AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીયો માટે ‘સ્વર્ગ’ પણ ફોરેનર્સ માટે ‘નો એન્ટ્રી’, ભારતનું એક એવું ગામ જ્યાં વિદેશી પ્રવાસીઓ પર છે ‘પ્રતિબંધ’

આપણા દેશની સુંદરતા જોવા માટે દર વર્ષે લાખો વિદેશી પ્રવાસીઓ ભારત આવે છે. હિમાલયના પહાડો હોય કે રાજસ્થાનનું રણ, દરેક જગ્યાએ તમને વિદેશીઓ જોવા મળે છે પરંતુ શું તમે જાણો છો કે, ભારતમાં જ એક એવું 'સ્વર્ગ' જેવું સુંદર ગામ આવેલું છે, જ્યાં વિદેશી પ્રવાસીઓ માટે દરવાજા હંમેશ માટે બંધ છે?

| Updated on: Mar 23, 2026 | 4:37 PM
Share
ભારતનો પોતાનો સમૃદ્ધ ઇતિહાસ છે અને તે તેની સંસ્કૃતિની સાથે-સાથે પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે. અહીંના તળાવો, ઝરણાં અને પહાડોની સુંદરતા માત્ર ભારતીયોને જ નહીં પરંતુ વિદેશીઓને પણ પોતાની તરફ ખેંચે છે. આ જ કારણ છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ ભારતની સુંદરતા જોવા માટે આવે છે.

ભારતનો પોતાનો સમૃદ્ધ ઇતિહાસ છે અને તે તેની સંસ્કૃતિની સાથે-સાથે પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે. અહીંના તળાવો, ઝરણાં અને પહાડોની સુંદરતા માત્ર ભારતીયોને જ નહીં પરંતુ વિદેશીઓને પણ પોતાની તરફ ખેંચે છે. આ જ કારણ છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ ભારતની સુંદરતા જોવા માટે આવે છે.

1 / 5
એવામાં શું તમે જાણો છો કે, ભારતમાં એક એવું ગામ પણ છે કે, જ્યાં માત્ર ભારતીયોને જ જવાની મંજૂરી છે અને કોઈ પણ વિદેશી પ્રવાસી ત્યાં પ્રવેશ કરી શકતો નથી?

એવામાં શું તમે જાણો છો કે, ભારતમાં એક એવું ગામ પણ છે કે, જ્યાં માત્ર ભારતીયોને જ જવાની મંજૂરી છે અને કોઈ પણ વિદેશી પ્રવાસી ત્યાં પ્રવેશ કરી શકતો નથી?

2 / 5
ભારતનું આ અનોખું ગામ દેશની રાજધાની નવી દિલ્હીથી લગભગ 300 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉત્તરાખંડની વાદીઓમાં વસેલા આ ગામનું નામ 'ચક્રાતા' છે. અહીં ભારત સિવાય બીજા કોઈ પણ દેશના લોકોને ગામમાં આવવાની પરવાનગી નથી. ઉત્તરાખંડનું આ ગામ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીં આવેલા તળાવો, ઝરણાં અને સુંદર વાદીઓ દેશના અલગ-અલગ ભાગોમાં રહેતા લોકોનું ધ્યાન ખેંચે છે. આટલું જ નહીં, વિદેશમાં રહેતા લોકો પણ આ ગામની મુલાકાત લેવા ઈચ્છે છે પરંતુ તેઓ આ ગામની સુંદરતાને નજીકથી જોઈ શકતા નથી.

ભારતનું આ અનોખું ગામ દેશની રાજધાની નવી દિલ્હીથી લગભગ 300 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉત્તરાખંડની વાદીઓમાં વસેલા આ ગામનું નામ 'ચક્રાતા' છે. અહીં ભારત સિવાય બીજા કોઈ પણ દેશના લોકોને ગામમાં આવવાની પરવાનગી નથી. ઉત્તરાખંડનું આ ગામ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીં આવેલા તળાવો, ઝરણાં અને સુંદર વાદીઓ દેશના અલગ-અલગ ભાગોમાં રહેતા લોકોનું ધ્યાન ખેંચે છે. આટલું જ નહીં, વિદેશમાં રહેતા લોકો પણ આ ગામની મુલાકાત લેવા ઈચ્છે છે પરંતુ તેઓ આ ગામની સુંદરતાને નજીકથી જોઈ શકતા નથી.

3 / 5
છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી પ્રવાસીઓએ બાઇક ટૂર દરમિયાન આ ગામમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને ક્યારેય અહીંથી પસાર થવા દેવામાં આવ્યા નથી. વાત એમ છે કે, ઉત્તરાખંડના આ ગામમાં ભારતીય સેનાનો મિલિટરી બેઝ આવેલો છે. બીજું કે, અહીંથી ચીનનું અંતર પણ ઘણું ઓછું છે. વર્ષ 1962માં થયેલા ભારત-ચીન યુદ્ધ પછી અહીં તિબેટીયન યુનિટ જમા થયું હતું. આવી સ્થિતિમાં, સુરક્ષાના કારણોસર અહીં કોઈ પણ વિદેશી પ્રવાસીને પ્રવેશ આપવામાં આવતો નથી. જો કે, ભારતીય નાગરિકો અહીં જઈ શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી પ્રવાસીઓએ બાઇક ટૂર દરમિયાન આ ગામમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને ક્યારેય અહીંથી પસાર થવા દેવામાં આવ્યા નથી. વાત એમ છે કે, ઉત્તરાખંડના આ ગામમાં ભારતીય સેનાનો મિલિટરી બેઝ આવેલો છે. બીજું કે, અહીંથી ચીનનું અંતર પણ ઘણું ઓછું છે. વર્ષ 1962માં થયેલા ભારત-ચીન યુદ્ધ પછી અહીં તિબેટીયન યુનિટ જમા થયું હતું. આવી સ્થિતિમાં, સુરક્ષાના કારણોસર અહીં કોઈ પણ વિદેશી પ્રવાસીને પ્રવેશ આપવામાં આવતો નથી. જો કે, ભારતીય નાગરિકો અહીં જઈ શકે છે.

4 / 5
અહીં પહોંચવા પર તમને 100 મીટરની ઊંચાઈએથી પડતો 'ટાઈગર ફોલ' પણ જોવા મળશે. જો કે, ત્યાં પહોંચવા માટે તમારે લગભગ 6 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડશે, કારણ કે 'ટાઈગર ફોલ' સુધી કોઈ પણ પ્રકારનું વાહન જઈ શકતું નથી. આ સિવાય, ચક્રાતાથી ચાર કિલોમીટર દૂર 'ચિરમિરી' પહોંચીને તમે સૂર્યાસ્તનો અદભૂત નજારો પણ માણી શકો છો.

અહીં પહોંચવા પર તમને 100 મીટરની ઊંચાઈએથી પડતો 'ટાઈગર ફોલ' પણ જોવા મળશે. જો કે, ત્યાં પહોંચવા માટે તમારે લગભગ 6 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડશે, કારણ કે 'ટાઈગર ફોલ' સુધી કોઈ પણ પ્રકારનું વાહન જઈ શકતું નથી. આ સિવાય, ચક્રાતાથી ચાર કિલોમીટર દૂર 'ચિરમિરી' પહોંચીને તમે સૂર્યાસ્તનો અદભૂત નજારો પણ માણી શકો છો.

5 / 5

Wedding Ritual: ભારતનું એક એવું ગામ જ્યાં માણસો નહીં પણ દેડકા પરણે છે ! આખું ગામ બને છે જાનૈયા અને શાસ્ત્રોક્ત વિધિથી થાય છે લગ્ન

Follow Us
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ
વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ
ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું
ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
g clip-path="url(#clip0_868_265)">