AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીયો માટે ‘સ્વર્ગ’ પણ ફોરેનર્સ માટે ‘નો એન્ટ્રી’, ભારતનું એક એવું ગામ જ્યાં વિદેશી પ્રવાસીઓ પર છે ‘પ્રતિબંધ’

આપણા દેશની સુંદરતા જોવા માટે દર વર્ષે લાખો વિદેશી પ્રવાસીઓ ભારત આવે છે. હિમાલયના પહાડો હોય કે રાજસ્થાનનું રણ, દરેક જગ્યાએ તમને વિદેશીઓ જોવા મળે છે પરંતુ શું તમે જાણો છો કે, ભારતમાં જ એક એવું 'સ્વર્ગ' જેવું સુંદર ગામ આવેલું છે, જ્યાં વિદેશી પ્રવાસીઓ માટે દરવાજા હંમેશ માટે બંધ છે?

| Updated on: Mar 23, 2026 | 4:37 PM
Share
ભારતનો પોતાનો સમૃદ્ધ ઇતિહાસ છે અને તે તેની સંસ્કૃતિની સાથે-સાથે પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે. અહીંના તળાવો, ઝરણાં અને પહાડોની સુંદરતા માત્ર ભારતીયોને જ નહીં પરંતુ વિદેશીઓને પણ પોતાની તરફ ખેંચે છે. આ જ કારણ છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ ભારતની સુંદરતા જોવા માટે આવે છે.

ભારતનો પોતાનો સમૃદ્ધ ઇતિહાસ છે અને તે તેની સંસ્કૃતિની સાથે-સાથે પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે. અહીંના તળાવો, ઝરણાં અને પહાડોની સુંદરતા માત્ર ભારતીયોને જ નહીં પરંતુ વિદેશીઓને પણ પોતાની તરફ ખેંચે છે. આ જ કારણ છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ ભારતની સુંદરતા જોવા માટે આવે છે.

1 / 5
એવામાં શું તમે જાણો છો કે, ભારતમાં એક એવું ગામ પણ છે કે, જ્યાં માત્ર ભારતીયોને જ જવાની મંજૂરી છે અને કોઈ પણ વિદેશી પ્રવાસી ત્યાં પ્રવેશ કરી શકતો નથી?

એવામાં શું તમે જાણો છો કે, ભારતમાં એક એવું ગામ પણ છે કે, જ્યાં માત્ર ભારતીયોને જ જવાની મંજૂરી છે અને કોઈ પણ વિદેશી પ્રવાસી ત્યાં પ્રવેશ કરી શકતો નથી?

2 / 5
ભારતનું આ અનોખું ગામ દેશની રાજધાની નવી દિલ્હીથી લગભગ 300 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉત્તરાખંડની વાદીઓમાં વસેલા આ ગામનું નામ 'ચક્રાતા' છે. અહીં ભારત સિવાય બીજા કોઈ પણ દેશના લોકોને ગામમાં આવવાની પરવાનગી નથી. ઉત્તરાખંડનું આ ગામ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીં આવેલા તળાવો, ઝરણાં અને સુંદર વાદીઓ દેશના અલગ-અલગ ભાગોમાં રહેતા લોકોનું ધ્યાન ખેંચે છે. આટલું જ નહીં, વિદેશમાં રહેતા લોકો પણ આ ગામની મુલાકાત લેવા ઈચ્છે છે પરંતુ તેઓ આ ગામની સુંદરતાને નજીકથી જોઈ શકતા નથી.

ભારતનું આ અનોખું ગામ દેશની રાજધાની નવી દિલ્હીથી લગભગ 300 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉત્તરાખંડની વાદીઓમાં વસેલા આ ગામનું નામ 'ચક્રાતા' છે. અહીં ભારત સિવાય બીજા કોઈ પણ દેશના લોકોને ગામમાં આવવાની પરવાનગી નથી. ઉત્તરાખંડનું આ ગામ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીં આવેલા તળાવો, ઝરણાં અને સુંદર વાદીઓ દેશના અલગ-અલગ ભાગોમાં રહેતા લોકોનું ધ્યાન ખેંચે છે. આટલું જ નહીં, વિદેશમાં રહેતા લોકો પણ આ ગામની મુલાકાત લેવા ઈચ્છે છે પરંતુ તેઓ આ ગામની સુંદરતાને નજીકથી જોઈ શકતા નથી.

3 / 5
છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી પ્રવાસીઓએ બાઇક ટૂર દરમિયાન આ ગામમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને ક્યારેય અહીંથી પસાર થવા દેવામાં આવ્યા નથી. વાત એમ છે કે, ઉત્તરાખંડના આ ગામમાં ભારતીય સેનાનો મિલિટરી બેઝ આવેલો છે. બીજું કે, અહીંથી ચીનનું અંતર પણ ઘણું ઓછું છે. વર્ષ 1962માં થયેલા ભારત-ચીન યુદ્ધ પછી અહીં તિબેટીયન યુનિટ જમા થયું હતું. આવી સ્થિતિમાં, સુરક્ષાના કારણોસર અહીં કોઈ પણ વિદેશી પ્રવાસીને પ્રવેશ આપવામાં આવતો નથી. જો કે, ભારતીય નાગરિકો અહીં જઈ શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી પ્રવાસીઓએ બાઇક ટૂર દરમિયાન આ ગામમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને ક્યારેય અહીંથી પસાર થવા દેવામાં આવ્યા નથી. વાત એમ છે કે, ઉત્તરાખંડના આ ગામમાં ભારતીય સેનાનો મિલિટરી બેઝ આવેલો છે. બીજું કે, અહીંથી ચીનનું અંતર પણ ઘણું ઓછું છે. વર્ષ 1962માં થયેલા ભારત-ચીન યુદ્ધ પછી અહીં તિબેટીયન યુનિટ જમા થયું હતું. આવી સ્થિતિમાં, સુરક્ષાના કારણોસર અહીં કોઈ પણ વિદેશી પ્રવાસીને પ્રવેશ આપવામાં આવતો નથી. જો કે, ભારતીય નાગરિકો અહીં જઈ શકે છે.

4 / 5
અહીં પહોંચવા પર તમને 100 મીટરની ઊંચાઈએથી પડતો 'ટાઈગર ફોલ' પણ જોવા મળશે. જો કે, ત્યાં પહોંચવા માટે તમારે લગભગ 6 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડશે, કારણ કે 'ટાઈગર ફોલ' સુધી કોઈ પણ પ્રકારનું વાહન જઈ શકતું નથી. આ સિવાય, ચક્રાતાથી ચાર કિલોમીટર દૂર 'ચિરમિરી' પહોંચીને તમે સૂર્યાસ્તનો અદભૂત નજારો પણ માણી શકો છો.

અહીં પહોંચવા પર તમને 100 મીટરની ઊંચાઈએથી પડતો 'ટાઈગર ફોલ' પણ જોવા મળશે. જો કે, ત્યાં પહોંચવા માટે તમારે લગભગ 6 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડશે, કારણ કે 'ટાઈગર ફોલ' સુધી કોઈ પણ પ્રકારનું વાહન જઈ શકતું નથી. આ સિવાય, ચક્રાતાથી ચાર કિલોમીટર દૂર 'ચિરમિરી' પહોંચીને તમે સૂર્યાસ્તનો અદભૂત નજારો પણ માણી શકો છો.

5 / 5

Wedding Ritual: ભારતનું એક એવું ગામ જ્યાં માણસો નહીં પણ દેડકા પરણે છે ! આખું ગામ બને છે જાનૈયા અને શાસ્ત્રોક્ત વિધિથી થાય છે લગ્ન

Follow Us
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">