AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : રીંગણના પાકમાં રોગ-જીવાતથી બચવવા અપનાવો આ 5 દેશી ઉપાય, મળશે વધારે ઉત્પાદન !

મરોડિયા રોગ અને જીવાતોના કારણે રીંગણની ખેતીમાં ઘણીવાર પાકને નુકસાન થઈ શકે છે. આ સમસ્યાઓથી છોડની વૃદ્ધિ અટકી જાય છે. ઉત્પાદન પર અસર પડે છે. ખેડૂતો માટે સરળ અને કુદરતી ઉપાયો દ્વારા પાકને સુરક્ષિત રાખી શકાય છે.

| Updated on: Jun 30, 2026 | 2:18 PM
Share
મરોડિયા રોગનું નિયંત્રણ : રીંગણના છોડમાં મરોડિયા રોગ લાગવાથી છોડ મુરઝાઈ જાય છે. તેથી તેની વૃદ્ધિ અટકી જાય છે. શરૂઆતમાં આ રોગ થોડા છોડોમાં જોવા મળે છે. પરંતુ સમય જતા આખા ખેતરમાં ફેલાઈ જાય છે. આ સમસ્યાના નિવારણ માટે ઘૃતકુમારીનો ઉપયોગ કરી શકાય છે. સિંચાઈ કરતી વખતે પાણીની નાળીમાં ઘૃતકુમારીના ટુકડા મૂકવાથી તેમાંથી નીકળતો રસ પાણી સાથે ખેતરમાં ફેલાઈ છે. જે મરોડિયા રોગને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આ પદ્ધતિ ઓછામાં ઓછા બે વખત અપનાવવી જોઈએ. (Image Source : iStock)

મરોડિયા રોગનું નિયંત્રણ : રીંગણના છોડમાં મરોડિયા રોગ લાગવાથી છોડ મુરઝાઈ જાય છે. તેથી તેની વૃદ્ધિ અટકી જાય છે. શરૂઆતમાં આ રોગ થોડા છોડોમાં જોવા મળે છે. પરંતુ સમય જતા આખા ખેતરમાં ફેલાઈ જાય છે. આ સમસ્યાના નિવારણ માટે ઘૃતકુમારીનો ઉપયોગ કરી શકાય છે. સિંચાઈ કરતી વખતે પાણીની નાળીમાં ઘૃતકુમારીના ટુકડા મૂકવાથી તેમાંથી નીકળતો રસ પાણી સાથે ખેતરમાં ફેલાઈ છે. જે મરોડિયા રોગને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આ પદ્ધતિ ઓછામાં ઓછા બે વખત અપનાવવી જોઈએ. (Image Source : iStock)

1 / 6
કીટ નિયંત્રણ માટે હીંગનો ઉપયોગ : જ્યારે રીંગણના પાકમાં કીટકોનું પ્રમાણ વધે ત્યારે 5 ગ્રામ હીંગને 10 લિટર પાણીમાં ભેળવી છોડ પર છંટકાવ કરવો જોઈએ. આ ઉપાયથી કીટકોનું અસરકારક નિયંત્રણ થાય છે. (Image Source : iStock)

કીટ નિયંત્રણ માટે હીંગનો ઉપયોગ : જ્યારે રીંગણના પાકમાં કીટકોનું પ્રમાણ વધે ત્યારે 5 ગ્રામ હીંગને 10 લિટર પાણીમાં ભેળવી છોડ પર છંટકાવ કરવો જોઈએ. આ ઉપાયથી કીટકોનું અસરકારક નિયંત્રણ થાય છે. (Image Source : iStock)

2 / 6
ફળમાં ચમક અને ગુણવત્તા વધારવા માટે : રીંગણના છોડ પર ફળ આવવા લાગે ત્યારે દરેક છોડની મૂળ પાસે અંદાજે 10 ગ્રામ એરંડીનું તેલ નાખવામાં આવે છે. આ ઉપાયથી ઉધઈનો ઉપદ્રવ ઓછો થાય છે અને ફળ વધુ ચમકદાર તથા આકર્ષક બને છે. (Image Source : iStock)

ફળમાં ચમક અને ગુણવત્તા વધારવા માટે : રીંગણના છોડ પર ફળ આવવા લાગે ત્યારે દરેક છોડની મૂળ પાસે અંદાજે 10 ગ્રામ એરંડીનું તેલ નાખવામાં આવે છે. આ ઉપાયથી ઉધઈનો ઉપદ્રવ ઓછો થાય છે અને ફળ વધુ ચમકદાર તથા આકર્ષક બને છે. (Image Source : iStock)

3 / 6
જીવાત પર નિયંત્રણ : રીંગણના પાકમાં જીવાતની સમસ્યા નિવારવા માટે રોપણી વખતે રીંગણ સાથે સોયા વાવવું ખૂબ અસરકારક હોય છે. સોયાની તીવ્ર સુગંધને કારણે જીવાત પાકમાં આવતા નથી અને પાક સુરક્ષિત રહે છે. (Image Source : iStock)

જીવાત પર નિયંત્રણ : રીંગણના પાકમાં જીવાતની સમસ્યા નિવારવા માટે રોપણી વખતે રીંગણ સાથે સોયા વાવવું ખૂબ અસરકારક હોય છે. સોયાની તીવ્ર સુગંધને કારણે જીવાત પાકમાં આવતા નથી અને પાક સુરક્ષિત રહે છે. (Image Source : iStock)

4 / 6
એક જ છોડમાંથી ફરી ઉત્પાદન મેળવવાની પદ્ધતિ : રીંગણમાં એક વખત ફળ આવી જાય પછી કેટલાક ખેડૂતોએ નવીન પદ્ધતિ અપનાવે છે. તેમાં છોડને મૂળ સાથે ઉપાડી ફરીથી ખેતરમાં વાવવામાં આવે છે. મોટાભાગે ખેડૂતો, છોડને ઉપરથી કાપી દે છે અને માત્ર 9થી 12 ઇંચ જેટલા જ મૂળ રાખે છે. જ્યારે બાકીનો ભાગ કાપવામાં આવે છે. આ પદ્ધતિ અપનાવવાથી આશરે 25થી 30 દિવસમાં ફરીથી નવા રીંગણ આવવા લાગે છે. (Image Source : iStock)

એક જ છોડમાંથી ફરી ઉત્પાદન મેળવવાની પદ્ધતિ : રીંગણમાં એક વખત ફળ આવી જાય પછી કેટલાક ખેડૂતોએ નવીન પદ્ધતિ અપનાવે છે. તેમાં છોડને મૂળ સાથે ઉપાડી ફરીથી ખેતરમાં વાવવામાં આવે છે. મોટાભાગે ખેડૂતો, છોડને ઉપરથી કાપી દે છે અને માત્ર 9થી 12 ઇંચ જેટલા જ મૂળ રાખે છે. જ્યારે બાકીનો ભાગ કાપવામાં આવે છે. આ પદ્ધતિ અપનાવવાથી આશરે 25થી 30 દિવસમાં ફરીથી નવા રીંગણ આવવા લાગે છે. (Image Source : iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source : iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source : iStock)

6 / 6
Follow Us
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
g clip-path="url(#clip0_868_265)">