અનેક મુખ્યમંત્રી બદલાય પરંતુ આ નેતાનું મંત્રીમંડળમાં નામ ચોક્કસ હોય છે, ભાઈનું પણ રાજકારણમાં છે મોટું નામ
આજે આપણે એક એવા નેતાની વાત કરીશું. કે તેમની ટિકિટ પાર્ટી ક્યારે પણ કાપતી નથી. આ નેતા માત્ર પાર્ટીમાં ફેમસ નથી પરંતુ લોકો વચ્ચે પણ તેમની એક મોટી છાપ છે. બંન્ને ભાઈ રાજકારણમાં છે.

ભાવનગર ગ્રામ્ય (Bhavnagar rural) વિધાનસભા બેઠક જે ભૂતકાળનાં વર્ષોમાં ઘોઘા-56 ગણાતી હતી અને આ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો. જોકે વર્ષ 2012થી અહીં ભાજપના ધારાસભ્ય જીતે છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં ઘોઘા, બુધેલ, વરતેજ, સિહોર, માઢિયા ગામડાઓનો સમાવેશ થાય છે.

એક સમયે રાજકારણમાં ઊતરેલા બે ભાઈઓ પણ ચૂંટણી પરિણામમાં મળેલી જીતને પગલે ભાવુક થયા હતા અને એકબીજાને ગળે વળગીને રડી પડ્યા હતા. આ વાત થઈ રહી છે ભાવનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય પરષોત્તમ સોંલકીની અને અમરેલીની રાજુલા જાફરાબાદ બેઠક ઉપરના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીની.

પરષોત્તમભાઈ સોલંકીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

પરષોત્તમભાઈ સોલંકી ભાઈ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ત્યારે આજે આપણે પરષોત્તમ સોલંકીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકીનો જન્મ 23 મે 1961ના રોજ મુંબઈમાં થયો છે.પરષોત્તમભાઈ સોલંકીનો દીકરી દિવ્યેશ પણ ચૂંટણીનો પ્રચાર કરતો જોવા મળે છે.

પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે. તેઓ 1998 થી ભાવનગર ગ્રામીણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે.

તેમણે ગુજરાત સરકારમાં મત્સ્યઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી છે.તેમના પર અયોગ્ય રીતે કોન્ટ્રાક્ટ આપીને ગુજરાત સરકારને 400 કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ લાગી ચૂક્યા છે.

પરષોત્તમભાઈ સોલંકી 1992-1993ના મુંબઈ રમખાણોમાં સક્રિય હિન્દુત્વવાદી અને મુખ્ય સૂત્રધાર હતો. શ્રીકૃષ્ણ કમિશન દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે, સોલંકી સૌથી આક્રમક હિન્દુત્વવાદી હતો પરંતુ તે સમયે પરષોત્તમ સોલંકી ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી હતા.

સોલંકી ગુજરાતની કોળી જ્ઞાતિમાંથી આવે છે. પરષોત્તમભાઈ સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતા છે.

તેમજ ભાવનગરમાં ખુબ મોટું નામ છે. પરષોત્તમભાઈ સોલંકી માછિમાર પરિવારની રજૂઆત સાંભળી અનેક વખત રડી પડ્યા છે.

પરષોત્તમભાઈ સોલંકીએ 2007ની વિધાનસભા ચૂંટણી (12મી વિધાનસભા ચૂંટણી) જીતી અને ગુજરાતના ભાવનગરના તળાજા મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય બન્યા હતા.

આ જીત બાદ , તેમને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા આપવા માટે પસંદ કરવામાં આવ્યા અને " મત્સ્યઉદ્યોગ મંત્રી" તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

2017માં તેઓ ભાવનગર ગ્રામીણ મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટાયા હતા.

સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના બે દિગ્ગજ કોળી નેતાઓ પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી હાલ ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યાં છે.

હીરાભાઈ સોલંકી પણ ભાઈની જેમ રાજકારણમાં સક્રિય છે, તેઓ સમાજનો પ્રશ્ન હોય કે, સામાન્ય વ્યક્તિનો કોઈ પ્રશ્ન હોય તેમના મદદ માટે હંમેશા આગળ રહે છે.

પરષોત્તમભાઈ સોલંકીના પિતાનું નામ ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી છે. જ્યારે તેમની માતાનું નામ મીરા મા છે.આજે તેમના બંન્ને દીકરા સમાજ, પાર્ટી અને લોકો વચ્ચે મોટું નામ છે.

હાલમાં અમરેલીના રાજુલાથી ધારાસભ્ય હિરા સોલંકીનો આક્રમક અંદાજ જોવા મળ્યો છે. રાજુલાના પટવા ગામના કોળી સમાજના એક શ્રમિક વ્યક્તિને માર મારવાની ઘટના સામે આવતા હિરા સોલંકી લાલઘુમ થયા હતા અને ફોન કરીને પોતાનુ દબંગ રૂપ બતાવ્યુ હતુ.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
