AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું, હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઇ

Breaking News: અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું, હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2026 | 10:03 AM
Share

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા છે, જ્યારે સાદા મેલેરિયાના 76 અને ઝેરી મેલેરિયાના 14 કેસ સામે આવ્યા છે. રોગચાળાના વધતા કેસને કારણે આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા છે, જ્યારે સાદા મેલેરિયાના 76 અને ઝેરી મેલેરિયાના 14 કેસ સામે આવ્યા છે. રોગચાળાના વધતા કેસને કારણે આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.

વાયરલ ફીવર અને શરદી-ઉધરસના કેસ વધ્યા

વરસાદ બાદ વાતાવરણમાં આવેલા ફેરફારની વચ્ચે વાયરલ ફીવર તેમજ શરદી-ઉધરસના કેસમાં પણ વધારો નોંધાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો તાવ, શરદી અને ઉધરસ જેવી બીમારીઓની ફરિયાદ સાથે સારવાર માટે પહોંચી રહ્યા છે.

મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી લોકો પરેશાન

વરસાદી પાણીના ભરાવા અને મચ્છરોના ઉપદ્રવને કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું જોખમ વધ્યું છે. બીજી તરફ દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોના કેસમાં પણ વધારો થવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોમાં ચિંતા સાથે હાલાકી પણ વધી છે.

સ્વાઈન ફ્લૂના કેસ વધતા આરોગ્ય તંત્ર એલર્ટ

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસમાં પણ વધારો નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના 9 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે વધુ 18 દર્દીઓ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિને પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સારવાર અને દેખરેખ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

વરસાદ બાદ રોગચાળો વધતા સાવચેતી જરૂરી

વરસાદી માહોલ બાદ રોગચાળો વકરવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લોકો માટે સાવચેતી રાખવી મહત્વપૂર્ણ બની છે. આસપાસ પાણી ભરાઈ ન રહે તે અંગે તકેદારી રાખવા અને તાવ, શરદી-ઉધરસ જેવા લક્ષણો જણાય તો સમયસર તબીબી સારવાર લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.

આ પણ વાંચો- Ahmedabad Breaking News : રેલવે સ્ટેશને ખાવાનું ખાતા પહેલાં સાવધાન! બેઝ કિચનમાં ગંદકી જોઈ DRM પણ ચોંકી ગયા, ₹5 લાખનો દંડ !

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">