Sarfaraz Khan : 3 ટીમો જે IPL 2025 મેગા ઓક્શનમાં સરફરાઝ ખાનને ખરીદી શકે છે
આઈપીએલ ઓક્શન 2025માં આ વખતે સફરાઝ ખાન માટે પૈસાનો વરસાદ થતો જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શનને લઈ દરેક ટીમે પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી સરફરાઝ ખાને શાનદાર સદી ફટકારી છે. આ સદી ભારતના ટેસ્ટ ક્રિકેટમાં 550મી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ટીમ ઈન્ડિયા ત્રીજી ટીમ બની ગઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમોએ 550 સદી ફટકારી છે.

સરફરાઝ ખાને ઈતિહાસ રચી દીધો છે. સરફરાઝ ખાન ભારતનો બીજો એવો બેટ્સમેન બની ગયો છે. જેના નામે પહેલી ઈનિગ્સમાં 0 અને બીજી ઈનિગ્સમાં 150 રન છે.સરફરાઝ ખાને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પહેલી સદી ફટકારી દીધી છે.

સરફરાઝ ખાને આઈપીએલમાં અત્યારસુધી 50 મેચ રમી છે. આરસીબી અને દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂક્યો છે પરંતુ તેનું પ્રદર્શન આશા પ્રમાણે જોવા મળ્યું ન હતુ. આ દરમિયાન તેમણે માત્ર 585 રન બનાવ્યા છે.

આરસીબીની ટીમ એક મજબુત મિડલ ઓર્ડર બેટ્સમેન અને વિકેટકીપરનો શોધમાં છે. સરફરાઝ ખાન આ બંન્ને કામ કરી શકે છે. ત્યારે ટીમ પોતાના સ્ટારને પાછો ટીમમાં લઈ શકે છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ ફરી એક વખત સરફરાઝ ખાનને ટીમમાં લેવા માંગશે.સરફરાઝ ખાન અને પંતની સારી મિત્રતા છે અને ચાહકો આ બંન્નેને સાથે રમતા જોવા માંગશે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પણ એક વિકેટકીપની શોધમાં છે. ધોનીનું રમવું નક્કી માનવામાં આવી રહ્યું છે,ત્યારે સરફરાઝ ખાન એક સારો વિકલ્પ બની શકે છે.સરફરાઝ પણ ધોની સાથે રમવા માંગે છે.
