AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્લડ સુગરને કુદરતી રીતે કાબૂમાં કરવા શું ખાવું ? ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે આ ‘સુપરફૂડ્સ’

આજકાલની ભાગદોડભરી જિંદગીમાં આપણે ઘણીવાર આપણા સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખી શકતા નથી. બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાણીપીણીને કારણે ડાયાબિટીસ જેવી સમસ્યા હવે ખૂબ જ સામાન્ય બની ગઈ છે.

| Updated on: Mar 28, 2026 | 3:51 PM
Share
આજની ભાગદોડભરી જીંદગીમાં ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર (Unhealthy Diet) જાણે આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ જ કારણ છે કે, આજે ડાયાબિટીસ જેવી 'સાયલન્ટ કિલર' ગણાતી બીમારી ઘરે-ઘરે પગપેસારો કરી રહી છે. ડાયાબિટીસ માત્ર બ્લડ સુગર વધવાની સમસ્યા નથી પરંતુ તે શરીરના બીજા અંગો જેવા કે હૃદય, કિડની અને આંખો પર પણ ગંભીર અસર કરી શકે છે.

આજની ભાગદોડભરી જીંદગીમાં ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર (Unhealthy Diet) જાણે આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ જ કારણ છે કે, આજે ડાયાબિટીસ જેવી 'સાયલન્ટ કિલર' ગણાતી બીમારી ઘરે-ઘરે પગપેસારો કરી રહી છે. ડાયાબિટીસ માત્ર બ્લડ સુગર વધવાની સમસ્યા નથી પરંતુ તે શરીરના બીજા અંગો જેવા કે હૃદય, કિડની અને આંખો પર પણ ગંભીર અસર કરી શકે છે.

1 / 5
ખરાબ જીવનશૈલી અને અનહેલ્થી ફૂડને કારણે ડાયાબિટીસ જેવી 'સાયલન્ટ કિલર' બીમારીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જો તમે ડાયાબિટીસની ઝપેટમાં આવવાથી બચવા માંગતા હોવ, તો તમારે તમારી જીવનશૈલી અને ડાયટ પ્લાનમાં સુધારો કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

ખરાબ જીવનશૈલી અને અનહેલ્થી ફૂડને કારણે ડાયાબિટીસ જેવી 'સાયલન્ટ કિલર' બીમારીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જો તમે ડાયાબિટીસની ઝપેટમાં આવવાથી બચવા માંગતા હોવ, તો તમારે તમારી જીવનશૈલી અને ડાયટ પ્લાનમાં સુધારો કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

2 / 5
મેથી દાણા માત્ર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્યને સુધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. તમારે રાત્રે મેથી દાણાને પાણીમાં પલાળી રાખવાના છે. બીજે દિવસે સવારે આ મેથી દાણાને ચાવીને ખાઈ જાઓ અને તેનું પાણી પી લો. પોષક તત્વોથી ભરપૂર મેથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. ડાયાબિટીસના દર્દીઓ મેથીનું સેવન શરૂ કરી શકે છે.

મેથી દાણા માત્ર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્યને સુધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. તમારે રાત્રે મેથી દાણાને પાણીમાં પલાળી રાખવાના છે. બીજે દિવસે સવારે આ મેથી દાણાને ચાવીને ખાઈ જાઓ અને તેનું પાણી પી લો. પોષક તત્વોથી ભરપૂર મેથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. ડાયાબિટીસના દર્દીઓ મેથીનું સેવન શરૂ કરી શકે છે.

3 / 5
જણાવી દઈએ કે, બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે તજને ડાયટ પ્લાનમાં ઉમેરી શકાય છે. વધુ સારા પરિણામો મેળવવા માટે સવારે ખાલી પેટે તજના ઉકાળાનું સેવન કરી શકાય છે. જો કે, તમારે તજનો ઉપયોગ ઓછી માત્રામાં જ કરવો જોઈએ અને આ મસાલાનું સેવન કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

જણાવી દઈએ કે, બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે તજને ડાયટ પ્લાનમાં ઉમેરી શકાય છે. વધુ સારા પરિણામો મેળવવા માટે સવારે ખાલી પેટે તજના ઉકાળાનું સેવન કરી શકાય છે. જો કે, તમારે તજનો ઉપયોગ ઓછી માત્રામાં જ કરવો જોઈએ અને આ મસાલાનું સેવન કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

4 / 5
ડાયાબિટીસના દર્દીઓને અવારનવાર દલિયા અથવા ઓટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. દલિયા અને ઓટ્સ માત્ર વજન ઘટાડવા માટે જ નહીં પરંતુ બ્લડ સુગર લેવલ પર કાબૂ મેળવવા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, દલિયા અને ઓટ્સમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓને અવારનવાર દલિયા અથવા ઓટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. દલિયા અને ઓટ્સ માત્ર વજન ઘટાડવા માટે જ નહીં પરંતુ બ્લડ સુગર લેવલ પર કાબૂ મેળવવા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, દલિયા અને ઓટ્સમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

5 / 5
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

Chronic Cough Warning : સામાન્ય ખાંસી ક્યારે બની જાય ટીબી? જાણો લક્ષણો અને મોડું નિદાન કેમ ખતરનાક

Follow Us
g clip-path="url(#clip0_868_265)">