AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : ‘સ્તંભેશ્વર મહાદેવ’ ના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઇ ગામ પાસે દરિયાકિનારે સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ધામને અતિ પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થાન તરીકે માનવામાં આવે છે. અહીં દરિયાના ગર્ભમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલું ભગવાન શંકરનું શિવલિંગ બિરાજમાન છે. લોકમાન્યતા પ્રમાણે, આ સ્થાન પર મહી નદી અને અરબી સમુદ્રનું સંગમ બને છે. મંદિરના દર્શન કરવા માટે ભક્તોને દરિયાનાં પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે,

| Updated on: Aug 06, 2025 | 6:48 PM
Share
આ તીર્થને "ગુપ્ત તીર્થ" તથા "સંગમ તીર્થ" નામોથી પણ ઓળખવામાં આવે છે. અનોખી વાત એ છે કે દરરોજ બે વખત ભરતીના કારણે આ મંદિર સમુદ્રના પાણીમાં ડૂબી જાય છે અને પછી ઓટ આવતાં ફરી દેખાય છે. (Credits: - Stambheshwar Mahadev)

આ તીર્થને "ગુપ્ત તીર્થ" તથા "સંગમ તીર્થ" નામોથી પણ ઓળખવામાં આવે છે. અનોખી વાત એ છે કે દરરોજ બે વખત ભરતીના કારણે આ મંદિર સમુદ્રના પાણીમાં ડૂબી જાય છે અને પછી ઓટ આવતાં ફરી દેખાય છે. (Credits: - Stambheshwar Mahadev)

1 / 6
પુરાણકથાઓ પ્રમાણે, ત્રેતાયુગ અથવા દ્વાપરયુગમાં તાડકાસુર નામનો અસુર દેવતાઓને પીડિત કરતો હતો. તેને મારવા માટે ભગવાન કાર્તિકેયે યુદ્ધ કર્યું અને અસુરનો સંહાર કર્યો. પરંતુ અસુરવધ પછી પિતૃદોષ અને બ્રહ્મહત્યાદોષ નિવારણ માટે કાર્તિકેયે અહીં મહાદેવની સ્થાપના કરી.આ સ્થાપનાને સ્તંભેશ્વર મહાદેવ નામ મળ્યું.

પુરાણકથાઓ પ્રમાણે, ત્રેતાયુગ અથવા દ્વાપરયુગમાં તાડકાસુર નામનો અસુર દેવતાઓને પીડિત કરતો હતો. તેને મારવા માટે ભગવાન કાર્તિકેયે યુદ્ધ કર્યું અને અસુરનો સંહાર કર્યો. પરંતુ અસુરવધ પછી પિતૃદોષ અને બ્રહ્મહત્યાદોષ નિવારણ માટે કાર્તિકેયે અહીં મહાદેવની સ્થાપના કરી.આ સ્થાપનાને સ્તંભેશ્વર મહાદેવ નામ મળ્યું.

2 / 6
"ગુપ્ત તીર્થ" તરીકે ઓળખાવાનું એક રસપ્રદ કારણ પણ લોકકથાઓમાં વર્ણવાયું છે. માન્યતા મુજબ, એક વખતે પૃથ્વીના તમામ તીર્થસ્થાનો મળીને બ્રહ્માજીના દર્શન કરવા પહોંચ્યાં. બ્રહ્માજી તેમને જોઈ આનંદિત થયા. આ દરમિયાન તીર્થોએ બ્રહ્માજીને વિનંતી કરી કે તમામમાં સર્વોત્તમ તીર્થ કયું છે તે તેઓ નક્કી કરે.બ્રહ્માજીએ થોડો વિચાર કર્યો, પરંતુ કંઇ સમજ ન પડતા તેમણે નક્કી કર્યું કે દરેક તીર્થ પોતે પોતાના વિષે કહેશે. બધા તીર્થ મૌન રહ્યા,  પરંતુ સ્તંભેશ્વર તીર્થએ આગળ આવી કહ્યું કે તે સર્વશ્રેષ્ઠ છે, કેમ કે અહીં દરિયા અને મહી નદીનું સંગમ તો છે જ, સાથે દેવસેનાપતિ કાર્તિકેય દ્વારા સ્થાપિત મહાદેવનું નિવાસસ્થાન પણ છે.આ નિવેદન ધર્મદેવને અહંકારસભર લાગ્યું. તેમણે ક્રોધિત થઈ સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તું ક્યારેય પ્રસિદ્ધિ પ્રાપ્ત ન કરી શકશે, અને તારી મહિમા હંમેશાં ગુપ્ત જ રહેશે. તેથી આ સ્થાન "ગુપ્ત તીર્થ" નામથી ઓળખાય છે.

"ગુપ્ત તીર્થ" તરીકે ઓળખાવાનું એક રસપ્રદ કારણ પણ લોકકથાઓમાં વર્ણવાયું છે. માન્યતા મુજબ, એક વખતે પૃથ્વીના તમામ તીર્થસ્થાનો મળીને બ્રહ્માજીના દર્શન કરવા પહોંચ્યાં. બ્રહ્માજી તેમને જોઈ આનંદિત થયા. આ દરમિયાન તીર્થોએ બ્રહ્માજીને વિનંતી કરી કે તમામમાં સર્વોત્તમ તીર્થ કયું છે તે તેઓ નક્કી કરે.બ્રહ્માજીએ થોડો વિચાર કર્યો, પરંતુ કંઇ સમજ ન પડતા તેમણે નક્કી કર્યું કે દરેક તીર્થ પોતે પોતાના વિષે કહેશે. બધા તીર્થ મૌન રહ્યા, પરંતુ સ્તંભેશ્વર તીર્થએ આગળ આવી કહ્યું કે તે સર્વશ્રેષ્ઠ છે, કેમ કે અહીં દરિયા અને મહી નદીનું સંગમ તો છે જ, સાથે દેવસેનાપતિ કાર્તિકેય દ્વારા સ્થાપિત મહાદેવનું નિવાસસ્થાન પણ છે.આ નિવેદન ધર્મદેવને અહંકારસભર લાગ્યું. તેમણે ક્રોધિત થઈ સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તું ક્યારેય પ્રસિદ્ધિ પ્રાપ્ત ન કરી શકશે, અને તારી મહિમા હંમેશાં ગુપ્ત જ રહેશે. તેથી આ સ્થાન "ગુપ્ત તીર્થ" નામથી ઓળખાય છે.

3 / 6
લોકમાન્યતા છે કે મંદિરનું મૂળ સ્વરૂપ અત્યંત પ્રાચીન છે, પણ સમયાંતરે સમુદ્રની લહેરો અને પ્રાકૃતિક પરિસ્થિતિઓને કારણે તે ક્ષીણ થયું. આજે મંદિરનું પુનર્નિર્માણ અને સંરક્ષણ સ્થાનિક ભક્તો અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. (Credits: - Wikipedia)

લોકમાન્યતા છે કે મંદિરનું મૂળ સ્વરૂપ અત્યંત પ્રાચીન છે, પણ સમયાંતરે સમુદ્રની લહેરો અને પ્રાકૃતિક પરિસ્થિતિઓને કારણે તે ક્ષીણ થયું. આજે મંદિરનું પુનર્નિર્માણ અને સંરક્ષણ સ્થાનિક ભક્તો અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. (Credits: - Wikipedia)

4 / 6
અહીં આવવાથી સમુદ્રસ્નાન, શિવલિંગ દર્શન અને પૂજા કરવાથી પાપમુક્તિ તથા પિતૃદોષ નિવારણ થાય છે તેવી માન્યતા છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રી  આ સમયમાં હજારો ભક્તો અહીં આવે છે. (Credits: - Stambheshwar Mahadev)

અહીં આવવાથી સમુદ્રસ્નાન, શિવલિંગ દર્શન અને પૂજા કરવાથી પાપમુક્તિ તથા પિતૃદોષ નિવારણ થાય છે તેવી માન્યતા છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રી આ સમયમાં હજારો ભક્તો અહીં આવે છે. (Credits: - Stambheshwar Mahadev)

5 / 6
( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

6 / 6

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">