શ્રાવણ માસમાં શા માટે બંધ થઈ જાય છે નોન-વેજ ? જાણો ચિકન-મટન છોડવા પાછળનું શું છે અસલી સત્ય અને ધાર્મિક માન્યતાઓ!
શું શ્રાવણમાં માસ ખાવાથી ખરેખર બીમાર પડીવાય છે કે પછી આ માત્ર એક જૂની ધાર્મિક માન્યતા છે? ભગવદ્ ગીતા, શિવપૂજાથી લઈને ચોમાસામાં ફૂડ પોઈઝનિંગના વિજ્ઞાન સુધી - નોન-વેજ છોડવા પાછળનું સાચું કારણ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો!

શ્રાવણ મહિનો શરૂ થતાં જ ભારતના મોટાભાગના ઘરોમાં માંસ, મટન, ઈંડાં અને ચિકન બનાવવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે. કેટલાક લોકો તો ડુંગળી અને લસણનો પણ ત્યાગ કરે છે. નવી પેઢીના મનમાં અવારનવાર એવો પ્રશ્ન થાય છે કે શિવપૂજા અને નોન-વેજ છોડવા વચ્ચે શો સંબંધ છે.

શ્રાવણ માસને ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ભક્તો આ દરમિયાન ઉપવાસ રાખે છે, શિવલિંગ પર જળાભિષેક કરે છે અને ધ્યાન ધરે છે. પૂજા અને આરાધના દરમિયાન મન, વાણી અને આહારમાં શુદ્ધતા જાળવવી ખૂબ જરૂરી હોવાથી સાત્વિક ખોરાક પર ભાર મૂકવામાં આવે છે.

ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં ખોરાકને મનુષ્યના સ્વભાવ સાથે જોડવામાં આવ્યો છે. તાજો અને પૌષ્ટિક આહાર સાત્વિક ગણાય છે, જ્યારે વધુ પડતો તીખો, કડવો કે ખારો ખોરાક રાજસિક અને વાસી કે અશુદ્ધ આહાર કહેવાય છે. જોકે, ગીતા સીધી રીતે શ્રાવણમાં માસ ન ખાવાનો આદેશ નથી આપતી, પરંતુ આ એક લોક પરંપરા બની ગઈ છે.

શ્રાવણ માસ ચાતુર્માસનો એક ભાગ છે, જે સંયમ, તપ અને આત્મા-નિયંત્રણનો સમય ગણાય છે. પ્રાચીન સમયમાં ચોમાસા દરમિયાન સંતો-મુનિઓ મુસાફરી અટકાવીને એક જગ્યાએ સાધના કરતા જેથી વરસાદી કાદવમાં નાના જીવોની હિંસા ન થાય. આ જ કારણોસર આ ઋતુમાં જીવો પ્રત્યે દયા દર્શાવવા માંસનો ત્યાગ કરવાની પરંપરા શરૂ થઈ.

વિજ્ઞાન કે ધર્મ કોઈ ચોક્કસ મહિનાના આધારે નોન-વેજને ખરાબ નથી કહેતા, પરંતુ ચોમાસામાં ભેજ, દૂષિત પાણી અને ગંદકીના કારણે બેક્ટેરિયા ઝડપથી ફેલે છે. માછલી અને કાચું માંસ ઝડપથી બગડી જતાં હોવાથી આ મોસમમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર કાચા અને પાકા ખોરાકને અલગ રાખવો જોઈએ. ચોમાસા દરમિયાન વીજળી જવી, વરસાદી પાણી ભરાવું અને માખીઓનો ઉપદ્રવ વધવાથી નોન-વેજને યોગ્ય તાપમાને સ્ટોર કરવું મુશ્કેલ બને છે, જેનાથી ફૂડ પોઈઝનિંગનો ભય રહે છે.

જૂના જમાનામાં રેફ્રિજરેટર કે કોલ્ડ સ્ટોરેજ જેવી સુવિધાઓ નહોતી. વરસાદમાં બજારમાંથી લાવેલું માછલી કે ચિકન ઝડપથી ખરાબ થઈ જતું હતું. તેથી આરોગ્યની સુરક્ષા માટે જૂના સમયના લોકોએ ચોમાસામાં જલ્દી બગડી જાય તેવી વસ્તુઓ ખાવાનું ટાળવાની વ્યાવહારિક પરંપરા બનાવી.

એવું માનવામાં આવે છે કે વરસાદી ઋતુમાં શારીરિક શ્રમ ઓછો થવાને કારણે અને ભેજવાળા વાતાવરણ લીધે પાચનતંત્ર થોડું ધીમું પડી જાય છે. ખૂબ ભારે અને તેલયુક્ત કે માંસાહારી ખોરાક પચાવવો મુશ્કેલ બને છે, જેનાથી ગેસ કે ભારેપણું અનુભવાય છે.

આ નિર્ણય સંપૂર્ણપણે વ્યક્તિગત શ્રદ્ધા, કૌટુંબિક પરંપરા અને સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. જે લોકો ધાર્મિક આસ્થા ધરાવે છે તેઓ મન શાંત કરવા અને આત્મ-સંયમ માટે માંસનો ત્યાગ કરે છે, જ્યારે માંસાહાર કરનારા લોકોએ સ્વચ્છતા અને તાજગીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

સાવનની પરંપરાનો મૂળ હેતુ લોકોમાં કોઈ ડર ઊભો કરવાનો નથી, પરંતુ થોડા સમય માટે સ્વાદ અને ઈચ્છાઓ પર કાબૂ મેળવીને મનને શાંત કરવાનો, જીવ-જંતુઓ પ્રત્યે કરુણા દર્શાવવાનો અને પોતાના શરીરની સંભાળ રાખવાનો છે.
Disclaimer: આ અહેવાલમાં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને ઉપલબ્ધ વિગતો પર આધારિત છે. TV9Gujarati આ તમામ માન્યતાઓ કે વિગતોની પુષ્ટિ કરતું નથી.
જામીનપાત્ર અને બિનજામીનપાત્ર ગુનાઓમાં શું તફાવત છે ? જાણો પોલીસ ક્યારે તમને વગર વોરંટે જેલમાં ધકેલી શકે!
