AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેટૂ કરાવતા પહેલા જાણી લો, નહિતર જીવનભર પસ્તાવાનો વારો આવશે!

લોકોમાં ટેટૂ કરાવવાનો શોખ વધી રહ્યો છે. જોકે, તાજેતરમાં સ્વીડિશ સંશોધન મુજબ ટેટૂ કરાવનારાઓમાં ત્વચાના કેન્સર થવાનું જોખમ થોડું વધારે હોઈ શકે છે. અભ્યાસ દર્શાવે છે કે ટેટૂ કરાવનારાઓએ સાવધાની રાખવી જરૂરી છે.

| Updated on: Nov 28, 2025 | 9:19 PM
Share
લોકોને ટેટૂ કરાવનો શોખ દિવસેને દિવસે વધતો જાય છે. તે સામાન્ય રીતે શરીરને કોઈ નુકસાન પહોંચાડતા નથી, એવું કહેવાય છે કે તે HIVનું જોખમ પણ વધારી શકે છે. જોકે, હવે એક અભ્યાસમાં ટેટૂ વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

લોકોને ટેટૂ કરાવનો શોખ દિવસેને દિવસે વધતો જાય છે. તે સામાન્ય રીતે શરીરને કોઈ નુકસાન પહોંચાડતા નથી, એવું કહેવાય છે કે તે HIVનું જોખમ પણ વધારી શકે છે. જોકે, હવે એક અભ્યાસમાં ટેટૂ વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

1 / 6
સ્વીડિશ યુનિવર્સિટીના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેટૂ કરાવવાથી ત્વચાના કેન્સરનું જોખમ વધે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટેટૂ કરાવનારાઓમાં ટેટૂ વગરના લોકો કરતાં મેલાનોમા (ત્વચાનું કેન્સરનો એક પ્રકાર) નું જોખમ વધુ હતું.

સ્વીડિશ યુનિવર્સિટીના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેટૂ કરાવવાથી ત્વચાના કેન્સરનું જોખમ વધે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટેટૂ કરાવનારાઓમાં ટેટૂ વગરના લોકો કરતાં મેલાનોમા (ત્વચાનું કેન્સરનો એક પ્રકાર) નું જોખમ વધુ હતું.

2 / 6
આ અભ્યાસમાં 20 થી 60 વર્ષની વયના 2,880 લોકોનો સમાવેશ થાય છે જેમને મેલાનોમા (ત્વચાનું કેન્સર) થયું હતું. અભ્યાસ સૂચવે છે કે 10 વર્ષથી વધુ સમયથી ટેટૂ કરાવનારાઓને વધુ જોખમ રહેલું છે.

આ અભ્યાસમાં 20 થી 60 વર્ષની વયના 2,880 લોકોનો સમાવેશ થાય છે જેમને મેલાનોમા (ત્વચાનું કેન્સર) થયું હતું. અભ્યાસ સૂચવે છે કે 10 વર્ષથી વધુ સમયથી ટેટૂ કરાવનારાઓને વધુ જોખમ રહેલું છે.

3 / 6
જ્યારે ટેટૂ બનાવાય છે અને શાહી ત્વચામાં દાખલ થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલાની પર પ્રતિક્રિયા કરવાનું શરૂ કરે છે, અને રોગપ્રતિકારક કોષો શાહીના રંગને પકડીને લસિકા ગાંઠ સુધી લઈ જાય છે. ટેટૂની શાહીમાં કાર્સિનોજેનિક ગણાતા રસાયણો પણ હોય છે જે કેન્સર જેવી બીમારીનો કારણ બની શકે છે.

જ્યારે ટેટૂ બનાવાય છે અને શાહી ત્વચામાં દાખલ થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલાની પર પ્રતિક્રિયા કરવાનું શરૂ કરે છે, અને રોગપ્રતિકારક કોષો શાહીના રંગને પકડીને લસિકા ગાંઠ સુધી લઈ જાય છે. ટેટૂની શાહીમાં કાર્સિનોજેનિક ગણાતા રસાયણો પણ હોય છે જે કેન્સર જેવી બીમારીનો કારણ બની શકે છે.

4 / 6
આ અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું નથી કે ટેટૂ સીધા ત્વચાના કેન્સર સાથે જોડાયેલા નથી, પરંતુ તે જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં, ટેટૂ કરાવનારાઓએ ગભરાવાની જરૂર નથી, પરંતુ તેમણે કરાવતા પહેલા ચોક્કસપણે સાવધાની રાખવી જોઈએ. ટેટૂ સારી જગ્યાએ કરાવો. ટેટૂ કરાવ્યા પછી, ખાસ કરીને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાં, તે વિસ્તારને કપડાંથી ઢાંકીને અથવા સનસ્ક્રીન લગાવીને તમારી ત્વચાની યોગ્ય કાળજી લો. જો ત્વચાના રંગમાં ફેરફાર થાય, ટેટૂ કરાવેલા વિસ્તારની નજીક સતત ખંજવાળ આવે, તો ડૉક્ટરની સલાહ લો. આ બાબતમાં બેદરકાર ન બનો.

આ અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું નથી કે ટેટૂ સીધા ત્વચાના કેન્સર સાથે જોડાયેલા નથી, પરંતુ તે જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં, ટેટૂ કરાવનારાઓએ ગભરાવાની જરૂર નથી, પરંતુ તેમણે કરાવતા પહેલા ચોક્કસપણે સાવધાની રાખવી જોઈએ. ટેટૂ સારી જગ્યાએ કરાવો. ટેટૂ કરાવ્યા પછી, ખાસ કરીને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાં, તે વિસ્તારને કપડાંથી ઢાંકીને અથવા સનસ્ક્રીન લગાવીને તમારી ત્વચાની યોગ્ય કાળજી લો. જો ત્વચાના રંગમાં ફેરફાર થાય, ટેટૂ કરાવેલા વિસ્તારની નજીક સતત ખંજવાળ આવે, તો ડૉક્ટરની સલાહ લો. આ બાબતમાં બેદરકાર ન બનો.

5 / 6
અભ્યાસ સૂચવે છે કે જે લોકોએ ટેટૂ કરાવ્યા છે તેઓએ ગભરાવાની જરૂર નથી. આ સંશોધન ફક્ત જાગૃતિ અને સાવધાની વધારવા માટે કામ કરે છે. ટેટૂવાળા વિસ્તારને ઢાંકીને રાખવો અને જો કોઈ લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

અભ્યાસ સૂચવે છે કે જે લોકોએ ટેટૂ કરાવ્યા છે તેઓએ ગભરાવાની જરૂર નથી. આ સંશોધન ફક્ત જાગૃતિ અને સાવધાની વધારવા માટે કામ કરે છે. ટેટૂવાળા વિસ્તારને ઢાંકીને રાખવો અને જો કોઈ લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

6 / 6

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
g clip-path="url(#clip0_868_265)">