Trivedi surname history : રાજકારણના ક્ષેત્રથી લઈને બોલિવુડ સુધી, પ્રસિદ્ધ ‘ત્રિવેદી’ અટકનો ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ત્રિવેદી અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

ત્રિવેદી અટક ભારતીય મૂળની એક અટક છે. પ્રાચીન બ્રાહ્મણ પરંપરા સાથે જોડાયેલી છે. આ અટકનો અર્થ કંઈક આ રીતે થાય છે. ત્રિ એટલે 3 અને વેદી એટલે વેદોનો જાણકાર છે.

ત્રિવેદી શબ્દનો અર્થ ત્રણ વેદોનો જાણકાર થાય છે. હિન્દુ ધર્મમાં કુલ 4 વેદો આવેલા છે. તેમાંથી જે લોકોએ 3 વેદોનો અભ્યાસ કર્યો હોય તેને ત્રિવેદી કહેવામાં આવે છે.

આ અટક મુખ્યત્વે બ્રાહ્મણ સમુદાય સાથે સંકળાયેલી છે. ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં જોવા મળે છે.

ત્રિવેદી અટક મુખ્યત્વે ભારતના ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જોવા મળે છે. તેમજ વર્તમાન સમયમાં યુએસ,યુકે સહિતના દેશોમાં પણ જોવા મળે છે.

આજે ત્રિવેદી અટક ધરાવતા લોકો વેદોના વિદ્વાન હોય તે જરૂરી નથી, પરંતુ તે તેમના પૂર્વજોની વિદ્વતા અને વૈદિક પરંપરા સાથેના જોડાણને પ્રતિબિંબિત કરે છે. તે એક સાંસ્કૃતિક ઓળખ બની ગઈ છે.

ત્રિવેદી અટક વૈદિક શિક્ષણ પ્રણાલીમાંથી ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે. તે સમયમાં બ્રાહ્મોને વેદોનો અભ્યાસ અને શિક્ષણ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતુ.

જે લોકો ત્રણ વેદ - ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ નો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમને "ત્રિવેદી" નું બિરુદ આપવામાં આવ્યું હતું.

મધ્યયુગીન કાળમાં ત્રિવેદી બ્રાહ્મણોનો પ્રભાવ ઉત્તર ભારત (ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર) અને પશ્ચિમ ભારત (ગુજરાત, મહારાષ્ટ્ર)માં જોવા મળતો હતો. આ લોકો શિક્ષણ, ધાર્મિક વિધિઓ, મંદિર સેવા અને રાજદરબારમાં પૂજારી, જ્યોતિષી અથવા વિદ્વાનો તરીકે કામ કરતા હતા.

મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો દરમિયાન, ત્રિવેદી જેવા બ્રાહ્મણ વિદ્વાનોને રાજ્યનું સમર્થન મળતું હતું. મુઘલ કાળ દરમિયાન પણ, ઘણા ત્રિવેદી બ્રાહ્મણો સંસ્કૃત વિદ્વાનો અને જ્યોતિષીઓ તરીકે જાણીતા હતા.

ત્રિવેદી અટક ધરાવતા ઘણા લોકો સ્વતંત્રતા સંગ્રામ અને સામાજિક સુધારણા ચળવળોમાં પણ સક્રિય હતા. આ ઉપરાંત કલા ક્ષેત્રે સહિત અન્ય ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ અટકનો અર્થ અને ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































