Surat : હનુમાન ચાલીસા કથાના પાંચમા દિવસે ભવ્ય અન્નકૂટ મહોત્સવ, ભક્તોએ બનાવી 108 કિલો બુંદીની ગદા, જુઓ PHOTOS
સુરતના ઉત્રાણ સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા કથાના આયોજનમાં મહિલા ભક્તોએ તેમના ઘરે બનાવેલી વિવિધ પ્રકારની વાનગી દાદાને અર્પણ કરી હતી. 108 કિલો બુંદીની ગદા આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સુરતના ઉત્રાણ સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનાં પાંચમા દિવસે ગ્રાઉન્ડમાં 80 હજારથી વધુ લોકો જોડાયા

કથાની શરૂઆતમાં સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જે બાદ હરિપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી રાષ્ટ્રગાન અને કષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી કરી કથા શરૂ કરી હતી અને લોકોને હનુમાન ચરિત્ર કથાનું રસપાન કરાવ્યું હતું.

કથામાં મારા દાદાને મારો અન્નકૂટની થીમ પર શ્રીકષ્ટભંજનદેવ હનુમાન દાદાનો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો. આ માટે હજારો ભક્તો તેમના ઘરેથી દાદા માટે અન્નકુટ બનાવીને કથા સ્થળે લાવ્યા હતાં.

ઘરે બનાવેલી 3482 kg સુખડી સહિત 334 પ્રકારની વાનગી દાદાને અર્પણ કરી

મહિલા ભક્તોએ તેમના ઘરે બનાવેલી , 108 કિલો બુંદીની ગદા, 175 મણ કેળા, 51 તરબૂચ, 351 અન્નકૂટની, 182 જાતની મીઠાઈ, 34, 65 ચોકલેટ, જેવી વિવિધ પ્રકારની વાનગી દાદાને અર્પણ કરી હતી.