AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનું આ મંદિર છે અત્યંત રહસ્યમય, દેશ- વિદેશથી લોકો અહીં શીખવા આવે છે તંત્ર- મંત્ર

ચૌસઠ યોગિની મંદિર સૌથી પ્રાચીન અને રહસ્યમય છે. આ રહસ્યમય મંદિરને તાંત્રિક યુનિવર્સિટી પણ કહેવામાં આવતું હતું. વિશ્વભરમાંથી લાખો તાંત્રિકો અહીં તંત્ર-મંત્રની વિદ્યા શીખવા આવતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 11:50 AM
Share
ભારતમાં ચાર ચોસઠ યોગિની મંદિરો છે. ઓડિશામાં બે અને મધ્યપ્રદેશમાં બે મંદિરો છે. મુરેનામાં આવેલું આ મંદિર સમગ્ર વિશ્વમાં તંત્ર-મંત્ર માટે જાણીતું હતું. ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. અહીં ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો છે. આમાંના ઘણા મંદિરો ખૂબ જ રહસ્યમય છે, જેમાં મધ્ય પ્રદેશના ચોસઠ યોગિની મંદિરનો પણ સમાવેશ થાય છે.

ભારતમાં ચાર ચોસઠ યોગિની મંદિરો છે. ઓડિશામાં બે અને મધ્યપ્રદેશમાં બે મંદિરો છે. મુરેનામાં આવેલું આ મંદિર સમગ્ર વિશ્વમાં તંત્ર-મંત્ર માટે જાણીતું હતું. ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. અહીં ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો છે. આમાંના ઘણા મંદિરો ખૂબ જ રહસ્યમય છે, જેમાં મધ્ય પ્રદેશના ચોસઠ યોગિની મંદિરનો પણ સમાવેશ થાય છે.

1 / 6
મધ્ય પ્રદેશના મુરૈનામાં આવેલું ચૌસઠ યોગિની મંદિર સૌથી પ્રાચીન અને રહસ્યમય છે. આ રહસ્યમય મંદિરને તાંત્રિક યુનિવર્સિટી પણ કહેવામાં આવતું હતું. વિશ્વભરમાંથી લાખો તાંત્રિકો અહીં તંત્ર-મંત્રની વિદ્યા શીખવા આવતા હતા. ભારતના તમામ ચોસઠ યોગિની મંદિરોમાં આ એકમાત્ર મંદિર છે, જે હજુ પણ સારી સ્થિતિમાં છે. ચાલો જાણીએ મુરૈનામાં સ્થિત પ્રાચીન અને રહસ્યમય ચૌસઠ યોગિની મંદિર વિશે.
આ મંદિર મુરૈના જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલું છે. મિતાવલી ગામમાં બનેલું આ રહસ્યમય મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. મધ્યપ્રદેશનું પ્રાચીન ચૌસઠ યોગિની મંદિર ગોળાકાર છે અને તેમાં 64 રૂમ છે. આ તમામ 64 રૂમમાં ભવ્ય શિવલિંગ સ્થાપિત છે.

મધ્ય પ્રદેશના મુરૈનામાં આવેલું ચૌસઠ યોગિની મંદિર સૌથી પ્રાચીન અને રહસ્યમય છે. આ રહસ્યમય મંદિરને તાંત્રિક યુનિવર્સિટી પણ કહેવામાં આવતું હતું. વિશ્વભરમાંથી લાખો તાંત્રિકો અહીં તંત્ર-મંત્રની વિદ્યા શીખવા આવતા હતા. ભારતના તમામ ચોસઠ યોગિની મંદિરોમાં આ એકમાત્ર મંદિર છે, જે હજુ પણ સારી સ્થિતિમાં છે. ચાલો જાણીએ મુરૈનામાં સ્થિત પ્રાચીન અને રહસ્યમય ચૌસઠ યોગિની મંદિર વિશે. આ મંદિર મુરૈના જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલું છે. મિતાવલી ગામમાં બનેલું આ રહસ્યમય મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. મધ્યપ્રદેશનું પ્રાચીન ચૌસઠ યોગિની મંદિર ગોળાકાર છે અને તેમાં 64 રૂમ છે. આ તમામ 64 રૂમમાં ભવ્ય શિવલિંગ સ્થાપિત છે.

2 / 6
આ મંદિર સુધી પહોંચવા માટે 200 પગથિયાં ચઢવા પડે છે. મંદિરની મધ્યમાં એક ખુલ્લો મંડપ બનાવવામાં આવ્યો છે જેમાં વિશાળ શિવલિંગ સ્થાપિત છે. આ અદ્ભુત મંદિર લગભગ 100 ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવ્યું છે અને ટેકરી પર આવેલું આ ગોળાકાર મંદિર ઉડતી રકાબી જેવું લાગે છે. કહેવાય છે કે આ મંદિર 700 વર્ષ જૂનું છે. કહેવાય છે કે આ ભગવાન શિવનું મંદિર છે, જેના કારણે લોકો અહીં તંત્ર-મંત્ર શીખવા આવતા હતા. આ મંદિર કચ્છના રાજા દેવપાલ દ્વારા 1323 એડી (વિક્રમ સંવત 1383) માં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં સૂર્યના ગોચરના આધારે જ્યોતિષ અને ગણિત શીખવવામાં આવતું હતું,  આ મંદિર બધા કેન્દ્રોમાં મુખ્ય કેન્દ્ર હતું.

આ મંદિર સુધી પહોંચવા માટે 200 પગથિયાં ચઢવા પડે છે. મંદિરની મધ્યમાં એક ખુલ્લો મંડપ બનાવવામાં આવ્યો છે જેમાં વિશાળ શિવલિંગ સ્થાપિત છે. આ અદ્ભુત મંદિર લગભગ 100 ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવ્યું છે અને ટેકરી પર આવેલું આ ગોળાકાર મંદિર ઉડતી રકાબી જેવું લાગે છે. કહેવાય છે કે આ મંદિર 700 વર્ષ જૂનું છે. કહેવાય છે કે આ ભગવાન શિવનું મંદિર છે, જેના કારણે લોકો અહીં તંત્ર-મંત્ર શીખવા આવતા હતા. આ મંદિર કચ્છના રાજા દેવપાલ દ્વારા 1323 એડી (વિક્રમ સંવત 1383) માં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં સૂર્યના ગોચરના આધારે જ્યોતિષ અને ગણિત શીખવવામાં આવતું હતું, આ મંદિર બધા કેન્દ્રોમાં મુખ્ય કેન્દ્ર હતું.

3 / 6
 ભારતીય સંસદ માત્ર આ મંદિરને મળતું નથી, પરંતુ તેની અંદરના સ્તંભો પણ મંદિરના સ્તંભો જેવા દેખાય છે. એવું કહેવાય છે કે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ભારતીય સંસદનું નિર્માણ મુરૌના સ્થિત ચૌસથ યોગિની મંદિરના આધારે કર્યું હતું. પરંતુ આ વાત ક્યાય પણ લખવામાં આવી નથી અને સંસદની વેબસાઈટ પર પણ આવી કોઈ માહિતી આપવામાં આવી નથી.

ભારતીય સંસદ માત્ર આ મંદિરને મળતું નથી, પરંતુ તેની અંદરના સ્તંભો પણ મંદિરના સ્તંભો જેવા દેખાય છે. એવું કહેવાય છે કે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ભારતીય સંસદનું નિર્માણ મુરૌના સ્થિત ચૌસથ યોગિની મંદિરના આધારે કર્યું હતું. પરંતુ આ વાત ક્યાય પણ લખવામાં આવી નથી અને સંસદની વેબસાઈટ પર પણ આવી કોઈ માહિતી આપવામાં આવી નથી.

4 / 6
જોકે,હવે ઘણી મૂર્તિઓ ચોરાઈ ગઈ છે. આ કારણે હવે બાકીની મૂર્તિઓને દિલ્હી સ્થિત મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આ 101 સ્તંભવાળા મંદિરને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા એક પ્રાચીન ઐતિહાસિક સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. ચૌસઠ યોગિની મંદિરના દરેક રૂમમાં શિવલિંગ અને યોગીની દેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી, જેના કારણે આ મંદિરનું નામ ચૌસઠ યોગિની પડ્યું હતું.

જોકે,હવે ઘણી મૂર્તિઓ ચોરાઈ ગઈ છે. આ કારણે હવે બાકીની મૂર્તિઓને દિલ્હી સ્થિત મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આ 101 સ્તંભવાળા મંદિરને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા એક પ્રાચીન ઐતિહાસિક સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. ચૌસઠ યોગિની મંદિરના દરેક રૂમમાં શિવલિંગ અને યોગીની દેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી, જેના કારણે આ મંદિરનું નામ ચૌસઠ યોગિની પડ્યું હતું.

5 / 6
તંત્ર સાધના માટે પ્રસિદ્ધ ચૌસથ યોગિની મંદિરમાં ભગવાન શિવની યોગિનીઓને જાગૃત કરવાનું કામ હતું. સ્થાનિક લોકોનું માનવું છે કે આજે પણ આ મંદિર ભગવાન શિવની તંત્ર સાધનાના કવચથી ઢંકાયેલું છે. આ મંદિરમાં કોઈને પણ રાત રોકાવાની પરવાનગી નથી.

તંત્ર સાધના માટે પ્રસિદ્ધ ચૌસથ યોગિની મંદિરમાં ભગવાન શિવની યોગિનીઓને જાગૃત કરવાનું કામ હતું. સ્થાનિક લોકોનું માનવું છે કે આજે પણ આ મંદિર ભગવાન શિવની તંત્ર સાધનાના કવચથી ઢંકાયેલું છે. આ મંદિરમાં કોઈને પણ રાત રોકાવાની પરવાનગી નથી.

6 / 6
Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">