Health Tips: બરફના પાણીમાં ચહેરો રાખવાથી શું ફાયદા થાય? આ ઉપાય અજમાવતી વખતે કઈ ભૂલ ના કરવી?
ઘણીવાર લોકો સ્કિન ચમકાવવા, ચહેરાનો સોજો ઓછો કરવા અને સ્કિનના પોર્સ ટાઇટ કરવા માટે ચહેરાને બરફના પાણીમાં ડૂબાડી રાખતા હોય છે પરંતુ શું આવું કરવું યોગ્ય છે?

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેની ત્વચા સ્વસ્થ, ફ્રેશ અને ચમકતી દેખાય. હવે આ માટે લોકો મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સ, ફેશિયલ અને ટ્રીટમેન્ટ્સનો ઉપયોગ કરે છે અથવા તો ઘરે જ વિવિધ ઉપાયો અજમાવે છે. બીજું કે, લોકો ઘણીવાર તેમની ત્વચામાં ચમક લાવવા, સોજો ઓછો કરવા અને સ્કિન પોર્સને ટાઇટ કરવા માટે બરફના પાણીમાં ચહેરો ડુબાડે છે.

સ્કિન એક્સપર્ટના મતે, બરફનું પાણી ચહેરાને તાજગી આપે છે, સોજો ઘટાડે છે અને તમારી ત્વચાને તાજગી આપે છે. બરફનું પાણી બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેનાથી તમારો ચહેરો ચમકતો દેખાય છે. વધુમાં, મેકઅપ પહેલાં બરફના પાણીનો ઉપયોગ કરવાથી પણ મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે. જો કે, આ કરતી વખતે કેટલીક સામાન્ય ભૂલો થઈ શકે છે, જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સ્કિન એક્સપર્ટના જણાવ્યા અનુસાર, બરફના પાણીમાં વારંવાર ચહેરો ડુબાડી રાખવાથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે. આનાથી ડ્રાયનેસ, સ્કિન ઇરિટેશન અથવા લાલ ધબ્બા જેવી સમસ્યા થઈ શકે છે.

આઇસ ક્યુબ લગાવવાથી ત્વચાને 'ફ્રોસ્ટબાઇટ' જેવી સમસ્યા થઈ શકે છે. જો તમારી સ્કિન પાતળી હોય અથવા પહેલાથી જ ડ્રાય હોય તો આ ઉપાય હાનિકારક બની શકે છે. જો તમને ખીલ અથવા ફોલ્લીઓ હોય, તો બરફનું પાણી ત્વચાને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં બરફના પાણીનો ઉપચાર કરવાનું ટાળો. બરફનું પાણી ત્વચાને તો કડક બનાવે જ છે પરંતુ તેની સાથે-સાથે સ્કિન ડ્રાય પણ થવા લાગે છે. આથી, મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે.

સ્કિન એક્સપર્ટ સમજાવે છે કે, "દરેક ડીપ ફક્ત 10-15 સેકન્ડ માટે રાખો, એટલે કે ચહેરાને ફક્ત 10 થી 15 સેકન્ડ માટે બરફમાં રાખો અને વચ્ચે આરામ લો. જો તમારી ત્વચા સેન્સિટિવ હોય, તો બરફને બદલે ઠંડા પાણીનો ઉપયોગ કરો. બરફના પાણીનો ઉપયોગ કર્યા પછી હંમેશા મોઇશ્ચરાઇઝર લગાવો. આ બધા સિવાય દિવસમાં 1 કે 2 વખતથી વધુ બરફના પાણીનો ફેસ ડિપ ન કરો."

મળતી માહિતી મુજબ, બરફના પાણીમાં ચહેરો રાખવો એ એક અસરકારક બ્યુટી ટ્રિક છે પરંતુ સાવધાની રાખવી પણ જરૂરી છે. કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખીને તમે તમારી ત્વચાને નુકસાનથી બચાવી શકો છો.
Disclaimer: આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. વધુ માહિતી માટે નિષ્ણાત અથવા ડૉક્ટરનો સંપર્ક કરો. TV9 આ માહિતીની સંપૂર્ણપણે પુષ્ટિ કરતું નથી.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
