાર્ટ કરાયા છે. ત્યાર સુધીમાં ગેરકાયદેસર વસતા 50 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. વધુ 35 ને આવનારા સમયમાં ડિપોટ કરવામાં આવશે. બાંગ્લાદેશ દ્વારા પણ પોતાના નાગરિકો હોવાનું સ્વીકાર્યુ.
-
ઉત્તરપ્રદેશ: પ્રયાગરાજના મહાકુંભમાં આજે પાંચમું મહાસ્નાન
આજે માઘ માસની પૂર્ણિમાની તિથિ છે. અને સાથે જ મહાકુંભમાં મહાસ્નાનનો પાંચમો અવસર છે. ત્યારે આજે વહેલી સવારથી જ મહાકુંભમાં ભાવિક ભક્તોનો ધસારો જોવા મળ્યો. વહેલી સવારે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમે પહોંચ્યા હતા. અને તેમાં આસ્થાની ડૂબકી લગાવી. મા ગંગાની આરાધના કરી હતી.
-
વડાપ્રધાન મોદી આજે અમેરિકાની મુલાકાતે
વડાપ્રધાન મોદી આજે અમેરિકાની મુલાકાતે. ફ્રાન્સની મુલાકાત બાદ અમેરિકાની યાત્રા પર PM મોદી. ડોનાલ્ડ ટ્રમ્પના બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ મુલાકાત હશે. બન્ને દેશોના સંબંધો મજબૂત બનાવવા પ્રયાસ થશે. વેપાર ક્ષેત્ર, AI ટેક્નોલોજી, રક્ષા ક્ષેત્રમાં સહયોગ વધશે. ગેરકાયદે પ્રવાસીઓને પરત મોકલવા અંગે પણ ચર્ચા થઈ શકે.
-
મોરબીના આમરણ નજીક ખાનગી બસનો અક્સ્માત, 16 ઇજાગ્રસ્ત
મોરબીના આમરણ નજીક ખાનગી બસનો અક્સ્માત સર્જાયો છે. બસ પલટી મારી જતાં 16 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બસમાં 40થી વધુ લોકો મુસાફરો સવાર હતા.મહેસાણાથી દ્વારકા પૂનમ દર્શને જતા સમયે અક્સ્માત સર્જાયો. તમામ ઈજાગ્રસ્તોને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. અકસ્માત સર્જાયા બાદ બસનો ડ્રાઈવર નાસી છૂટ્યો. અન્ય મુસાફરોને બીજા વાહન મારફતે રવાના કરાયા.
-
ગાંધીનગરમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ
ગાંધીનગરમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયુ છે. દર્શ હોસ્ટેલના 20 જેટલા વિદ્યાર્થીઓેને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. બે દિવસ પહેલા ચાઇનીઝ ફૂડ ખાધા બાદ તબિયત બગડી હતી. પેટમાં દુખાવો થતાં વિદ્યાર્થીઓએ દવા લીધી હતી. દવા લીધા બાદ વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી શરૂ થયા હતા.આરોગ્ય વિભાગની બે ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
-
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદથી દિલ્લી જતી એર અકાસાની ફ્લાઇટ રદ થતા બબાલ થઇ. ઉડાન ભરવાની 5 મિનિટ પહેલા જ ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરો વિફર્યા. પરેશાન મુસાફરોએ ફ્લાઇટના કર્મચારીઓ પર રોષ ઠાલવ્યો.
Published On - Feb 12,2025 7:30 AM





