Raksha Bandhan Muhurat 2026: રાખડી બાંધવાનો શુભ સમય 9:48 સુધી જ, શું ત્યારબાદ રાખડી નહીં બાંધી શકાય?
આ દિવસે શુભ મુહૂર્ત ફક્ત 9:48 AM સુધી જ છે. પરંપરાગત રીતે આ તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસની અંદર ભદ્રા મુક્ત સમયગાળા દરમિયાન ઉજવવામાં આવે છે. પરિણામે, લોકો કહી રહ્યા છે કે આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 9:48 AM પહેલાનો સમય પૂરતો મર્યાદિત છે.

આ વર્ષે, રક્ષાબંધનનો તહેવાર શુક્રવાર, 28 ઓગસ્ટના રોજ આવે છે. તે દિવસે શ્રાવણ મહિનાનો પૂર્ણિમાનો દિવસ છે ત્યારે આ દિવસે શુભ મુહૂર્ત ફક્ત 9:48 AM સુધી જ છે. પરંપરાગત રીતે આ તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસની અંદર ભદ્રા મુક્ત સમયગાળા દરમિયાન ઉજવવામાં આવે છે. પરિણામે, લોકો કહી રહ્યા છે કે આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 9:48 AM પહેલાનો સમય પૂરતો મર્યાદિત છે. તો, જે લોકો દિવસભર આ તહેવાર ઉજવે છે. ત્યારે તેમણે શું કરવું જોઈએ? જો રાખડી સવારે 9:48 AM પછી બાંધવામાં આવે તો શું થાય?

રક્ષાબંધન મુહૂર્ત 2026 : શ્રાવણ પૂર્ણિમા તિથિ ની શરૂઆત: 27 ઓગસ્ટ, ગુરુવાર, સવારે 9:08 વાગ્યે શરુ થાય છે અને સમાપ્તિ 28 ઓગસ્ટ, શુક્રવાર, સવારે 9:48 વાગ્યે છે. આથી રાખડી બાંધવાનો શુભ સમય: સવારે 5:57 થી સવારે 9:48 વાગ્યા સુધીનો જ છે.

આ વર્ષે, રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે 3 કલાક 51 મિનિટનો સમય ઉપલબ્ધ છે. આ સમયગાળો સૂર્યોદયથી પૂર્ણિમા તિથિના સમાપન સુધી ગણવામાં આવે છે. આ પછી, ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષનો પ્રતિપદા તિથિશરૂ થાય છે.

એ વાત જાણીતી છે કે રક્ષાબંધન પર, બહેનો તેમના ભાઈઓના ઘરે જાય છે અથવા ભાઈઓ તેમની બહેનોના ઘરે જાય છે. લોકોને ઘણીવાર શહેરો વચ્ચે મુસાફરી કરવી પડે છે, જેમાં ઘણો સમય લાગે છે. ફક્ત 3 કલાક અને 51 મિનિટનો સમય દરેક માટે અનુકૂળ નથી.

શાસ્ત્રો અનુસાર, શ્રાવણ પૂર્ણિમાની તિથિ દરમિયાન રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. આ દિવસે ભદ્રાકાળથી મુક્ત શુભ સમય પસંદ કરી શકાય છે. આ ઉપરાંત અભિજીત મુહૂર્ત અથવા શુભ ચોઘડિયું પણ રાખડી બાંધવા માટે યોગ્ય માનવામાં આવે છે. ઉદય તિથિ અનુસાર, શ્રાવણ પૂર્ણિમાની તિથિ 28 ઓગસ્ટે આખો દિવસ રહેશે. જો કોઈ બહેન સવારે 9:48 વાગ્યા સુધી ભાઈને રાખડી ન બાંધી શકે, તો રાહુકાળ અને યમગંડનો સમય ટાળીને ત્યારબાદ રાખડી બાંધી શકાય છે.

રક્ષાબંધન પર, રાહુ કાળ સવારે 10:46 થી બપોરે 12:22 વાગ્યાની વચ્ચે છે, જ્યારે યમગણ્ડ બપોરે 3:35 થી સાંજે 5:11 વાગ્યાની વચ્ચે હોય છે. રક્ષાબંધન એ ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમના બંધનની ઉજવણીનો તહેવાર છે. આ પ્રસંગે, ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લે છે, જ્યારે બહેનો તેમના ભાઈઓની સમૃદ્ધિ અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે.
રાખડી ભાઈના જમણા હાથના કાંડા પર જ કેમ બાંધવામાં આવે છે? જાણો કારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
