AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News : રેલવે મુસાફરો માટે ખુશખબર, ઉત્તરાયણના દિવસથી આ એપ્લિકેશન પર સસ્તામાં મળશે ટિકિટ

રેલવે બોર્ડે ‘રેલવન’ એપ પર અનરિઝર્વ્ડ ટિકિટ ડિજિટલ માધ્યમથી બુક કરનારા મુસાફરો માટે ડિસ્કાઉન્ટ/કેશબેકની જાહેરાત કરી છે. UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડથી ૩% સીધો ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે R-Wallet પર કેશબેક ચાલુ રહેશે.

| Updated on: Jan 01, 2026 | 9:06 PM
Share
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રેલવે બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રેલ મુસાફરોને અનારક્ષિત (Unreserved) ટિકિટ બુકિંગ માટે ડિજિટલ માધ્યમ અપનાવવા પ્રોત્સાહિત કરવા હેતુસર ‘રેલવન’ (RailOne) એપ પર ટિકિટ બુકિંગ કરતી વખતે મુસાફરોને સીધો ૩ ટકા લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રેલવે બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રેલ મુસાફરોને અનારક્ષિત (Unreserved) ટિકિટ બુકિંગ માટે ડિજિટલ માધ્યમ અપનાવવા પ્રોત્સાહિત કરવા હેતુસર ‘રેલવન’ (RailOne) એપ પર ટિકિટ બુકિંગ કરતી વખતે મુસાફરોને સીધો ૩ ટકા લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1 / 5
હાલમાં, રેલવન એપ પર આર-વોલેટ (R-Wallet) મારફતે અનારક્ષિત ટિકિટ બુક કરનાર મુસાફરોને ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા આપવામાં આવી રહી છે. હવે આ સુવિધાને વધુ વ્યાપક બનાવતા રેલવે બોર્ડે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર, આર-વોલેટ સિવાયના તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમો—જેમ કે UPI, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ—દ્વારા રેલવન એપ પર અનારક્ષિત ટિકિટ બુક કરવા પર મુસાફરોને ટિકિટના મૂલ્ય પર સીધો ૩ ટકા ડિસ્કાઉન્ટ (છૂટ) મળશે.

હાલમાં, રેલવન એપ પર આર-વોલેટ (R-Wallet) મારફતે અનારક્ષિત ટિકિટ બુક કરનાર મુસાફરોને ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા આપવામાં આવી રહી છે. હવે આ સુવિધાને વધુ વ્યાપક બનાવતા રેલવે બોર્ડે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર, આર-વોલેટ સિવાયના તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમો—જેમ કે UPI, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ—દ્વારા રેલવન એપ પર અનારક્ષિત ટિકિટ બુક કરવા પર મુસાફરોને ટિકિટના મૂલ્ય પર સીધો ૩ ટકા ડિસ્કાઉન્ટ (છૂટ) મળશે.

2 / 5
જો કે, આર-વોલેટ દ્વારા ટિકિટ બુકિંગ કરતી વખતે અગાઉની જેમ જ મુસાફરોને 3 ટકા બોનસ કેશબેકની સુવિધા યથાવત રાખવામાં આવશે. એટલે કે, આર-વોલેટ વપરાશકર્તાઓને કેશબેક અને અન્ય ડિજિટલ પેમેન્ટ વપરાશકર્તાઓને સીધું ડિસ્કાઉન્ટ—બન્ને રીતે લાભ આપવામાં આવશે.

જો કે, આર-વોલેટ દ્વારા ટિકિટ બુકિંગ કરતી વખતે અગાઉની જેમ જ મુસાફરોને 3 ટકા બોનસ કેશબેકની સુવિધા યથાવત રાખવામાં આવશે. એટલે કે, આર-વોલેટ વપરાશકર્તાઓને કેશબેક અને અન્ય ડિજિટલ પેમેન્ટ વપરાશકર્તાઓને સીધું ડિસ્કાઉન્ટ—બન્ને રીતે લાભ આપવામાં આવશે.

3 / 5
રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ આ 3 ટકા ડિસ્કાઉન્ટ/લાભ યોજના ૧૪ જાન્યુઆરી 2026થી 14 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યોજનાની અસર અને મુસાફરોના પ્રતિસાદ (ફીડબેક)નું મૂલ્યાંકન કરવામાં આવશે, જેના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ આ 3 ટકા ડિસ્કાઉન્ટ/લાભ યોજના ૧૪ જાન્યુઆરી 2026થી 14 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યોજનાની અસર અને મુસાફરોના પ્રતિસાદ (ફીડબેક)નું મૂલ્યાંકન કરવામાં આવશે, જેના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

4 / 5
રેલવે બોર્ડની આ પહેલથી મુસાફરોમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધશે તેમજ અનારક્ષિત ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી, સુવિધાજનક અને પારદર્શક બનશે. ડિજિટલ માધ્યમ દ્વારા ટિકિટ બુક કરવાથી મુસાફરોનો સમય બચશે અને સાથે સાથે તેમને સીધો આર્થિક લાભ પણ મળશે.

રેલવે બોર્ડની આ પહેલથી મુસાફરોમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધશે તેમજ અનારક્ષિત ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી, સુવિધાજનક અને પારદર્શક બનશે. ડિજિટલ માધ્યમ દ્વારા ટિકિટ બુક કરવાથી મુસાફરોનો સમય બચશે અને સાથે સાથે તેમને સીધો આર્થિક લાભ પણ મળશે.

5 / 5

ભારતનું અનોખું રેલવે સ્ટેશન, જેનું કોઈ નામ જ નથી, જાણવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
g clip-path="url(#clip0_868_265)">