Farming Tips : રીંગણના પાકમાં રોગ-જીવાતથી બચવવા અપનાવો આ 5 દેશી ઉપાય, મળશે વધારે ઉત્પાદન !
મરોડિયા રોગ અને જીવાતોના કારણે રીંગણની ખેતીમાં ઘણીવાર પાકને નુકસાન થઈ શકે છે. આ સમસ્યાઓથી છોડની વૃદ્ધિ અટકી જાય છે. ઉત્પાદન પર અસર પડે છે. ખેડૂતો માટે સરળ અને કુદરતી ઉપાયો દ્વારા પાકને સુરક્ષિત રાખી શકાય છે.

મરોડિયા રોગનું નિયંત્રણ : રીંગણના છોડમાં મરોડિયા રોગ લાગવાથી છોડ મુરઝાઈ જાય છે. તેથી તેની વૃદ્ધિ અટકી જાય છે. શરૂઆતમાં આ રોગ થોડા છોડોમાં જોવા મળે છે. પરંતુ સમય જતા આખા ખેતરમાં ફેલાઈ જાય છે. આ સમસ્યાના નિવારણ માટે ઘૃતકુમારીનો ઉપયોગ કરી શકાય છે. સિંચાઈ કરતી વખતે પાણીની નાળીમાં ઘૃતકુમારીના ટુકડા મૂકવાથી તેમાંથી નીકળતો રસ પાણી સાથે ખેતરમાં ફેલાઈ છે. જે મરોડિયા રોગને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આ પદ્ધતિ ઓછામાં ઓછા બે વખત અપનાવવી જોઈએ. (Image Source : iStock)

કીટ નિયંત્રણ માટે હીંગનો ઉપયોગ : જ્યારે રીંગણના પાકમાં કીટકોનું પ્રમાણ વધે ત્યારે 5 ગ્રામ હીંગને 10 લિટર પાણીમાં ભેળવી છોડ પર છંટકાવ કરવો જોઈએ. આ ઉપાયથી કીટકોનું અસરકારક નિયંત્રણ થાય છે. (Image Source : iStock)

ફળમાં ચમક અને ગુણવત્તા વધારવા માટે : રીંગણના છોડ પર ફળ આવવા લાગે ત્યારે દરેક છોડની મૂળ પાસે અંદાજે 10 ગ્રામ એરંડીનું તેલ નાખવામાં આવે છે. આ ઉપાયથી ઉધઈનો ઉપદ્રવ ઓછો થાય છે અને ફળ વધુ ચમકદાર તથા આકર્ષક બને છે. (Image Source : iStock)

જીવાત પર નિયંત્રણ : રીંગણના પાકમાં જીવાતની સમસ્યા નિવારવા માટે રોપણી વખતે રીંગણ સાથે સોયા વાવવું ખૂબ અસરકારક હોય છે. સોયાની તીવ્ર સુગંધને કારણે જીવાત પાકમાં આવતા નથી અને પાક સુરક્ષિત રહે છે. (Image Source : iStock)

એક જ છોડમાંથી ફરી ઉત્પાદન મેળવવાની પદ્ધતિ : રીંગણમાં એક વખત ફળ આવી જાય પછી કેટલાક ખેડૂતોએ નવીન પદ્ધતિ અપનાવે છે. તેમાં છોડને મૂળ સાથે ઉપાડી ફરીથી ખેતરમાં વાવવામાં આવે છે. મોટાભાગે ખેડૂતો, છોડને ઉપરથી કાપી દે છે અને માત્ર 9થી 12 ઇંચ જેટલા જ મૂળ રાખે છે. જ્યારે બાકીનો ભાગ કાપવામાં આવે છે. આ પદ્ધતિ અપનાવવાથી આશરે 25થી 30 દિવસમાં ફરીથી નવા રીંગણ આવવા લાગે છે. (Image Source : iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source : iStock)
