AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચિલ્ડ બીયરની એક ઘૂંટ તમારા શરીરને આપી શકે છે ‘મોટો દગો’, જાણો તેના પાછળનું ‘છુપું જોખમ’

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે આપણે અતિશય પરેશાન હોઈએ છીએ, ત્યારે મન કંઈક ઠંડું પીવા માટે તરસે છે. આવા સમયે ઘણા લોકો ઠંડી બીયર પીવાનું પસંદ કરે છે, કારણ કે તેમને લાગે છે કે તેનાથી ગરમીમાં રાહત મળશે અને તરસ છિપાઈ જશે. જો કે, શું ખરેખર બીયર ગરમીમાં શરીર માટે સારી છે?

| Updated on: May 08, 2026 | 7:49 PM
Share
ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિનું મન કંઈકને કંઈક ઠંડું પીવાનું હોય છે. એવામાં ઘણા લોકો પોતાની તરસ છિપાવવા માટે ઠંડી બીયર પીતા હોય છે. કાળઝાળ તડકામાં ઠંડી બીયર ઠંડક તો જરૂર આપે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. જણાવી દઈએ કે, તે શરીરને ડિહાઈડ્રેટ (પાણીની અછત) કરે છે. બીયરમાં આલ્કોહોલ હોય છે, જે શરીરના તાપમાનને વધારી શકે છે અને ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે.

ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિનું મન કંઈકને કંઈક ઠંડું પીવાનું હોય છે. એવામાં ઘણા લોકો પોતાની તરસ છિપાવવા માટે ઠંડી બીયર પીતા હોય છે. કાળઝાળ તડકામાં ઠંડી બીયર ઠંડક તો જરૂર આપે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. જણાવી દઈએ કે, તે શરીરને ડિહાઈડ્રેટ (પાણીની અછત) કરે છે. બીયરમાં આલ્કોહોલ હોય છે, જે શરીરના તાપમાનને વધારી શકે છે અને ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે.

1 / 5
એવું કહેવાય છે કે, બીયર પીવાથી શરીર ઠંડું થાય છે અને તે તરસ છિપાવે છે. જો કે, આ એક ભ્રમ છે. બીયર એક 'ડિહાઈડ્રેટિંગ' પીણું છે. આનો અર્થ એ છે કે, તે શરીરમાંથી પાણી ઓછું કરવાનું કામ કરે છે, જે ઉનાળામાં તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બીયર એક 'ડાયયુરેટિક' (Diuretic) પદાર્થ છે.

એવું કહેવાય છે કે, બીયર પીવાથી શરીર ઠંડું થાય છે અને તે તરસ છિપાવે છે. જો કે, આ એક ભ્રમ છે. બીયર એક 'ડિહાઈડ્રેટિંગ' પીણું છે. આનો અર્થ એ છે કે, તે શરીરમાંથી પાણી ઓછું કરવાનું કામ કરે છે, જે ઉનાળામાં તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બીયર એક 'ડાયયુરેટિક' (Diuretic) પદાર્થ છે.

2 / 5
એવામાં જ્યારે તમે બીયર પીવો છો, ત્યારે તમારી કિડની સામાન્ય કરતા વધુ ઝડપથી શરીરમાંથી પાણી બહાર કાઢે છે. ઉનાળામાં આપણને પહેલેથી જ ખૂબ પરસેવો થતો હોય છે, જેના કારણે શરીરમાં પાણીની અછત હોય છે. આવા સમયે બીયર પીવાથી શરીરમાં પાણીનું સ્તર વધુ ઘટી જાય છે, જેનાથી ચક્કર આવવા, માથાનો દુખાવો અને નબળાઈ અનુભવાઈ શકે છે.

એવામાં જ્યારે તમે બીયર પીવો છો, ત્યારે તમારી કિડની સામાન્ય કરતા વધુ ઝડપથી શરીરમાંથી પાણી બહાર કાઢે છે. ઉનાળામાં આપણને પહેલેથી જ ખૂબ પરસેવો થતો હોય છે, જેના કારણે શરીરમાં પાણીની અછત હોય છે. આવા સમયે બીયર પીવાથી શરીરમાં પાણીનું સ્તર વધુ ઘટી જાય છે, જેનાથી ચક્કર આવવા, માથાનો દુખાવો અને નબળાઈ અનુભવાઈ શકે છે.

3 / 5
બીયર પીતી વખતે તમને અંદરથી ઠંડક લાગે પણ આલ્કોહોલ શરીરના આંતરિક તાપમાનને બગાડી દે છે. તે બ્લડ વેસલ્સ (રક્તવાહિનીઓ) ને ફેલાવી દે છે, જેનાથી ત્વચાની સપાટી પર ગરમી અનુભવાય છે પરંતુ શરીરના મહત્વના અંગોનું તાપમાન અસામાન્ય થઈ શકે છે. વધુ પડતી ઠંડી બીયર પીવાથી પાચનશક્તિ પર માઠી અસર પડે છે. આનાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને તમને એસિડિટી, બ્લોટિંગ (પેટ ફૂલવું) અને ગેસની સમસ્યા થઈ શકે છે

બીયર પીતી વખતે તમને અંદરથી ઠંડક લાગે પણ આલ્કોહોલ શરીરના આંતરિક તાપમાનને બગાડી દે છે. તે બ્લડ વેસલ્સ (રક્તવાહિનીઓ) ને ફેલાવી દે છે, જેનાથી ત્વચાની સપાટી પર ગરમી અનુભવાય છે પરંતુ શરીરના મહત્વના અંગોનું તાપમાન અસામાન્ય થઈ શકે છે. વધુ પડતી ઠંડી બીયર પીવાથી પાચનશક્તિ પર માઠી અસર પડે છે. આનાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને તમને એસિડિટી, બ્લોટિંગ (પેટ ફૂલવું) અને ગેસની સમસ્યા થઈ શકે છે

4 / 5
આલ્કોહોલ શરીરની 'હીટ સેન્સિટિવિટી' ઘટાડી દે છે. ટૂંકમાં, તમારું શરીર કેટલું ગરમ થઈ રહ્યું છે, તેનો તમને અહેસાસ થતો નથી. આવી સ્થિતિમાં તડકામાં હીટ સ્ટ્રોક (લૂ લાગવી) આવવાનું જોખમ વધી જાય છે. બીયરમાં કેલરીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ઠંડી બીયર પીવાથી પેટની ચરબી (બેલી ફેટ) ઝડપથી વધે છે. સાથે જ, વધુ પડતા સેવનથી લિવર પર દબાણ આવે છે અને ફેટી લિવરની સમસ્યા શરૂ થઈ શકે છે.

આલ્કોહોલ શરીરની 'હીટ સેન્સિટિવિટી' ઘટાડી દે છે. ટૂંકમાં, તમારું શરીર કેટલું ગરમ થઈ રહ્યું છે, તેનો તમને અહેસાસ થતો નથી. આવી સ્થિતિમાં તડકામાં હીટ સ્ટ્રોક (લૂ લાગવી) આવવાનું જોખમ વધી જાય છે. બીયરમાં કેલરીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ઠંડી બીયર પીવાથી પેટની ચરબી (બેલી ફેટ) ઝડપથી વધે છે. સાથે જ, વધુ પડતા સેવનથી લિવર પર દબાણ આવે છે અને ફેટી લિવરની સમસ્યા શરૂ થઈ શકે છે.

5 / 5

સૌથી મોટી ગુડ ન્યૂઝ! એક જ એપમાં ‘સબસ્ક્રિપ્શન’ અને ‘ફ્રી વીડિયોઝ’નો સંગમ, યુઝર્સને થશે ‘સીધો ફાયદો’

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
g clip-path="url(#clip0_868_265)">