AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા પૂજા ખંડમાં ડમરુ છે ? જાણો ઘર અને મંદિરમાં ડમરુ રાખવાના 7 ચોંકાવનારા ફાયદા

હિંદુ ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રોમાં, ડમરુ ભગવાન શિવનું અતિ પ્રિય અને પવિત્ર વાદ્ય માનવામાં આવે છે. તેને પૂજા ખંડમાં રાખવાથી નીચે મુજબના લાભ અને અસર માનવામાં આવે છે

| Updated on: Aug 08, 2025 | 7:04 PM
Share
શ્રાવણ મહિનો ભગવાન શિવની ઉપાસનાનો વિશેષ સમય ગણાય છે. તેમની દિવ્ય પ્રતિમા અતિ આકર્ષક છે.  જટામાં પવિત્ર ગંગા વિરાજે છે, મસ્તક પર ચંદ્ર શોભે છે, હાથમાં ત્રિશૂલ ધારણ છે અને ગળામાં પવિત્ર નાગ આભૂષણ રૂપે સુશોભિત છે.તેમના બીજા હાથે ડમરુ શોભે છે, જે તેમના નાટ્યરાજ સ્વરૂપનું પ્રતીક છે. શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો પોતાના ઘરમાં તેમની પ્રિય વસ્તુઓ પૂજાસ્થળે સ્થાપિત કરે છે. (Credits: - Canva)

શ્રાવણ મહિનો ભગવાન શિવની ઉપાસનાનો વિશેષ સમય ગણાય છે. તેમની દિવ્ય પ્રતિમા અતિ આકર્ષક છે. જટામાં પવિત્ર ગંગા વિરાજે છે, મસ્તક પર ચંદ્ર શોભે છે, હાથમાં ત્રિશૂલ ધારણ છે અને ગળામાં પવિત્ર નાગ આભૂષણ રૂપે સુશોભિત છે.તેમના બીજા હાથે ડમરુ શોભે છે, જે તેમના નાટ્યરાજ સ્વરૂપનું પ્રતીક છે. શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો પોતાના ઘરમાં તેમની પ્રિય વસ્તુઓ પૂજાસ્થળે સ્થાપિત કરે છે. (Credits: - Canva)

1 / 7
ઘણા ભક્તો શિવજીનું પ્રિય વાદ્ય ડમરુ પોતાના પૂજાઘરમાં સ્થાપિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને સ્થાપિત કરવાથી કયા શુભ ફળ પ્રાપ્ત થાય છે? આવો, તેની મહત્તા જાણીએ.

ઘણા ભક્તો શિવજીનું પ્રિય વાદ્ય ડમરુ પોતાના પૂજાઘરમાં સ્થાપિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને સ્થાપિત કરવાથી કયા શુભ ફળ પ્રાપ્ત થાય છે? આવો, તેની મહત્તા જાણીએ.

2 / 7
હિંદુ પરંપરામાં ડમરુને વિશેષ પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. માન્યતા મુજબ, જ્યારે માતા સરસ્વતીનો અવતાર થયો, ત્યારે બ્રહ્માંડમાં નાદની તરંગો વ્યાપી ગઈ. પરંતુ તે સમયે દેવીની વીણામાંથી કોઈ સ્વર પ્રગટ થતો ન હતો. (Credits: - Canva)

હિંદુ પરંપરામાં ડમરુને વિશેષ પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. માન્યતા મુજબ, જ્યારે માતા સરસ્વતીનો અવતાર થયો, ત્યારે બ્રહ્માંડમાં નાદની તરંગો વ્યાપી ગઈ. પરંતુ તે સમયે દેવીની વીણામાંથી કોઈ સ્વર પ્રગટ થતો ન હતો. (Credits: - Canva)

3 / 7
ત્યારબાદ ભગવાન શિવે પોતાના ડમરુના નાદ અને તાંડવ નૃત્ય દ્વારા 14 વખત સંગીતની રચના કરી, જેના કારણે તેમને સંગીતના આદિ પ્રણેતા તરીકે માન અપાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમા ડમરુ સ્થાપિત કરવાથી અનેક શુભ ફળ પ્રાપ્ત થાય છે.જો તમે તમારા ઘરમાં ડમરુ સ્થાપિત કરો, તો તેને રોજ ઘંટની માફક વગાડવું શુભ માનવામાં આવે છે. આ ક્રિયા દ્વારા ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.

ત્યારબાદ ભગવાન શિવે પોતાના ડમરુના નાદ અને તાંડવ નૃત્ય દ્વારા 14 વખત સંગીતની રચના કરી, જેના કારણે તેમને સંગીતના આદિ પ્રણેતા તરીકે માન અપાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમા ડમરુ સ્થાપિત કરવાથી અનેક શુભ ફળ પ્રાપ્ત થાય છે.જો તમે તમારા ઘરમાં ડમરુ સ્થાપિત કરો, તો તેને રોજ ઘંટની માફક વગાડવું શુભ માનવામાં આવે છે. આ ક્રિયા દ્વારા ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.

4 / 7
વાસ્તુશાસ્ત્ર મુજબ, પૂજાઘરમાં ડમરુ સ્થાપિત કરવાથી વાસ્તુ સંબંધિત દોષો દૂર થાય છે. સાથે જ, તેને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ, પૂજાઘરમાં ડમરુ સ્થાપિત કરવાથી વાસ્તુ સંબંધિત દોષો દૂર થાય છે. સાથે જ, તેને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

5 / 7
જેમ શંખનાદથી નવી ઊર્જાનો સંચાર થાય છે, તેમ ડમરુના નાદથી ઉત્પન્ન થતી ધ્વનિ તરંગો શરીરના વિવિધ અંગોમાં સકારાત્મક પ્રભાવ પહોંચાડે છે. (Credits: - Canva)

જેમ શંખનાદથી નવી ઊર્જાનો સંચાર થાય છે, તેમ ડમરુના નાદથી ઉત્પન્ન થતી ધ્વનિ તરંગો શરીરના વિવિધ અંગોમાં સકારાત્મક પ્રભાવ પહોંચાડે છે. (Credits: - Canva)

6 / 7
ડમરુ શિવજીનું અતિ પ્રિય વાદ્ય હોવાથી, તેને પૂજાઘરમાં સ્થાપિત કરવાથી ભક્તોને ભોલેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )  (Credits: - Canva)

ડમરુ શિવજીનું અતિ પ્રિય વાદ્ય હોવાથી, તેને પૂજાઘરમાં સ્થાપિત કરવાથી ભક્તોને ભોલેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)

7 / 7

તમારી કારકિર્દીમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">