સાંજના સમયે આ 5 કામ ઘરમાં કર્યા તો પસ્તાવાના દિવસો આવશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સાંજના સમયે કેટલાંક કામો ન કરવા જોઈએ, કેમ કે આ કામો કરવાથી નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે અને જીવનમાં અશાંતિ છવાઈ જાય છે.

સાંજનો રળિયામણો સમય શાંતિનો અને આરામનો હોય છે. હવે એવા સમયે જો તમે આ 5 કામ કરો છો તો તમારી અંદર નકારાત્મક ઉર્જા વધે છે, જેનાથી જીવનમાં મુશ્કેલી આવે છે અને માનસિક અશાંતિ અનુભવાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સાંજના સમયે કેટલાંક કામો ન કરવા જોઈએ, કેમ કે આ કામો કરવાથી નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે અને જીવનમાં અશાંતિ છવાઈ જાય છે.

કચરો વાળવો: સાંજના સમયે કચરો વાળવાથી ઘરની ઉર્જા ભંગ થાય છે. માન્યતા અનુસાર, સાંજના સમયે કચરો વાળવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી અને આર્થિક સમસ્યા વધી જાય છે.

વાળ અને નખ કાપવા: સાંજના સમયે વાળ કે નખ કાપવાથી શરીરની ઉર્જામાં ઘટાડો થાય છે. આ સિવાય માનસિક અશાંતિ અને સ્વાસ્થ્યને લગતી સમસ્યામાં વધારો થાય છે.

ઘરની સફાઇ કરવી: સાંજના સમયે ઘર સાફ કરવામાં આવે છે તો ઘરમાં રહેલ સકારાત્મક ઉર્જામાં ઘટાડો થાય છે. આ સમય આરામ કરવાનો અને પૂજા પાઠ કરવાનો હોય છે. એવામાં જો તમે સાંજના સમયે ઘર સાફ કરવા કાઢો છો, તો તેનાથી ઘરમાં તણાવનો માહોલ ઊભો થાય છે.

ઘરનો પ્રવેશદ્વાર: સાંજના સમયે ઘરનો મુખ્ય દરવાજો બંધ રાખવાથી માં લક્ષ્મી નિરાશ થાય છે અને ઘરની આવકમાં ઘટાડો થાય છે.

ધારદાર વસ્તુનો ઉપયોગ: સાંજના સમયે ચપ્પુ અને કાતર જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. આનાથી માનસિક અશાંતિ અનુભવાય છે અને ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે.
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો..
