AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇરાન-ઇઝરાયલ તણાવની અસર ગુજરાત પર, અમદાવાદ એરપોર્ટ પર 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ, મુસાફરો અટવાયા

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગો પ્રભાવિત થયા છે. જેના પરિણામે ગુજરાતની વિમાની સેવાઓ, ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પરથી 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થઈ છે.

ઇરાન-ઇઝરાયલ તણાવની અસર ગુજરાત પર, અમદાવાદ એરપોર્ટ પર 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ, મુસાફરો અટવાયા
| Updated on: Feb 28, 2026 | 10:39 PM
Share

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવના પગલે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોમાં ભારે અવરજવર જોવા મળી રહી છે, જેના પ્રભાવથી ગુજરાતની વિમાની સેવાઓ પણ અસરગ્રસ્ત બની છે. ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સંચાલિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

માહિતી અનુસાર મિડલ ઈસ્ટ તરફ જતી અને ત્યાંથી આવતી અનેક ફ્લાઇટ્સ હાલ માટે સ્થગિત રાખવામાં આવી છે. કુલ 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ પર અનેક મુસાફરો ફ્લાઇટ અંગે અપડેટ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, જ્યારે કેટલીક એરલાઇન્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી રહી છે.

ખાસ કરીને Etihad Airways દ્વારા તેમના મુસાફરો માટે હેલ્પલાઇન નંબર 1800 123 3901 જાહેર કરવામાં આવ્યો છે, જેથી મુસાફરો ફ્લાઇટની તાજી સ્થિતિ અંગે માહિતી મેળવી શકે. અન્ય એરલાઇન્સે પણ પોતાના સત્તાવાર વેબસાઈટ અને કસ્ટમર કેર મારફતે અપડેટ મેળવવાની સલાહ આપી છે.

એરપોર્ટ સત્તાધિકારીઓએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા પોતાની સંબંધિત એરલાઇન્સ સાથે ફ્લાઇટની સ્થિતિ ચોક્કસ તપાસી લે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ કેટલીક ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.

Follow Us
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
g clip-path="url(#clip0_868_265)">