AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભોજનની થાળી અને હાથમાં મોબાઈલ? જમતી વખતે મોબાઈલ જોવાની આ આદત શરીરને અંદરથી ખોખલું કરી નાખશે!

મોબાઈલ સ્ક્રીન સામે જોઈને જમવું એ માત્ર એક આદત નથી પણ સ્લો પોઈઝન છે! આયુર્વેદથી લઈને મોર્ડન સાયન્સ પણ માને છે કે સ્ક્રીન એડિક્શન તમારા મગજને પાચન માટેના જરૂરી સિગ્નલ આપતા રોકે છે. તેનાથી ગેસ, એસિડિટી, મેદસ્વીતા અને બાળકોમાં અતિશય ગુસ્સો વધે છે.

| Updated on: May 20, 2026 | 8:54 AM
Share
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનું એક એવું અંગ બની ગયો છે જેના વિના આપણે એક ક્ષણ પણ રહી શકતા નથી. સવારની પહેલી કિરણથી લઈને રાત્રે આંખો બંધ થાય ત્યાં સુધી આપણી નજર સ્ક્રીન પર જ ટકેલી હોય છે. આ વળગણ હવે બેડરૂમથી બાથરૂમ અને ત્યાંથી ડાઇનિંગ ટેબલ સુધી પહોંચી ગયું છે, જે દેખાવામાં ભલે સામાન્ય લાગે પણ અંદરથી શરીરને ખતમ કરી રહ્યું છે.

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનું એક એવું અંગ બની ગયો છે જેના વિના આપણે એક ક્ષણ પણ રહી શકતા નથી. સવારની પહેલી કિરણથી લઈને રાત્રે આંખો બંધ થાય ત્યાં સુધી આપણી નજર સ્ક્રીન પર જ ટકેલી હોય છે. આ વળગણ હવે બેડરૂમથી બાથરૂમ અને ત્યાંથી ડાઇનિંગ ટેબલ સુધી પહોંચી ગયું છે, જે દેખાવામાં ભલે સામાન્ય લાગે પણ અંદરથી શરીરને ખતમ કરી રહ્યું છે.

1 / 8
આપણા પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને આયુર્વેદમાં ભોજનને એક પવિત્ર આહુતિ અને આધ્યાત્મિક સાધના માનવામાં આવી છે. જ્યારે આપણે શાંત અને ખુશ મને ભોજન કરીએ છીએ, ત્યારે જ તે શરીરમાં 'અમૃત' સમાન કામ કરે છે. પરંતુ જ્યારે ધ્યાન ઈન્સ્ટાગ્રામ રીલ્સ કે યુટ્યુબ વીડિયોમાં હોય, ત્યારે મન અને શરીરનું કનેક્શન તૂટી જાય છે અને ભોજન ઝેરમાં ફેરવાઈ જાય છે.

આપણા પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને આયુર્વેદમાં ભોજનને એક પવિત્ર આહુતિ અને આધ્યાત્મિક સાધના માનવામાં આવી છે. જ્યારે આપણે શાંત અને ખુશ મને ભોજન કરીએ છીએ, ત્યારે જ તે શરીરમાં 'અમૃત' સમાન કામ કરે છે. પરંતુ જ્યારે ધ્યાન ઈન્સ્ટાગ્રામ રીલ્સ કે યુટ્યુબ વીડિયોમાં હોય, ત્યારે મન અને શરીરનું કનેક્શન તૂટી જાય છે અને ભોજન ઝેરમાં ફેરવાઈ જાય છે.

2 / 8
આજે સ્થિતિ એવી વિકટ બની ગઈ છે કે સામે મોબાઈલ કે ટીવી ચાલુ ન હોય તો ગળા નીચે કોળિયો ઉતરતો નથી. ખાસ કરીને બાળકોમાં આ જીદ એટલી હદે વધી ગઈ છે કે તેમને ખબર જ નથી હોતી કે તેઓ કયું શાક, દાળ કે રોટલી ખાઈ રહ્યા છે. ખોરાકનો અસલી સ્વાદ, સુગંધ અને રંગ માણ્યા વિના માત્ર યાંત્રિક રીતે મોં ચલાવવાની આ આદત એક ગંભીર નશો બની ગઈ છે.

આજે સ્થિતિ એવી વિકટ બની ગઈ છે કે સામે મોબાઈલ કે ટીવી ચાલુ ન હોય તો ગળા નીચે કોળિયો ઉતરતો નથી. ખાસ કરીને બાળકોમાં આ જીદ એટલી હદે વધી ગઈ છે કે તેમને ખબર જ નથી હોતી કે તેઓ કયું શાક, દાળ કે રોટલી ખાઈ રહ્યા છે. ખોરાકનો અસલી સ્વાદ, સુગંધ અને રંગ માણ્યા વિના માત્ર યાંત્રિક રીતે મોં ચલાવવાની આ આદત એક ગંભીર નશો બની ગઈ છે.

3 / 8
જ્યારે આપણું મગજ મોબાઈલ સ્ક્રીનમાં વ્યસ્ત હોય છે, ત્યારે તે પેટને પાચક રસો (એન્ઝાઇમ્સ અને એસિડ) મુક્ત કરવાનો સમયસર સંકેત આપી શકતું નથી. આનાથી પાચન શક્તિ નબળી પડે છે. અધૂરામાં પૂરું, ડિસ્ટ્રેક્શનના કારણે આપણે ખોરાકને બરાબર ચાવતા નથી, જેના લીધે પેટને બમણી મહેનત કરવી પડે છે અને ગેસ-અપચો કાયમી ઘર કરી જાય છે.

જ્યારે આપણું મગજ મોબાઈલ સ્ક્રીનમાં વ્યસ્ત હોય છે, ત્યારે તે પેટને પાચક રસો (એન્ઝાઇમ્સ અને એસિડ) મુક્ત કરવાનો સમયસર સંકેત આપી શકતું નથી. આનાથી પાચન શક્તિ નબળી પડે છે. અધૂરામાં પૂરું, ડિસ્ટ્રેક્શનના કારણે આપણે ખોરાકને બરાબર ચાવતા નથી, જેના લીધે પેટને બમણી મહેનત કરવી પડે છે અને ગેસ-અપચો કાયમી ઘર કરી જાય છે.

4 / 8
આપણા શરીરમાં એક અદભુત સિસ્ટમ છે - પેટ ભરાઈ જતાં જ મગજ 'તૃપ્તિ'નો સંકેત આપે છે. પરંતુ સ્ક્રીનમાં ડૂબેલા રહેવાને કારણે આ સંકેત મગજ સુધી પહોંચતો જ નથી. પરિણામે કાં તો વ્યક્તિ ભૂખ કરતાં ઘણું વધારે ખાઈ લે છે (ઓવરઇટિંગ) અથવા તો કોઈ રોમાંચક વીડિયો ગેમની ધૂનમાં ભૂખ્યા હોવા છતાં અધવચ્ચેથી જમવાનું છોડી દે છે.

આપણા શરીરમાં એક અદભુત સિસ્ટમ છે - પેટ ભરાઈ જતાં જ મગજ 'તૃપ્તિ'નો સંકેત આપે છે. પરંતુ સ્ક્રીનમાં ડૂબેલા રહેવાને કારણે આ સંકેત મગજ સુધી પહોંચતો જ નથી. પરિણામે કાં તો વ્યક્તિ ભૂખ કરતાં ઘણું વધારે ખાઈ લે છે (ઓવરઇટિંગ) અથવા તો કોઈ રોમાંચક વીડિયો ગેમની ધૂનમાં ભૂખ્યા હોવા છતાં અધવચ્ચેથી જમવાનું છોડી દે છે.

5 / 8
વગર વિચારે અને માત્ર સ્ક્રીન સામે જોઈને ખાધેલું ભોજન શરીરમાં ચરબી (ફેટ) સ્વરૂપે જમા થવા લાગે છે. આજકાલ નાના બાળકો અને યુવાનોમાં વધતા જતા મોટાપા (Obesity) પાછળનું મુખ્ય કારણ આ જ ખોટી આદત છે. આ અપાચિત ખોરાક ભવિષ્યમાં ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓનો પાયો નાખે છે.

વગર વિચારે અને માત્ર સ્ક્રીન સામે જોઈને ખાધેલું ભોજન શરીરમાં ચરબી (ફેટ) સ્વરૂપે જમા થવા લાગે છે. આજકાલ નાના બાળકો અને યુવાનોમાં વધતા જતા મોટાપા (Obesity) પાછળનું મુખ્ય કારણ આ જ ખોટી આદત છે. આ અપાચિત ખોરાક ભવિષ્યમાં ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓનો પાયો નાખે છે.

6 / 8
ભોજનનો સમય એવો હોવો જોઈએ જ્યારે મન સૌથી વધુ શાંત હોય. પરંતુ સોશિયલ મીડિયાના ઉત્તેજક વીડિયોઝના કારણે મગજ સતત 'હાયપર-એક્ટિવ' મોડમાં રહે છે. આનાથી માનસિક થાક, અનિદ્રા અને ચિડચિડાપણું વધે છે. જે બાળકો ફોન જોઈને જમે છે, તેમનામાં ગુસ્સો અને જિદ્દીપણું આસમાને પહોંચી જાય છે.

ભોજનનો સમય એવો હોવો જોઈએ જ્યારે મન સૌથી વધુ શાંત હોય. પરંતુ સોશિયલ મીડિયાના ઉત્તેજક વીડિયોઝના કારણે મગજ સતત 'હાયપર-એક્ટિવ' મોડમાં રહે છે. આનાથી માનસિક થાક, અનિદ્રા અને ચિડચિડાપણું વધે છે. જે બાળકો ફોન જોઈને જમે છે, તેમનામાં ગુસ્સો અને જિદ્દીપણું આસમાને પહોંચી જાય છે.

7 / 8
આ નુકસાનકારક આદતને બદલવી અશક્ય નથી, બસ થોડા સંકલ્પની જરૂર છે. સૌથી પહેલાં તમારા ડાઇનિંગ ટેબલને 'નો ફોન ઝોન' જાહેર કરો. જમતી વખતે પરિવારના તમામ સભ્યો સાથે બેસો, દિવસભરની વાતો કરો અને સુખ-દુઃખ વહેંચો. આનાથી સંબંધો પણ મજબૂત થશે અને મોબાઈલની જરૂર જ નહીં પડે.

આ નુકસાનકારક આદતને બદલવી અશક્ય નથી, બસ થોડા સંકલ્પની જરૂર છે. સૌથી પહેલાં તમારા ડાઇનિંગ ટેબલને 'નો ફોન ઝોન' જાહેર કરો. જમતી વખતે પરિવારના તમામ સભ્યો સાથે બેસો, દિવસભરની વાતો કરો અને સુખ-દુઃખ વહેંચો. આનાથી સંબંધો પણ મજબૂત થશે અને મોબાઈલની જરૂર જ નહીં પડે.

8 / 8

પોસ્ટમોર્ટમ રૂમમાં એવું શું થાય છે : મૃત્યુ પછી મોતના અસલી ગુનેગારને કેવી રીતે પકડે છે ડૉક્ટર્સ ?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">