Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે સરકારનું હથિયાર બન્યું ASTR, લાખો સિમ કાર્ડ કર્યા નિષ્ક્રિય

એજન્સીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસ રેકગ્નિશન સક્ષમ ટેલિકોમ સિમ સબસ્ક્રાઈબર વેરિફિકેશન સિસ્ટમ (એએસટીઆર) વડે મોનિટરિંગ કરી રહી છે, જેથી સાયબર ગુનેગારો લોકોના બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ અથવા પેમેન્ટ વોલેટ લૂંટી ન શકે.

સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે સરકારનું હથિયાર બન્યું ASTR, લાખો સિમ કાર્ડ કર્યા નિષ્ક્રિય
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 7:48 PM

સાયબર ક્રાઈમની પ્રથમ કડી સિમ કાર્ડ હોય છે. નકલી સિમને રોકવા માટે કેન્દ્ર સરકારે આધુનિક ટેક્નોલોજીને હથિયાર બનાવ્યું છે. આઠ લાખથી વધુ નકલી સિમ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. એજન્સીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ફેસ રેકગ્નિશન સક્ષમ ટેલિકોમ સિમ સબસ્ક્રાઇબર વેરિફિકેશન સિસ્ટમ (એએસટીઆર) વડે મોનિટરિંગ કરી રહી છે, જેથી સાયબર ગુનેગારો લોકોના બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ અથવા પેમેન્ટ વોલેટ લૂંટી ન શકે.

આ પણ વાંચો: Viral Video: વિદ્યાર્થીએ હિન્દી ફિલ્મી ગીતોથી ઉત્તરવહી ભરી દીધી, પછી શિક્ષકે શું લખ્યું તે વાંચીને તમે વિચારમાં પડી જશો!

એજન્સીઓ એએસટીઆર સિસ્ટમ દ્વારા સાયબર ક્રાઈમના ગઢ ગણાતા જામતારા, મેવાત અને પુરુલિયામાંથી આવતા દરેક શંકાસ્પદ કોલ પર નજર રાખી રહી છે. આ સાયબર ક્રાઈમ સ્પોટના 8 લાખથી વધુ નકલી સિમ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે, કારણ કે લેટેસ્ટ સિસ્ટમ સાથે, એજન્સીઓને થોડી જ ક્ષણોમાં ખબર પડી જાય છે કે સિમ સ્વેપ છે કે નકલી.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

હરિયાણા, મેવાતમાં ASTR પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ તેને આખા દેશ માટે લાગુ કરવામાં આવ્યો છે. જ્યાં 16.70 લાખ સીમની વિગતો અને સરકારી ઓળખ કાર્ડની વિગતો મેચ થતી હતી. ત્યારે લગભગ 5 લાખ સિમ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.

ASTR કેવી રીતે કામ કરે છે?

TRAI અનુસાર, દેશમાં 114.36 કરોડ મોબાઈલ યુઝર્સ છે. એએસટીઆરમાં જ્યાંથી ફરિયાદો આવી છે ત્યાંના તમામ મોબાઈલ યુઝર્સના સિમ કાર્ડના ફોટા, ફોર્મ, દસ્તાવેજો ચહેરાની ઓળખ ટેકનોલોજીથી સ્કેન કરવામાં આવ્યા છે.

સ્કેનિંગ પછી, સિમની વિગતો અને સરકારી ઓળખ કાર્ડની વિગતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મેચ થાય છે. (આ સિવાય, જો સિમ લેવા માટે કોઈ દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો તે મેચ થાય છે)

મેળ ખાતા ફોટા, જન્મ તારીખ, પિતાનું નામ, સરનામું, સહીમાં જોવા મળતી વિસંગતતાના આધારે એજન્સીઓ આગળ વધે છે. સિમની અસલિયત ચકાસવા માટે વિગતો મેચિંગ પ્રક્રિયા માત્ર થોડી ક્ષણો લે છે.

જો કોઈપણ સિમમાંથી ગુનાહિત પ્રવૃત્તિ હોય, તો તમામ દસ્તાવેજોની ડિજિટલ વિગતો તાત્કાલિક મેચિંગ સાથે એજન્સીઓને મોકલવામાં આવે છે. એજન્સીઓ સંબંધિત રાજ્યોની પોલીસને સક્રિય કરે છે. જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી સિમ નિષ્ક્રિય કરવામાં આવે છે. આ સાથે સિસ્ટમ એ પણ માહિતી આપે છે કે કયા ફોનમાં સંબંધિત સિમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગુનેગારોનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે

તમામ સિમ યુઝર્સના સિમ ફોર્મ, દસ્તાવેજો અને ફોટા સોફ્ટવેરમાં રેકોર્ડ કરવામાં આવે છે. દેશભરના ગુનેગારોનો ડેટા તૈયાર થયા બાદ તેમનો ડેટા આ સોફ્ટવેરમાં મર્જ કરવામાં આવશે. નવું સિમ મેળવવા માટે ઓનલાઈન વેરિફિકેશન માટે આપવામાં આવેલા વીડિયો અને દસ્તાવેજો દ્વારા AI સક્ષમ સોફ્ટવેરની વધુ પુષ્ટિ થાય છે.

નિષ્ણાતો શું કહે છે?

સાયબર ક્રાઈમ સામે કાયદા અને ટેકનિકલ બાબતોના નિષ્ણાત પવન દુગ્ગલના જણાવ્યા અનુસાર, ધારો કે તમને એક કોલ આવ્યો, જેમાં તમને તરત જ રોકાણ કરવા અથવા પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું. તમે તેના વિશે ઓનલાઈન નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP), પોલીસ, સ્થાનિક સાયબર યુનિટ, બેંક સાયબર યુનિટ અથવા સ્થાનિક પોલીસને જાણ કરો.

તમામ રાજ્યો, બેંકો અને અન્ય સંસ્થાઓના સાયબર એકમો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના NCCRP સાથે જોડાયેલા છે. આ અંગેની માહિતી મળતાં જ સૌથી પહેલા એએસટીઆરની મદદથી સિમની સત્યતા જાણ્યા બાદ સંબંધિત સિમને નિષ્ક્રિય કરવામાં આવે છે. આ પછી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘણા કિસ્સાઓમાં, સરકાર એએસટીઆર દ્વારા સાયબર છેતરપિંડી થાય તે પહેલાં જ સિમને નિષ્ક્રિય કરવામાં સફળ રહી છે.

કાયદાના દૃષ્ટિકોણથી, સરકાર દ્વારા લોકોની સંમતિ વિના તેમની વિગતો એકઠી કરવી અને તેમને સરકારી ઓળખ કાર્ડ સાથે મેચ કરવી એ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. કદાચ આ જ કારણ છે કે સરકાર આ સફળતાને સાર્વજનિક નથી કરી રહી. નિષ્ણાતોના મતે કોઈપણ સિસ્ટમ માટે નિયમો અને કાયદા હોવા જરૂરી છે. આ ટેકનિકનો ઉપયોગ કરતા પહેલા કાનૂની આધાર સ્પષ્ટ હોવો જોઈએ.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">