Silver Rate: ભારતે ચીનની ચાલ પર ફેરવી દીધું પાણી! ચાંદીને લઈને કરી મોટી જાહેરાત, સામાન્ય માણસના ખિસ્સા પર આની અસર પડશે કે નહીં?
સામાન્ય માણસ માટે ચાંદીને ઘણીવાર ઘરેણાં અથવા રોકાણ સુધીની મર્યાદિત વસ્તુ તરીકે જોવામાં આવે છે. જો કે, હાલના સમયમાં ચાંદી ફક્ત ઘરેણાંની વસ્તુ નથી પરંતુ વીજળી, સૌર પેનલ, મોબાઇલ ફોન, ઇલેક્ટ્રિક વાહનો અને ફેક્ટરીઓની પણ જરૂરિયાત બની ગઈ છે.

જણાવી દઈએ કે, જ્યારે ચીને 1 જાન્યુઆરી, 2026 ના રોજ ચાંદીના Export પર કડક પ્રતિબંધોની જાહેરાત કરી, ત્યારે ભારતે એક નવી યોજના પર કામ કરવાનું શરૂ કર્યું હતું. દરેક જગ્યાએ (સૌર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રિકલ સાધનો) ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. આ જ કારણ છે કે, સરકાર હવે ચાંદીને વ્યૂહાત્મક રીતે જોઈ રહી છે.

ચીન વિશ્વની શુદ્ધ ચાંદીના આશરે 60-70% જેટલું ઉત્પાદન કરે છે. ભારત પણ ચીનમાંથી નોંધપાત્ર પ્રમાણમાં ચાંદી આયાત કરે છે. જો કે, તાજેતરના વર્ષોમાં આ નિર્ભરતા વધી છે. COVID-19 દ્વારા સપ્લાય ચેઇન તૂટી ગઈ અને ત્યારબાદ ભારતની ચીન પરની નિર્ભરતા વધીને 40% થી વધુ થઈ ગઈ છે.

હવે ચીને 01 જાન્યુઆરીથી ચાંદીની નિકાસ પર નવી શરતો લાગુ કરી છે. કોઈ સીધો પ્રતિબંધ નથી પરંતુ હવે માત્ર પસંદ કરેલ કંપનીઓને જ ચાંદી નિકાસ કરવાની મંજૂરી મળશે. આનો અર્થ એ થયો કે, સપ્લાય ગમે ત્યારે ધીમી થઈ શકે છે અને ભાવ અચાનક વધી શકે છે. આમ જોવા જઈએ તો, આ ભારત માટે ચિંતાનો વિષય બની ગયો છે.

જો ચાંદી મોંઘી થાય છે અથવા તેની સપ્લાય બંધ થઈ જાય છે, તો તેની અસર ફક્ત ઘરેણાં સુધી મર્યાદિત રહેશે નહીં. જો સોલાર પેનલ મોંઘી થાય છે, તો પાવર પ્રોજેક્ટ્સનો ખર્ચ વધશે. બીજીબાજુ જો વીજળી મોંઘી થાય છે, તો ફુગાવો વધશે. મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ અને EV ના ભાવ પર દબાણ આવશે. આનો અર્થ એ છે કે, ચાંદીના પુરવઠાનો આંચકો સીધો સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.

આ બધા વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, આ ખતરાને ધ્યાનમાં રાખીને 'ભારત' પેરુ અને ચિલી જેવા દેશો તરફ નજર કરી રહ્યું છે. આ બંને દેશોને વિશ્વના સૌથી મોટા ચાંદી ઉત્પાદકોમાં ગણવામાં આવે છે. પેરુ દર વર્ષે 3,000 ટનથી વધુ ચાંદીનું ઉત્પાદન કરે છે. ચિલી પણ 1,200-1,400 ટન ચાંદીનું ઉત્પાદન કરે છે.

ભારત આ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અને CEPA પર ચર્ચા કરી રહ્યું છે. એવામાં હેતુ સ્પષ્ટ છે કે, ચાંદી પર આયાત કર (Import Tax) ઘટાડવો, સપ્લાય વિશ્વસનીય બનાવવી અને ચીન પર વધારાની નિર્ભરતા ઘટાડવી.

જો પેરુ અને ચિલી સાથે ટ્રેડ ડીલ થાય છે, તો ભારત સસ્તી અને સ્થિર ચાંદી મેળવી શકશે. આનાથી ઉદ્યોગ ખર્ચ નિયંત્રણમાં રહેશે અને સૌર તેમજ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સને કોઈ અસર થશે નહીં. વધુમાં અચાનક ભાવ વધારાનું જોખમ ઘટશે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ડીલ ચાંદી માટે એક સેફ્ટી નેટ તૈયાર કરશે.

ગયા વર્ષે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. આ પાછળ પુરવઠાની અછત, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગ અને દેશો દ્વારા ચાંદીનો સંગ્રહ જેવા કારણો જણાવવામાં આવી રહ્યા છે. વધુમાં જ્યારે આવી પરિસ્થિતિને ચીન જેવા મોટા સપ્લાયરની કડકાઈ સાથે જોડવામાં આવે છે, ત્યારે બજાર વધુ સંવેદનશીલ બની જાય છે.
Stock Market : 50 કરોડ ડોલરનું બાકી ‘ડિવિડન્ડ’ મળશે ! વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ પરના પ્રતિબંધ હટશે, તો આ ઓઇલ કંપનીના શેર બની શકે છે ‘ચર્ચાનો વિષય’
