Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2025 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 23,385 કરોડ રુપિયાની જોગવાઈ

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2025 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 23,385 કરોડ રુપિયાની જોગવાઈ
Gujarat Budget 2025
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2025 | 3:08 PM

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગત વર્ષના 20100 કરોડના બજેટમાં 16.35 કરોડનો વધારો કરાયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 2 કરોડ 67 લાખ લોકોને કેસલેસ સારવાર માટે 3676 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

જીએમઇઆરએસ મેડીકલ હોસ્પીટલ માટે 1392 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીનચેપી રોગ અને અન્ય સમસ્યાઓના નિવારણ માટે 400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વડોદરા રાજકોટ સુરત ખાતે કાર્ડીઆક અને યુરોલોજી સેવા માટે 231 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2025
Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ

વલસાડ, હિંમતનગર, પોરબંદર, ગોધરા ખાતે કેન્સરની સારવાર શરૂ કરવા માટે 198 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ અમદાવાદ, વડોદરા, જામનગરમાં સરકારી મેડીકલ કોલેજના પીજી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવા 137 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન હોસ્પીટલ માં નવા. તબીબી સાધનો માટે 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ₹23,385 કરોડ ની ફાળવણી કરવામાં આવી છે. પાછલા બજેટ કરતા 16.35% નો વધારો કરાયો છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત – PMJAY)

  • 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો, ગરીબ અને મધ્યમ વર્ગ માટે ₹3676 કરોડની ફાળવણી કરવામાં આવ્યો છે.
  • આયુષ્માન ભારત યોજના હેઠળ ૨.૬૭ કરોડથી વધુ નાગરિકોને રોકડ રહિત સારવાર સુવિધા.
  • બીપીએલ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો
  • આ યોજના સાથે વધુ હોસ્પિટલોને જોડવાની યોજના

તબીબી માળખાગત સુવિધાઓ અને હોસ્પિટલોનો વિકાસ

  • GMERS સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે ₹1,392 કરોડની ફાળવણી.
  • વડોદરા ખાતે મલ્ટી-સ્પેશિયાલિટી અને કાર્ડિયાક સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે બજેટમાં જોગવાઈ.
  • ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સુવિધાઓનું વિસ્તરણ.
  • વડોદરા, સુરત, અમદાવાદ અને ભાવનગરમાં મેડિકલ સિટી (મેડીસિટી) બનાવવાની યોજના.
  • વડોદરા અને ગાંધીનગરમાં નવી 200 બેડની કેન્સર હોસ્પિટલો.
  • રાજ્યની જિલ્લા હોસ્પિટલોમાં ICU બેડ અને ઓક્સિજન પ્લાન્ટની સંખ્યા વધારવાનો લક્ષ્યાંક.

 કેન્સર અને ગંભીર રોગોની સારવાર

  • ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) અમદાવાદને અપગ્રેડ કરવા માટે ખાસ ભંડોળ.
  • વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદરમાં કેન્સર સારવાર કેન્દ્રો ખોલવા માટે ₹198 કરોડની ફાળવણી.
  • ગુજરાતમાં કેન્સર સંશોધન અને અદ્યતન સારવાર સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે નવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે.

ગ્રામીણ આરોગ્ય સુવિધાઓ

  • ગામડાઓમાં આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરવા માટે ₹500 કરોડની ફાળવણી.
  •  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC)નું આધુનિકીકરણ.
  • ઈ-હોસ્પિટલ સુવિધા અમલમાં મૂકવાની યોજના.
  • ગામડાઓમાં મોબાઇલ મેડિકલ યુનિટ અને ટેલિમેડિસિન સુવિધાઓને પ્રોત્સાહન આપવામાં આવશે.

આયુષ્માન ભારત આરોગ્ય માળખાગત મિશન (ABHIM)

  • રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ડિજિટલ હેલ્થ રેકોર્ડ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
  • ઈ-સંજીવની યોજના હેઠળ ટેલિમેડિસિન સેવાઓનો વિસ્તરણ.
  • બધા જિલ્લાઓમાં બહુ-વિશેષતા સરકારી હોસ્પિટલો બનાવવામાં આવશે.

માતા અને બાળકનું સ્વાસ્થ્ય

  • ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓ માટે ₹500 કરોડનું ખાસ પેકેજ.
  • તમામ સરકારી હોસ્પિટલોમાં મફત માતૃત્વ અને નવજાત શિશુ સંભાળ સેવાઓનો વિસ્તાર.
  • પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) હેઠળ ગર્ભવતી મહિલાઓ માટે ખાસ તપાસ કેમ્પ
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” હેઠળ માતાઓને પોષણ સહાય.
  • સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિ માટે ગર્ભવતી મહિલાઓને વધારાની નાણાકીય સહાય.

આરોગ્ય વીમો અને સામાજિક સુરક્ષા

  • જનતા જૂથ અકસ્માત વીમા યોજનાનો કવરેજ ₹2 લાખથી વધારીને ₹4 લાખ કરવામાં આવશે.
  • સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો માટે આરોગ્ય વીમામાં વધારો.
  • મજૂરો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નવી આરોગ્ય વીમા યોજનાઓ લાગુ કરવામાં આવશે.

( ઈનપુટ ક્રેડિટ – કિંજલ મિશ્રા, રોનક વર્મા, નરેન્દ્ર રાઠોડ )

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">