પેટીએમ

પેટીએમ

Paytm એ ડિજિટલ પેમેન્ટ સર્વિસ છે, જેનો ઉપયોગ એપ અથવા વેબ દ્વારા કરી શકાય છે. પેટીએમ દ્વારા ભારતમાં વ્યવસાય અને વ્યક્તિગત યુઝર્સ માટે વિવિધ નાણાકીય વ્યવહારો કરી શકાય છે. આ ચુકવણી સેવાનો ઉપયોગ વ્યક્તિગત ચૂકવણી, દુકાનો પર ખરીદી, બિલ ચુકવણી, ટિકિટ બુકિંગ, રિચાર્જ અને વીમા વગેરે જેવી સર્વિસિસ માટે કરી શકાય છે.

પેટીએમનો ઉપયોગ વાણિજ્યિક બાબતોમાં પણ થઈ શકે છે, જ્યાં લોકો તેનો ઉપયોગ તેમના ગ્રાહકોને ચૂકવણી કરવા અને નાણાંની લેવડદેવડને સરળ બનાવવા માટે કરે છે. તેને ઓનલાઈન પેમેન્ટની સલામત અને સરળ પદ્ધતિ માનવામાં આવે છે.

તમે તમારું બેંક એકાઉન્ટ પેટીએમ સાથે લિંક કરી શકો છો અને તમારા મોબાઇલ નંબર દ્વારા ચુકવણી કરી શકો છો. આ ઉપરાંત Paytm પર ઉપલબ્ધ કેટલીક ઓફર્સ અને કૂપન કોડ ઓફર્સ વિશેની માહિતી પણ ઉપલબ્ધ હશે. જો તમે નવા Paytm યુઝર છો તો તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ પણ અહીં સમજાવવામાં આવશે.

Read More

Paytmમાં મોટા ફેરબદલ, મોટા પદ પરથી આ વ્યક્તિએ આપ્યું રાજીનામું, જાણો કારણ

Paytm માં મોટા ફેરફાર થયા છે. જેમાં કંપનીએ વરુણ શ્રીધરની નિમણૂક કરી છે, જેઓ અત્યાર સુધી પેટીએમ મનીનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેમને પેટીએમ CEO તરીકે નિયુક્ત કર્યા છે. Paytm સેવાઓ મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય સંપત્તિ વ્યવસ્થાપન ઉત્પાદનોના વિતરણ વ્યવસાય સાથે સંકળાયેલી છે.

Paytm Payments Bank માંથી CFO મુકુંદ બાર્સગડેએ રાજીનામું આપી આ કંપની કરી જોઇન

એક અનુભવી ફાઇનાન્સ પ્રોફેશનલ મુકુંદ બાર્સગડે સપ્ટેમ્બર 2022 માં નાણાકીય વ્યવસ્થાપનની દેખરેખ માટે Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડમાં જોડાયા હતા. 2014 માં સ્થપાયેલ, લેન્ડિંગકાર્ટ MSME ને કાર્યકારી મૂડી લોન પ્રદાન કરે છે. અગાઉ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સુરિન્દર ચાવલાએ 8 એપ્રિલે કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું.

PhonePe, Google Payથી કેમ નારાજ છે NPCI, નવી UPI એપ્સ શા માટે લોન્ચ કરવામાં આવી રહી છે?

UPI પેમેન્ટ હવે દરેકના જીવનનો એક ભાગ બની ગયું છે. આપણે બધા ગૂગલ પે, ફોન પે વિશે જાણીએ છીએ, પરંતુ તાજેતરમાં ઘણી નવી UPI એપ્સ માર્કેટમાં આવી છે. આખરે આની પાછળનું કારણ શું છે?

Paytm પેમેન્ટ્સ બેંકના CEO સુરિન્દર ચાવલાએ આપ્યું રાજીનામું, કારણ જાણશો તો ચોંકી જશો

મુશ્કેલીમાં મુકાયેલી પેમેન્ટ્સ કંપની Paytm પેમેન્ટ્સ બેંકના MD અને CEO સુરિન્દર ચાવલાએ રાજીનામું આપી દીધું છે. ચાવલાનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી કડક કાર્યવાહીનો સામનો કરી રહી છે

શું પેટીએમના શેરના અચ્છે દિન આવશે? વાંચો નિષ્ણાંતોનું અનુમાન

પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે આરબીઆઈની કાર્યવાહી પછી આ ફિનટેક પ્લેટફોર્મ સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સના શેર લાંબા સમયથી શેરબજારમાં ઉતાર-ચઢાવનો સામનો કરી રહ્યા છે.

Paytm સ્ટોકના શેરના ચાર્ટ પર બની તેજીની કેન્ડલ, એક અઠવાડિયામાં 21 ટકાનો થયો વધારો, જુઓ ફોટા

Paytm ના શેરની કિંમતમાં લાંબા સમય પછી વધારો જોવા મળ્યો છે. આજે Paytm ચાર્ટ પર સુપર ટ્રેન્ડ ઈન્ડકેટર અપસાઈડ જોવા મળી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં Paytm ના શેરની કિંમતમાં કેટલો વધારો થયો તે જાણો.

Paytm એપ પર આ બેંકનું ખાતુ લિંક કરેલું હશે તો તમારા રૂપિયા ફસાઈ જશે, જાણો હવે શું કરવું?

Paytm એ 'X' પર એક પોસ્ટ શેર કરી છે જેમાં યુઝર્સને કહેવામાં આવ્યું છે કે, UPI દ્વારા પેમેન્ટ મેળવવા માટે, તેઓએ તેમનું ડિફોલ્ટ બેંક એકાઉન્ટ બદલવું પડશે. જે યુઝર્સ આ બેંક એકાઉન્ટને તેમના ડિફોલ્ટ બેંક એકાઉન્ટ તરીકે રાખ્યું છે, તેને બદલવું જોઈએ અને બીજી કોઈ બેંકનું એકાઉન્ટ પસંદ કરવું જોઈએ.

Paytm FASTag બેલેન્સ રિફંડ મળશે ? જાણો સંપૂર્ણ વિગત

Paytm પેમેન્ટ્સ બેંક સેવાઓ પર આરબીઆઈનો પ્રતિબંધ 15 માર્ચ પછી લાગુ થવા જઈ રહ્યો છે. જો કે આ પ્રતિબંધ ફક્ત Paytm પેમેન્ટ્સ બેંક પર જ લાદવામાં આવ્યો છે, UPI પેમેન્ટ સેવા તમારી મૂળ Paytm એપ પર ચાલુ રહેશે. Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધને કારણે, તમે હવે તમારા Paytm ફાસ્ટેગમાં નવી રકમ ઉમેરી શકશો નહીં.

Paytm ના શેરમાં NPCI ની આ મંજૂરીએ પ્રાણ પૂર્યા, અપર સર્કિટ લાગી

NPCI તરફથી મંજૂરી મળ્યા બાદ, રોકાણકારોનો Paytm શેરમાં વિશ્વાસ પાછો ફર્યો છે. એક વર્ષમાં 998.30 થી ઘટીને 318.05 પર પહોંચ્યા બાદ આજે 370ની અપર સર્કિટે પહોંચ્યા બાદ આ અપડેટે સ્ટોકમાં નવો પ્રાણ પૂર્યો છે.

આજે રાતે 12 વાગ્યા પછી Paytmની સેવાઓ બંધ થશે, તમારા એકાઉન્ટ અને સ્ટોક પર શું અસરે પડશે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઈના નિર્દેશો મુજબ આજે 15 માર્ચ, 2024 પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક પર ઘણા પ્રકારના વ્યવહારો સંપૂર્ણપણે બંધ થઈ જશે. જો કે, કેટલીક સેવાઓ ચાલુ રહેશે. તેના ગ્રાહકોને પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં હાજર રકમ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની સલાહ આપવામાં આવી છે.

ખુશખબર: ચાલુ રહેશે તમારું Paytm, UPI પેમેન્ટમાં નહીં આવે કોઈ સમસ્યા, NPCI તરફથી મળી આ મોટી મંજૂરી

Paytmના કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર છે. Paytm ને હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી તૃતીય-પક્ષ એપ્લિકેશન પ્રદાતાનું લાઇસન્સ પ્રાપ્ત થયું છે. આ સિવાય 4 મોટી બેંકો સાથે પણ ટાઈ-અપ કરવામાં આવ્યું છે.

Layoff: Paytm પેમેન્ટ બેંકમાં છટણી, 20 ટકા કર્મચારીઓ નોકરી ગુમાવશે

Paytm પેમેન્ટ્સ બેંકે એક મોટી જાહેરાત કરી છે. Paytm પેમેન્ટ્સ બેંક તેના 20 ટકા કર્મચારીઓની છટણી કરશે. કંપનીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે RBI દ્વારા આપવામાં આવેલી છૂટછાટ મર્યાદા 15 માર્ચે સમાપ્ત થઈ રહી છે. જ્યારે Paytm પેમેન્ટ્સ બેંકે આ નિયમનકારી નિયમોનું યોગ્ય રીતે પાલન ન કર્યું હતું, ત્યારે તેને પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે.

15 માર્ચ પછી Paytm એપનું શું થશે? QR સેવા અને સાઉન્ડબોક્સ ચાલુ રહેશે ? જાણો A To Z તમામ પ્રશ્નનો જવાબ

ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂક્યો છે, જે 15 માર્ચથી અમલમાં આવશે. દરમિયાન, Paytm એપને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું તમે 15 માર્ચ પછી Paytmની એપનો ઉપયોગ કરી શકશો, તેની કઈ સેવાઓ કાર્યરત થશે તે વિશે વધુ જાણો.

કાલથી Paytm ફાસ્ટેગ કામ કરશે નહીં, જાણો તેને ડીએક્ટિવેટ કરવાનો સૌથી સરળ રસ્તો, એક્સ્ટ્રા ચાર્જથી બચવા કરો આ પ્રોસેસ

જો તમારું FASTag Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા બનાવવામાં આવ્યું છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ખરેખર, Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ ફાસ્ટેગ આવતીકાલ એટલે કે 15મી માર્ચ પછી કામ કરશે નહીં. જો તમે તેને નિષ્ક્રિય કરવા માંગો છો, તો અમે તમને તે કરવાની સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ.

Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો માટે કામના સમાચાર, આ બધી સર્વિસિસ આવતીકાલ 15 માર્ચથી બંધ થઈ જશે

Paytm પેમેન્ટ્સ બેંકમાં આવતીકાલથી એટલે કે 15 માર્ચથી ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન બંધ થઈ જશે. યુઝર્સ Paytm પેમેન્ટ્સ બેંકના ઈ-વોલેટને ટોપ અપ કરી શકશે નહીં. લોકો UPI અને IMPS દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી શકશે નહીં. આ ઉપરાંત કસ્ટમર ફાસ્ટેગને રિચાર્જ કરી શકશે નહીં.

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">