AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇરાન-ઇઝરાયલ તણાવની અસર ગુજરાત પર, અમદાવાદ એરપોર્ટ પર 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ, મુસાફરો અટવાયા

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગો પ્રભાવિત થયા છે. જેના પરિણામે ગુજરાતની વિમાની સેવાઓ, ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પરથી 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થઈ છે.

ઇરાન-ઇઝરાયલ તણાવની અસર ગુજરાત પર, અમદાવાદ એરપોર્ટ પર 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ, મુસાફરો અટવાયા
| Updated on: Feb 28, 2026 | 10:39 PM
Share

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવના પગલે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોમાં ભારે અવરજવર જોવા મળી રહી છે, જેના પ્રભાવથી ગુજરાતની વિમાની સેવાઓ પણ અસરગ્રસ્ત બની છે. ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સંચાલિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

માહિતી અનુસાર મિડલ ઈસ્ટ તરફ જતી અને ત્યાંથી આવતી અનેક ફ્લાઇટ્સ હાલ માટે સ્થગિત રાખવામાં આવી છે. કુલ 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ પર અનેક મુસાફરો ફ્લાઇટ અંગે અપડેટ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, જ્યારે કેટલીક એરલાઇન્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી રહી છે.

ખાસ કરીને Etihad Airways દ્વારા તેમના મુસાફરો માટે હેલ્પલાઇન નંબર 1800 123 3901 જાહેર કરવામાં આવ્યો છે, જેથી મુસાફરો ફ્લાઇટની તાજી સ્થિતિ અંગે માહિતી મેળવી શકે. અન્ય એરલાઇન્સે પણ પોતાના સત્તાવાર વેબસાઈટ અને કસ્ટમર કેર મારફતે અપડેટ મેળવવાની સલાહ આપી છે.

એરપોર્ટ સત્તાધિકારીઓએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા પોતાની સંબંધિત એરલાઇન્સ સાથે ફ્લાઇટની સ્થિતિ ચોક્કસ તપાસી લે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ કેટલીક ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.

પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ
નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ
વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ
વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ
કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ
કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ
ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ
ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ
નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર
નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર
હોળી માટે વતન જવાની હોડ! ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહાસાગર
હોળી માટે વતન જવાની હોડ! ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહાસાગર
કુદરતને નજીકથી માણવા માટે હમણાં જ પ્લાન કરો ટ્રિપ
કુદરતને નજીકથી માણવા માટે હમણાં જ પ્લાન કરો ટ્રિપ
g clip-path="url(#clip0_868_265)">