AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં કેમ રવિવારે જ રજા મળે છે ? જાણો પાછળની રસપ્રદ અને અજાણી કહાની

ભારતમાં રવિવારને રજાના દિવસ તરીકે માનવામાં આવે છે, પરંતુ આ પરંપરા પાછળનું કારણ બહુ ઓછા લોકોને ખબર હોય છે. આખરે કેમ રવિવાર જ રજાનો દિવસ બન્યો? આવો, તેના વિશે સંક્ષેપમાં સમજીએ.

| Updated on: Feb 24, 2026 | 3:58 PM
Share
રવિવાર મોટાભાગના લોકો માટે આરામ અને પરિવાર સાથે સમય પસાર કરવાનો દિવસ છે, પરંતુ પહેલા એવું નહોતું. બ્રિટિશ શાસન દરમિયાન મજૂરોને સતત કામ કરવું પડતું હતું. મજૂર આંદોલન બાદ 10 જૂન 1890ના રોજ રવિવારને સત્તાવાર રજાનો દરજ્જો આપવામાં આવ્યો, જેથી કામદારોને અઠવાડિયામાં એક દિવસ આરામ મળી શકે. ( Credits: AI Generated )

રવિવાર મોટાભાગના લોકો માટે આરામ અને પરિવાર સાથે સમય પસાર કરવાનો દિવસ છે, પરંતુ પહેલા એવું નહોતું. બ્રિટિશ શાસન દરમિયાન મજૂરોને સતત કામ કરવું પડતું હતું. મજૂર આંદોલન બાદ 10 જૂન 1890ના રોજ રવિવારને સત્તાવાર રજાનો દરજ્જો આપવામાં આવ્યો, જેથી કામદારોને અઠવાડિયામાં એક દિવસ આરામ મળી શકે. ( Credits: AI Generated )

1 / 5
બ્રિટિશ શાસન દરમિયાન કારખાનામાં કામ કરતા મજૂરોને અઠવાડિયાના બધા દિવસ સતત મહેનત કરવી પડતી, ખાસ કરીને મુંબઈના મિલ કામદારોની સ્થિતિ ઘણી કઠિન હતી. લાંબા કામના કલાકો અને આરામના અભાવે તેમનું જીવન મુશ્કેલ બન્યું હતું. આવી પરિસ્થિતિમાં મજૂરોના હકો માટે અવાજ ઉઠાવનાર નેતા તરીકે નારાયણ મેઘાજી લોખંડે આગળ આવ્યા. ( Credits: AI Generated )

બ્રિટિશ શાસન દરમિયાન કારખાનામાં કામ કરતા મજૂરોને અઠવાડિયાના બધા દિવસ સતત મહેનત કરવી પડતી, ખાસ કરીને મુંબઈના મિલ કામદારોની સ્થિતિ ઘણી કઠિન હતી. લાંબા કામના કલાકો અને આરામના અભાવે તેમનું જીવન મુશ્કેલ બન્યું હતું. આવી પરિસ્થિતિમાં મજૂરોના હકો માટે અવાજ ઉઠાવનાર નેતા તરીકે નારાયણ મેઘાજી લોખંડે આગળ આવ્યા. ( Credits: AI Generated )

2 / 5
મજૂરોની મુશ્કેલીઓ જોઈને નારાયણ મેઘાજી લોખંડેએ અઠવાડિયામાં એક દિવસ રજાની માંગ ઉઠાવી. 1881થી 1884 દરમિયાન તેમણે વિરોધ પ્રદર્શન કર્યા, બ્રિટિશ સરકારને મેમોરેન્ડમ સુપરત કર્યા અને લગભગ 10 હજાર કામદારોને સાથે જોડ્યા. લગભગ સાત વર્ષના સતત પ્રયાસ બાદ સરકારને ઝુકવું પડ્યું અને 10 જૂન 1890ના રોજ રવિવારને કામદારો માટે સત્તાવાર સાપ્તાહિક રજા જાહેર કરવામાં આવી, જે મજૂર હકો માટે મહત્વપૂર્ણ જીત સાબિત થઈ. ( Credits: AI Generated )

મજૂરોની મુશ્કેલીઓ જોઈને નારાયણ મેઘાજી લોખંડેએ અઠવાડિયામાં એક દિવસ રજાની માંગ ઉઠાવી. 1881થી 1884 દરમિયાન તેમણે વિરોધ પ્રદર્શન કર્યા, બ્રિટિશ સરકારને મેમોરેન્ડમ સુપરત કર્યા અને લગભગ 10 હજાર કામદારોને સાથે જોડ્યા. લગભગ સાત વર્ષના સતત પ્રયાસ બાદ સરકારને ઝુકવું પડ્યું અને 10 જૂન 1890ના રોજ રવિવારને કામદારો માટે સત્તાવાર સાપ્તાહિક રજા જાહેર કરવામાં આવી, જે મજૂર હકો માટે મહત્વપૂર્ણ જીત સાબિત થઈ. ( Credits: AI Generated )

3 / 5
રવિવારને રજા તરીકે પસંદ કરવાની પાછળ ધાર્મિક અને વ્યવહારિક બંને કારણો હતા. બ્રિટિશ શાસકો ખ્રિસ્તી હોવાથી તેઓ રવિવારે પ્રાર્થના અને ચર્ચ માટે આરામ રાખતા, તેથી આ દિવસ રજાનો ભાગ બન્યો. સાથે જ નારાયણ મેઘાજી લોખંડેએ દલીલ કરી કે રવિવાર હિન્દુ પરંપરામાં ખંડોબા અને સૂર્ય દેવ સાથે જોડાયેલ હોવાથી ભારતીય મજૂરોને પણ આ દિવસે આરામ અને સામાજિક જીવન માટે સમય મળવો જોઈએ. ( Credits: AI Generated )

રવિવારને રજા તરીકે પસંદ કરવાની પાછળ ધાર્મિક અને વ્યવહારિક બંને કારણો હતા. બ્રિટિશ શાસકો ખ્રિસ્તી હોવાથી તેઓ રવિવારે પ્રાર્થના અને ચર્ચ માટે આરામ રાખતા, તેથી આ દિવસ રજાનો ભાગ બન્યો. સાથે જ નારાયણ મેઘાજી લોખંડેએ દલીલ કરી કે રવિવાર હિન્દુ પરંપરામાં ખંડોબા અને સૂર્ય દેવ સાથે જોડાયેલ હોવાથી ભારતીય મજૂરોને પણ આ દિવસે આરામ અને સામાજિક જીવન માટે સમય મળવો જોઈએ. ( Credits: AI Generated )

4 / 5
રવિવારને આરામના દિવસ તરીકે માનવાની પરંપરા ભારતમાંથી શરૂ થઈ નહોતી. ઈ.સ. 321માં રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇન ધ ગ્રેટેએ રોમન સામ્રાજ્યમાં રવિવારને સત્તાવાર આરામનો દિવસ જાહેર કર્યો હતો. બાદમાં આ પ્રથા યુરોપમાં ફેલાઈ અને બ્રિટિશ શાસન દ્વારા ભારતમાં પણ સ્વીકારવામાં આવી. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

રવિવારને આરામના દિવસ તરીકે માનવાની પરંપરા ભારતમાંથી શરૂ થઈ નહોતી. ઈ.સ. 321માં રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇન ધ ગ્રેટેએ રોમન સામ્રાજ્યમાં રવિવારને સત્તાવાર આરામનો દિવસ જાહેર કર્યો હતો. બાદમાં આ પ્રથા યુરોપમાં ફેલાઈ અને બ્રિટિશ શાસન દ્વારા ભારતમાં પણ સ્વીકારવામાં આવી. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

5 / 5

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">