Duleep Trophy: ન આઉટ થયો, ન ઈજાગ્રસ્ત, છતાં 250 રન બનાવીને અચાનક મેદાન કેમ છોડી ગયો ઈશાન કિશન?
દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઈશાન કિશને શાનદાર બેટિંગ કરીને 250 રનનો આંકડો પાર કર્યો હતો. જોકે, આટલી મોટી ઈનિંગ રમ્યા બાદ તે અચાનક મેદાનની બહાર જતો રહ્યો. ખાસ વાત એ હતી કે ઈશાન ન તો આઉટ થયો હતો અને ન તો કોઈ ગંભીર ઈજા થઈ હતી. તો પછી તેણે 250 રન પર બેટિંગ કેમ અટકાવી? જાણો કારણ.

દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને સાઉથ ઝોન સામે શાનદાર બેટિંગ કરી હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં તેણે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો અને સાઉથના બોલરો પર દબાણ બનાવ્યું હતું.

ઈશાનની ઈનિંગ દરમિયાન ચેન્નાઈની ગરમી અને ભેજની પણ મોટી અસર જોવા મળી. લાંબા સમય સુધી બેટિંગ કરવાના કારણે તેને થાક લાગ્યો અને 250 રન સુધી પહોંચ્યા બાદ ચક્કર આવવા લાગ્યા હતા. ત્યારબાદ ફિઝિયોની મદદ લેવામાં આવી હતી.

શારીરિક થાકને કારણે ઈશાને રિટાયર્ડ હર્ટ થવાનો નિર્ણય લીધો. તેણે પોતાની યાદગાર ઈનિંગમાં 27 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 270 બોલમાં બેવડી સદી પૂરી કરીને દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઈતિહાસ રચ્યો હતો.

ઈશાને 71 બોલમાં અડધી સદી અને 118 બોલમાં સદી પૂરી કરી હતી. ત્યારબાદ 204 બોલમાં 150 રન અને 270 બોલમાં બેવડી સદીનો આંકડો પાર કર્યો હતો. આ શાનદાર ઈનિંગે ઈસ્ટ ઝોનને ફાઇનલમાં મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ રીતે 250 રન પર ઈશાનનું મેદાન છોડવું કોઈ વિકેટ કે ગંભીર ઈજાને કારણે નહોતું. સતત બેટિંગ બાદ થયેલા થાક અને ગરમીની અસરને કારણે તેણે રિટાયર્ડ હર્ટ થવાનો નિર્ણય લીધો હતો. તેની આ ઈનિંગે ફરી એકવાર સાબિત કર્યું કે મોટી મેચોમાં ઈશાનનો દબદબો યથાવત છે. (PC:PTI/X)
Duleep Trophy: દુલીપ ટ્રોફી ફાઇનલમાં ઈશાન કિશનની ડબલ સેન્ચુરી, 31 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
