Vastu Tips: સાંજના સમયે ઘરમાં કપૂર સળગાવવું શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
કપૂર બાળવાથી વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. પરંતુ શું તમે જાણો સાંજના સમયે કપૂર બાળવાથી કે સળગાવવાથી શું થાય છે તેમજ તેમ કરવું શુભ છે કે અશુભ ચાલો સમજીએ.

હિન્દુ ધર્મમાં કપૂરનું ખૂબ મહત્વ છે. કપૂરનો આ નાનો ટુકડો ધાર્મિક વિધિઓમાં ઉપયોગમાં લેવાય છે. એવું કહેવાય છે કે તેને બાળવાથી વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. પરંતુ શું તમે જાણો સાંજના સમયે કપૂર બાળવાથી કે સળગાવવાથી શું થાય છે તેમજ તેમ કરવું શુભ છે કે અશુભ ચાલો સમજીએ.

ઘરમાં દિવસ હોય કે રાત કોઈ પણ સમયે કપૂર બાળવું શુભ માનવામાં આવે છે કારણ કે તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાય છે, જે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવતા લાવે છે.

દેવી લક્ષ્મીના આશીર્વાદ વરસશે - ઘરમાં કપૂર બાળવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. એવું કહેવાય છે કે સાંજે કપૂર બાળવાથી વાતાવરણ શુદ્ધ થાય છે, અને શુદ્ધ વાતાવરણ વાળા ઘરમાં દેવી લક્ષ્મી જલદી પ્રવેશ કરે છે.

ગરીબી દૂર થશે - જો તમારા ઘરમાં સમૃદ્ધિ બંધ થઈ ગઈ હોય અને તમે આર્થિક મુશ્કેલીઓથી પરેશાન હોવ, તો દરરોજ સાંજે તમારી પ્રાર્થના દરમિયાન કપૂર પ્રગટાવો અને તેનાથી આખા ઘરમાં ધુમાડો ફેલાવો. આમ કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે.

વાસ્તુ દોષ દૂર કરો - હા, વાસ્તુ શાસ્ત્ર મુજબ, જો ઘરમાં વાસ્તુ દોષ હોય, તો દરરોજ સાંજે કપૂર બાળવાથી વાસ્તુ દોષની અસરોમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

નકારાત્મકતા દૂર કરો - જો તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણનો અભાવ હોય અને પરિવારના સભ્યો હતાશ હોય, તો સાંજે કપૂર બાળવું જોઈએ કારણ કે તે નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાના પ્રવાહને પ્રોત્સાહન આપે છે.

દેવામાંથી મુક્તિ મળે - શાસ્ત્રો અનુસાર, જો તમે દેવામાં ડૂબી ગયા હોવ કે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો સાંજે કપૂર બાળવું જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી ઝડપથી દેવમાંથી મુક્ત થઈ શકાય છે. વધુમાં, ઘરમાં કપૂર બાળવાથી પરિવારમાં સુખ અને શાંતિ આવે છે અને ઘરેલું મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે.
Conch Shell Vastu: મંદિરમાં શંખ ખાલી કેમ ના રાખવો જોઈએ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
