AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ, વાંધા અરજી રજૂ કરવા વધુ સમય આપવા કરી ઉગ્ર રજૂઆત- Video

ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ, વાંધા અરજી રજૂ કરવા વધુ સમય આપવા કરી ઉગ્ર રજૂઆત- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2026 | 7:00 PM
Share

જુનાગઢના ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ- 5 સામે રોષે ભરાયા છે. તેમને વાંધા અરજી રજૂ કરવા માટે માત્ર 7 દિવસનો સમય ફાળવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને વધુ સમય આપવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ટીપી સ્કીમ 5 હેઠળ ખેડૂતોની 40 % જમીન કપાતમાં જઈ રહી છે.

જુનાગઢના ઝાંઝરડા ગામના ખેડૂતો સહિત સ્થાનિક આગેવાનોનો કાફલો તેમના વાંધા સૂચનો રજૂ કરવા જુડા ઓફિસે પહોંચ્યો હતો. ઝાંઝરડા ગામની ટીપી સ્કીમ 5 મુદ્દે ખેડૂતોમાં રોષનો માહોલ છે. આરોપ છે કે 1976ના કાયદાનું ખોટું અર્થઘટન કરીને આ ટીપી સ્કીમ બનાવવામાં આવી છે. જેમાં ખેડૂતોની 40 ટકા જમીન કપાતમાં જઈ રહી છે. આ જમીનનું તો ખેડૂતોને વળતર ચૂકવવામાં નહીં જ આવે પણ, સાથે જ 900 કરોડ રૂપિયાનો જંગી ડેવલપમેન્ટ ચાર્જ પણ, ખેડૂતો પાસેથી વસૂલવાની તંત્રએ તૈયારી કરી છે. ખેડૂતોનો આરોપ છે કે તંત્ર દ્વારા નકશા તૈયાર કરી ખેડૂતોને બતાવી દેવાયા છે અને જણાવી દેવાયું કે સાત દિવસમાં વાંધા અરજી રજૂ કરી દે. હવે ખેડૂતોને જેમા કંઈ સમજ જ નથી પડી રહી તો તે વાંધા અરજી કેવી રીતે રજૂ કરે તેવો સવાલ પણ ખેડૂતો કરી રહ્યા છે.

ખેડૂતો અને સમર્થકોનો આરોપ છે કે ખેતીની જમીન બિન ખેતીમાં કેમ ફાળવાઈ રહી છે? ખેતીની જમીનના ઓછા ભાવ જ્યારે નક્શા તૈયાર કર્યા બાદ તેની ફાળવણી કરીને ઊંચા ભાવ વસુલાતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. ઝાંઝરડાના ખેડૂતોએ જુડામાં આવેદન પત્ર આપી સમગ્ર મામલે રજૂઆત કરી છે.

આ તરફ જુડાના અધિકારીઓનું કહેવુ છે કે ખેડૂતો પાસેથી વાંધા અરજી મેળવ્યા બાદ અખબારમાં જાહેરાત અપાતી હોય છે અને એક મહિના સુધી આ વાંધા અરજી અંગે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવાતો હોય છે.

With Input Vijaysinh Parmar Junagadh

Kedarnath Yatra: કેદારનાથ ધામમાં 20 રૂપિયાની પાણીની બોટલ 400 ટકા મોંઘી કેમ મળી રહી છે?

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">