સવારે ખાલી પેટે માત્ર ‘ચા’ એટલે બીમારીઓને ખુલ્લું આમંત્રણ, આજે જ બદલો તમારી આ આદત
ઘણા લોકોની આદત હોય છે કે, તેઓ સવારે નાસ્તો કરવાને બદલે માત્ર ચા પીને કામ ચલાવી લે છે. જો કે, આ આદત સ્વાદમાં ભલે સારી લાગે પણ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.

આપણું પેટ આખી રાત ખાલી રહે છે, જેના કારણે તેમાં એસિડનું સ્તર પહેલેથી જ થોડું વધારે હોય છે. ચામાં રહેલ કેફીન અને ટેનિન આ એસિડિટીને વધુ વધારી દે છે. ખાલી પેટે ચા પીવાથી છાતીમાં બળતરા અને ખાટા ઓડકાર આવવા લાગે છે. લાંબા સમય સુધી આ આદત પેટના અંદરના ભાગને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી અલ્સરનું જોખમ વધી જાય છે.

સવારે નાસ્તો કરવો એ દિવસનો સૌથી મહત્વનો ભાગ છે, જે તમારા શરીરને 'એનર્જી' આપે છે. એવામાં જ્યારે તમે માત્ર ચા પીવો છો, ત્યારે શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. ચામાં રહેલ ખાંડથી તમને એકવાર તો ઊર્જા મળે છે પણ તે ખૂબ જ ઝડપથી ઘટી જાય છે. આના કારણે તમે આખો દિવસ થાક અને સુસ્તી અનુભવો છો.

'ચા'માં 'ટેનિન' નામનું તત્વ હોય છે. જો તમે તેને આહારના વિકલ્પ તરીકે લો છો, તો તે તમારા શરીરમાં આયર્ન અને કેલ્શિયમના શોષણને અટકાવે છે. આનાથી શરીરમાં લોહીની ઊણપ (એનિમિયા) થઈ શકે છે. હાડકાં ધીમે ધીમે નબળા પડવા લાગે છે, કારણ કે તેમને પૂરતું પોષણ મળતું નથી.

'ચા' સ્વભાવે 'ડ્યુરેટિક' (મૂત્રવર્ધક) હોય છે. આનો અર્થ છે કે, તે પેશાબની આવૃત્તિમાં વધારો કરે છે. આખી રાત ઊંઘ્યા પછી આપણું શરીર પહેલેથી જ થોડું ડિહાઈડ્રેટેડ હોય છે. આવા સમયે પાણી કે ફળને બદલે ચા પીવાથી શરીરમાંથી વધુ પ્રવાહી બહાર નીકળી જાય છે, જેનાથી સ્નાયુઓમાં ખેંચાણ અને માથાનો દુખાવો થઈ શકે છે.

'ચા'માં રહેલ કેફીન સીધી તમારા નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. સવારે ખાલી પેટે ભારે માત્રામાં કેફીન જવાથી ગભરામણ અનુભવાઈ શકે છે. તણાવ અને એન્ઝાઈટીનું સ્તર વધી શકે છે. આ તમારા સ્લીપ સાયકલને પણ બગાડી શકે છે, જેનાથી રાત્રે ઊંઘ આવવામાં તકલીફ થાય છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.
દવાઓ છોડો અને આયુર્વેદ અપનાવો…! આ ઘરેલું ઉપાય અજમવાશો તો, માઈગ્રેનના અસહ્ય દુખાવાથી મળશે ‘કાયમી છુટકારો’
