Travel Tips : કેદારનાથ જઈ રહ્યા છો તો આ વસ્તુઓ બેગમાં પેક કરી લો
ચાર ધામની યાત્રા શરુ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે યાત્રિકો પણ ચારધામ યાત્રામાં જવા માટે તેમની તૈયારીઓ શરુ કરી દીધી છે. તો ચાલો જાણીએ કે, ચારધામ યાત્રામાં જતી વખતે બેગમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જરુરી છે.

જો તમે કેદારનાથની યાત્રાનું આયોજન કરી રહ્યા છો તો જાણી તમે શું લઈ જઈ શકો છો. મુસાફરી દરમિયાન શું ધ્યાનમાં રાખવું? કેદારનાથ યાત્રા માટેની વસ્તુઓની સંપૂર્ણ લિસ્ટ પણ જોઈ લો.

ચાર ધામની યાત્રા માટે યનુનોત્રી ધામના કપાટ 30 એપ્રિલના રોજ ખુલશે. તેમજ ગંગોત્રી ધામના કપાટ પણ 30 એપ્રિલના રોજ ખુલશે. તો કેદારનાથ ધામના કપાટ 2 મેના રોજ ખુલશે અને બદ્રીનાથના કપાટ 4 મેના રોજ ખુલશે. તો હેમ કુંડ સાહિબના કપાટ 25 મેના રોજ ખુલશે.

આ પહેલા પ્રવાસીઓ પોતાનું બેગ પેક કરતી વખતે કેટલીક જરુરી વસ્તુઓ પણ સાથે લઈ જવી જરુરી છે.જેમાં રેઈનકોટ, માસ્ક, કોલ્ડ ક્રીમ,મફલર , છત્રી, સન ગ્લાસ, ગ્લૂકોઝ બિસ્કિટ, ટોર્ચ, કેનવાસ બૂટ, સેનિટાઈઝર, ઓળખપત્ર, પાણીની બોટલ, લાકડી, મંકી કેપ, રોકડ પૈસા, સ્વેટર અને મોજા તમારા બેગમાં જરુર પેક કરી લેજો.

તેમજ યાત્રા શરુ કરતા પહેલા નજીકના સ્વાસ્થ કેન્દ્રમાં આરોગ્ય તપાસ કરાવી લો, જો તમને હૃદય સંબંધિત કોઈ તકલીફ છે કે હાઈપરટેન્શનની સમસ્યા છે તો સાવધાન રહો. રસ્તામાં જો તમારી તબિયત બગડે તો આગળની યાત્રા ન કરો અને નજીકના ચિકિત્સા કેન્દ્રનો જરુર સંપર્ક કરો.

ચારધામ યાત્રા પર જતા પ્રવાસીઓએ પોતાના બેગમાં જરુરી દવાઓ, ફર્સ્ટ એડ કિટ અને મેડિકલ સંબંધિત તમારા રિપોર્ટ પણ સાથે રાખો. શરદી,ઉધરસ, તાવ જેવી દવાઓ પણ તમારી સાથે રાખો.

કેદારનાથ ધામ જતી વખતે હંમેશા છત્રી અથવા રેઈનકોટ સાથે રાખો. કારણ કે કેદારનાથમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં, આ બંને વસ્તુઓ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

જો તમે ઉનાળામાં મુલાકાત લઈ રહ્યા હોવ તો પણ કેદારનાથમાં તાપમાન ઘટી શકે છે. તેથી ગરમ કપડાં જેમ કે વૂલન સ્વેટર, જેકેટ, મોજા અને મફલર સાથે રાખો.કેદારનાથમાં હવામાન અચાનક બદલાઈ શકે છે, તેથી ગરમ કપડાં અને વરસાદથી બચવા માટે સાવચેત રહો.

જો તમે કેદારનાથ યાત્રા પર જઈ રહ્યા છો, તો તમારી સાથે રોકડ રકમ રાખો. મુસાફરી દરમિયાન, પહાડોમાં ઘણી જગ્યાએ એટીએમ કે ઓનલાઈન સુવિધાઓ હોતી નથી. આવી સ્થિતિમાં, તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી સાથે થોડી રોકડ રાખો.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
