Travel Tips : જન્માષ્ટમીના દિવસે અમદાવાદમાં આવેલા આ મંદિરના માતા-પિતાને કરાવો દર્શન
જન્માષ્ટમીના દિવસે ગુજરાત કૃષ્ણમય બની જાય છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ નંદજીએ ઉત્સવ ઉજવ્યો હતો, જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ મંદિર "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!ના નાદથી ગુંજી ઉઠે છે. તો જન્માષ્ટમી પર તમારા માતા-પિતાને આ મંદિરના દર્શન કરાવો.

જન્માષ્ટમીના અવસરે, ભક્તો શ્રી કૃષ્ણની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. જન્માષ્ટમી 16 ઓગસ્ટના રોજ છે.જન્માષ્ટમી પર્વ પર વિશ્વપ્રસિદ્ધ દ્વારિકાધીશ મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર, શામળાજી મંદિરસહીત રાજ્ય અને દેશભરના કૃષ્ણમંદિરોમાં ધામધૂમ પૂર્વક કૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવે છે. તો અમદાવાદમાં આવેલા ફેમસ કૃષ્ણ મંદિર વિશે જાણો.

અમદાવાદમાં પણ ભગવાન કૃષ્ણના અનેક મંદિરો આવેલા છે. જેમાં ઈસ્કોન મંદિર ખુબ જ ફેમસ છે. જન્માષ્ટમી પર મંદિરોમાં "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!" જેવા નાદોથી ગુંજી ઉઠે છે.

અમદાવાદના ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે.અમદાવાદ ભાડજમાં આવેલું હરે ક્રિષ્ણા મંદિર જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠે છે.

ઇસ્કોનના અનુયાયીઓ મોટેભાગે 'હરે કૃષ્ણ' કે 'હરે કૃષ્ણ ભક્તો' તરીકે ઓળખાય છે, ઇસ્કોન શીખવે છે કે, કૃષ્ણ સર્વોપરિ ભગવાન છે અને માટે જ તેમને પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન તરિકે સંબોધિત કરવામાં આવે છે. તો તમે જન્માષ્ટમીના દિવસે ઈસ્કોન મંદિરની મુલાકાત લઈ શકો છો.

અમદાવાદનું સોલાભાગવત કૃષ્ણ મંદિર પણ ફેમસ છે,શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ ગુજરાતના અમદાવાદનાં સોલા ગામ પાસે સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ શ્રીનાથજી બાવાનું સુંદર મંદિર છે.ભાગવત વિદ્યાપીઠમાં દર વર્ષે આઠમ શ્રીકૃષ્ણજન્મના દિવસે મોટો મહોત્સવ થાય છે. શ્રીકૃષ્ણ ને બત્રિસ ભોગ ધરાવાય છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
