ઓવલ ટેસ્ટ જીત્યા બાદ મોહમ્મદ સિરાજની કમાણી વધી, BCCI તરફથી તેમને આટલા પૈસા મળશે
ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો સૌથી મોટો હિરો મોહમ્મદ સિરાજ રહ્યો હતો. તેમણે આ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. તેમના પ્રદર્શનને લઈ બીસીસીઆઈ દ્વારા અન્ય ખેલાડીઓના મુકાબલે વધારે પૈસા આપશે.

ઓવલ ટેસ્ટમાં ભારતની 6 રનથી ઐતિહાસિક જીતનો સૌથી મોટો હિરો મોહમ્મદ સિરાજ રહ્યો હતો. મોહમ્મદ સિરાજે મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. જેમાં બીજી ઈનિગ્સમાં 5 વિકેટ સામેલ છે. તેમની ધાતક બોલિંગે ઈંગ્લેન્ડને 6 રન દુર રહેતા ભારતને શાનદાર જીત અપાવી હતી.

સિરાજે માત્ર ઓવલ ટેસ્ટમાં શાનદાર કામ કર્યું નહી પરંતુ આખી સીરિઝમાં 23 વિકેટ લઈ સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેના આ પ્રદર્શનના કારણે ભારતે 2-2થી સીરિઝ ડ્રો કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. સિરાજ સીરિઝની તમામ મેચ રમનાર એક માત્ર ભારતીય બોલર રહ્યો છે.

બીસીસીઆઈ એક ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ 11માં પસંદગી કરાયેલા ખેલાડીઓને 15 લાખ રુપિયાની મેચ ફી આપે છે. સિરાજને ઓવલ ટેસ્ટમાં આ રકમ મળશે પરંતુ સાથે સાથે સિરાજને બીસીસીઆઈ દ્વારા એક્સ્ટ્રા 5 લાખ રુપિયા પણ આપશે. જેની પાછળ કારણ માત્ર એક છે.

બીસીસીઆઈનો એક ખાસ નિયમ છે કે, જ્યારે કોઈપણ બોલર એક ઈનિગ્સમાં 5 થી વધારે વિકેટ લે છે. તો તેને મેચ ફીની સાથે 5 લાખ રુપિયાનું બોનસ આપવામાં આવે છે. સિરાજે બીજી ઈનિગ્સમાં પણ 5 વિકેટ લઈ આ બોનસ મેળવવાનો હકદાર બન્યો છે.

મોહમ્મદ સિરાજને ઓવલ ટેસ્ટમાં તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.પરંતુ ઈંગ્લેન્ડમાં પ્લેયર ઓફ ધ મેચ બનવા પર પૈસા આપવાનો નિયમ નથી.

જેમ કે ભારતમાં સામાન્ય રીતે જોવા મળે છે. ખેલાડીને ટ્રોફી સાથે ચેક પણ આપવામાં આવે છે.(PHOTO CREDIT- PTI)
‘મિયાં મેજિક’ મોહમ્મદ સિરાજનો ભાઈ છે એન્જિનિયર આવો છે પરિવાર અહી ક્લિક કરો
