અજીત ડોભાલ
અજીત ડોભાલ ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) છે. તેમનો જન્મ 1945માં ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં થયો હતો. ડોભાલ કેરળ કેડરના 1968 બેચના આઈપીએસ અધિકારી છે. અગાઉ તેઓ ઈન્ટેલિજન્સ બ્યુરોના વડા અને ભારતીય પોલીસ સેવાના અધિકારી પણ હતા. 30 મે, 2014ના રોજ તેમની પ્રથમવાર NSAના પદ પર નિમણૂક કરવામાં આવી હતી, ત્યારથી ડોભાલનો આ ત્રીજો કાર્યકાળ છે. તે ભારતના સૌથી લાંબા સમય સુધી NSAમાં સેવા આપનાર પણ છે.
અજિત ડોભાલે તેમની મોટાભાગની કારકિર્દી IB એજન્ટ તરીકે વિતાવી છે. તેણે એક વર્ષ સુધી પાકિસ્તાનમાં આઈબીના ઈન્ટેલિજન્સ એજન્ટ તરીકે કામ કર્યું હતું અને ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં 6 વર્ષ સુધી ઓફિસર પણ હતા. એક એજન્ટ તરીકે તેણે ઘણા સફળ ઓપરેશન પણ કર્યા. ઓપરેશન બ્લેક થંડર 1988, મ્યાનમાર ઓપરેશન જેવા ઘણા સફળ ઓપરેશન તેમના નામ સાથે જોડાયેલા છે. તેમને કીર્તિ ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1999માં કંદહાર પ્લેન હાઇજેક બાદ થયેલા કરારમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 2016માં પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની બાલાકોટ સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
Breaking News : જીતશો તો ઇતિહાસ બનાવશો, હારશો તો ઇતિહાસ બની જશો : અજીત ડોભાલ
રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે અજીત ડોભાલને પીએચ.ડી.ની પદવી એનાયત કરાઈ. ડોભાલે રાષ્ટ્રીય સુરક્ષાને સમગ્ર દેશની સામૂહિક જવાબદારી ગણાવી. રાષ્ટ્રપતિએ સાયબર અપરાધો સામે લડવા સક્ષમ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતોની જરૂરિયાત પર ભાર મૂક્યો.
- Hasmukh Ramani
- Updated on: Apr 15, 2026
- 10:37 am
અજીત ડોભાલથી આજે પણ ડરે છે પાકિસ્તાન, ભારતના ‘જેમ્સ બોન્ડ’નો આવો છે પરિવાર
અજીત ડોભાલ પરિવાર વિશે જાણીએ.અજીત ડોભાલની પાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. તેઓ ઉર્દૂ ભાષામાં પણ સારી રીતે જાણે છે.અજીત ડોભાલ 2 બાળકોના પિતા છે.
- Nirupa Duva
- Updated on: Mar 4, 2026
- 7:08 am
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને ભારતની એક ઈંટ પણ ખેરવી હોય તો તેનો ફોટો બતાવો, વિદેશી મીડિયાને આડે હાથ લેતા ડોવાલ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે, આજે શુક્રવારે IIT મદ્રાસ ખાતે દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો. ઓપરેશનની સફળતા ગણાવતા અજિત ડોવલે કહ્યું કે, સમગ્ર ઓપરેશનને અટોપતા માત્ર 23 મિનિટ જ લાગી. અમે ફક્ત 9 લક્ષ્યો પર જ હુમલો કર્યો હતો. આ સિવાય, અમે બીજે ક્યાંય હુમલો કર્યો નહીં. તે એક ચોક્કસ હુમલો હતો.
- TV9 Gujarati
- Updated on: Jul 11, 2025
- 2:02 pm
Breaking News : NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે, ભારત માટે યુદ્ધ કોઈ વિકલ્પ નથી
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી જેમાં બંને પક્ષોએ પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ જાળવવામાં સહયોગની ભૂમિકા પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન, NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે, ' યુદ્ધ ભારતનો વિકલ્પ નથી અને તે કોઈપણ પક્ષના હિતમાં નથી.'
- Nirupa Duva
- Updated on: May 11, 2025
- 7:38 am