Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના બોર્ડના પરીણામ અંગે અખીલેશની પોસ્ટ પર વિફર્યા શિક્ષણ રાજ્યમંત્રી, કહ્યુ હજુ પરિણામ જ જાહેર થવાનુ બાકી

ગુજરાત બોર્ડની પરિણામ અંગે અખીલેશ યાદવે પોસ્ટ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા તેમના પર વિફર્યા છે અને અખીલેશની પોસ્ટને તેમણે ભ્રામક ગણાવતા કહ્યુ કે ગુજરાતમાં હજુ બોર્ડનું પરિણામ જ જાહેર થવાનું બાકી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2025 | 8:09 PM

ગુજરાત બોર્ડના પરીણામ અંગે યુપીના પૂર્વ સીએમ અને સપા સુપ્રીમો અખીલેશ યાદવે એક સોશિયલ મીડિયો પોસ્ટ કરતા વિવાદનો મધપૂડો છેડાયો છે. તેમણે કોઈ મીડિયા સંસ્થાનનો હવાલો આપતા પોસ્ટ શેર કરી છે. જેમા ઉલ્લેખ કરાયો છે કે ગુજરાતની 157 સ્કૂલોમાં બોર્ડની પરીક્ષામાં એકપણ વિદ્યાર્થી પાસ થયો નથી. અખીલેશની આ પોસ્ટ બાદ ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા વિફર્યા છે અને તેમણે અખીલેશને આડે હાથે લીધા. તેમણે અખિલેશની પોસ્ટને નિષ્ફળ નેતાનો ભ્રામક માહિતી ફેલાવવાનો પ્રયાસ ગણાવી. પાનસેરિયાએ શિક્ષણને રાજકારણથી પર ગણાવતા અખીલેશને સલાહ આપી કે વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટા રાજકીય સ્ટંટ ન કરો. ગુજરાતમાં હજુ ધોરણ 10નું પરિણામ જ જાહેર થવાનુ બાકી છે. વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોને આવા ખોટી, ભ્રામક માહિતીથી સતર્ક રહેવા પણ પાનસેરિયાએ સૂચન કર્યુ છે. વધુમાં તેમણે એ પણ પ્રહાર કર્યો યુપી અને દેશની જાગૃત જનતાએ આવા નક્લી નેતાઓને જાકારો આપ્યો છે.

આ તરફ આ વિવાદમાં કોંગ્રેસે પણ ઝુકાવ્યુ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે ગુજરાતના શિક્ષણ અંગે થયેલા દાવાને સત્ય અને વાસ્તવિક ગણાવતા કહ્યુ ગુજરાતમાં સરકારી શિક્ષણની એક ઉત્તમ પરંપરા હતી. પરંતુ ભાજપની સરકારમાં એ પરંપરા તૂટી અને ખાનગીકરણને વેગ મળ્યો છે. ખાનગી શિક્ષણની પરંપરા શરૂ થઈ છે. વાલીઓ તેમના સંતાનોને ઉંચી ફી ભરીને ખાનગી શાળામાં ભણાવવા મજબૂર છે. રાજ્યમાં શાાઓ અને શિક્ષકોની સંખ્યા પણ ઘટી રહી છે. કચ્થ અને આદિવાસી વિસ્તારોમાં એક જ શિક્ષણવાળી અનેક શાળાઓ ગુજરાતમાં હોવાનું શક્તિસિંહે જણાવ્યુ.

Input Credit- Baldev Suthar, Narendra Rathod

Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા ​​જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?
Marriage Guide : લગ્ન માટે માની જશે સાસુ-સસરા, જમાઈ એ કરવા પડશે આ 5 કામ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
g clip-path="url(#clip0_868_265)">