AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કેવી સુવિધા? ગુજરાતના 3 હાઇવે વેચી દેવામાં આવશે, હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી

ગુજરાતમાં 377 કિમીની કુલ લંબાઇ સાથેના ત્રણ પ્રોજેક્ટ્સ વડોદરા-ભરૂચ, ભરુચ-સુરત અને સુરત-દહિસરનું મુદ્રીકરણ કરીને રૂ. 18,000-20,000 કરોડ મેળવી શકાશે તેવી નેશનલ હાઈવે ઓથોરિટીને આશા છે

આ કેવી સુવિધા? ગુજરાતના 3 હાઇવે વેચી દેવામાં આવશે, હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 5:06 PM
Share

લોકોને ઝડપી વાહનવ્યવહારની સુવિધા મળી રહે તે માટે સરકાર હાઈવે બનાવે છે, પણ આવા હાઈવે વેચીને સરકારે હવે કમાણી કરવાની યોજના બનાવી છે. ગુજરાત (Gujarat) માં હાઇવે (highway) બનાવનાર કંપનીને આપવામાં આવેલા 15 વર્ષના કન્સેશન સમયગાળાના અંત પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આ હાઈવે પરત સોંપ્યા બાદ એસેટ મોનેટાઈઝેશન પાઈપલાઈનમાં ગુજરાતથી ત્રણ હાઈવે ફરીથી અન્ય કંપનીને વેચી દેવામાં આવશે.

હાઇવે પ્રોજેક્ટ્સના મુદ્રીકરણ (Monetisation) માંથી રૂ. 45,000 કરોડ એકત્ર કરવાના કેન્દ્રના લક્ષ્યને આગામી નાણાકીય વર્ષ દરમિયાન લાગુ કરવામાં આવે તેવી અપેક્ષા છે કારણ કે આ રસ્તાઓ વધુ ટોલ કમાનારા છે. તેમ સૂત્રોએ અંગ્રેજી અખબાર TOIને જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 377 કિમીની કુલ લંબાઇ સાથેના ત્રણ પ્રોજેક્ટ્સ વડોદરા-ભરૂચ, ભરુચ-સુરત અને સુરત-દહિસરનું મુદ્રીકરણ કરીને રૂ. 18,000-20,000 કરોડ મેળવી શકાશે તેવી આશા છે.

અહેવાલ પ્રમાણે વડોદરા-ભરૂચ, ભરુચ-સુરત અને સુરત-દહિસર, આ 3 સિક્સ લેન હાઇવે પ્રોજેક્ટ્સની વર્તમાન ટોલ આવક આશરે રૂ. 1,700 કરોડ છે. NHAI આ હાઈવે 20 વર્ષ માટે આપી દેવાની બિડર્સ મંગાવાઈ છે અને સૌથી વધુ બીડ કરનારને હાઈવે આપીને પૈસા કમાવા માટે પ્રોજેક્ટ્સનું મુદ્રીકરણ કરી રહ્યું છે.

પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ (PPP)ના બિલ્ડ, ઑપરેટ અને ટ્રાન્સફર (BOT-ટોલ) મૉડલ હેઠળ NHAI દ્વારા બિડ કરવામાં આવેલા પ્રથમ કેટલાક પ્રોજેક્ટ્સમાં આનો સમાવેશ થાય છે. આ મોડલ હેઠળ પ્રથમ હાઈવે પટ્ટી લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ને ગયો હતો અને તેણે લગભગ રૂ. 475 કરોડની એક વખતની ચૂકવણી કરી હતી અને અન્ય બે પ્રોજેક્ટ IRBએ મેળવ્યા હતા, જેમાં એક ચુકવણી સાથે અને બીજો આવક-વહેંચણી મોડલ પર મેળવ્યો હતો.

સુત્રોએ જણાવ્યું કે અમે કોઈ દાવા કે કાઉન્ટરક્લેઈમ વગર પ્રોજેક્ટ પાછા મેળવવાની પ્રક્રિયા સૌહાર્દપૂર્વક પૂર્ણ કરી છે. સરકારી એજન્સી અને ખાનગી કંપનીઓના હિતોનું રક્ષણ કરીને BOT-ટોલ પ્રોજેક્ટ્સનું કેવી રીતે સારી રીતે સંચાલન કરી શકાય છે તેનું પણ આ એક સફળ ઉદાહરણ છે. આ પૂર્ણ થયેલા ઓપરેશનલ પ્રોજેક્ટ્સ છે અને વર્ષોથી તેનું ટોલિંગ સ્થિર થયું છે.

તેમણે ઉમેર્યું હતું કે આ પહેલો કિસ્સો પણ છે કે જ્યાં તમામ મુદ્દાઓનું સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન કર્યા પછી નિર્ધારિત કન્સેશન (કોન્ટ્રાક્ટ) સમયગાળાના અંતે આખો કોરિડોર NHAIને પાછો આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad: આફ્રિકન યુવક-યુવતીના પેટમાંથી નીકળેલી કેપ્સ્યુલમાં મળ્યુ 1.8 કિલો હેરોઇન, જાણો કેવી રીતે આ ઓપરેશન પાર પડાયુ

આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાત હાઈકોર્ટમાં આજથી ઓફલાઇન સુનાવણી શરૂ, વકીલોમાં ખુશીની લાગણી

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">