IPL 2025 : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે આ વિદેશી ખેલાડીઓ ભારત છોડી પોતાના દેશ પરત ફરશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને ધ્યાનમાં રાખીને, BCCIએ IPL 2025ની બાકીની મેચો એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે. બીજી તરફ, વિદેશી ખેલાડીઓ યુદ્ધ જેવી પરિસ્થિતિ અને ભારત પરના હુમલાઓ જોઈને ડરી ગયા છે. વિદેશી ખેલાડીઓ શક્ય તેટલી વહેલી તકે પોતાના દેશમાં પાછા ફરવા માંગે છે. ચાલો જાણીએ કે તે ખેલાડીઓ કોણ છે જે ભારત છોડીને જશે?

પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં રાખીને ધર્મશાલામાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન એક તરફ જ્યાં વિદેશી ખેલાડીઓ ભારત છોડવા માંગે છે, ત્યાં બીજી તરફ, BCCI પણ તેમને સુરક્ષિત રીતે તેમના દેશમાં મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને, સનરાઈઝર્સ હૈદરાબાદના 6 ખેલાડીઓ જેમાં કેપ્ટન પેટ કમિન્સ, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, ઈશાન મલિંગા, બ્રાયડન કાર્સ અને કમિન્ડુ મેન્ડિસનો સમાવેશ થાય છે, તે ભારત છોડી દેશે.

કોલકાતા નાઈટ રાઈડર્સના 8 ખેલાડીઓ ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રોવમેન પોવેલ, મોઈન અલી, એનરિક નોર્કિયા અને સ્પેન્સર જોહ્ન્સન પણ ભારત છોડશે.

પંજાબ કિંગ્સના 7 ખેલાડીઓ જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, એરોન હાર્ડી પણ ભારત છોડશે.

દિલ્હી કેપિટલ્સ ટીમમાંથી ટ્રિસ્ટન સ્ટબ્સ, મિશેલ સ્ટાર્ક, જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, દુષ્મન્તા ચમીરા, ડોનોવન ફેરેરા અને સેદીકુલ્લાહ અટલ ભારત છોડશે.

ગુજરાત ટાઈટન્સના જોસ બટલર, રાશિદ ખાન, ગેરાલ્ડ કોટ્ઝી, શર્ફાન રધરફોર્ડ, કરીમ જનાત અને દાસુન શનાકા પોતપોતાના દેશ પાછા ફરશે.

BCCI મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ સહિત કુલ 9 ખેલાડીઓને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરશે. તેમાં રાયન રિકેલ્ટન, વિલ જેક્સ, મિશેલ સેન્ટનર, રીસ ટોપલી, કોર્બિન બોશ, મુજીબ ઉર રહેમાન અને બેવન જેકબ્સના નામ પણ સામેલ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મથિશા પથિરાના, નૂર અહેમદ, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, સેમ કરન, નાથન એલિસ, જેમી ઓવરટન અને ડેવાલ્ડ બ્રેવિસને સુરક્ષિત રીતે ભારતની બહાર લઈ જવામાં આવશે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના જેકબ બેથેલ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, લુંગી ન્ગીડી, લિયામ લિવિંગસ્ટોન, જોશ હેઝલવુડ, ફિલ સોલ્ટ અને નુવાન તુષારા સહિત કુલ 9 ખેલાડીઓ પોતપોતાના દેશ પાછા ફરશે

લખનૌ સુપર જાયન્ટ્સના એડન માર્કરામ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, ડેવિડ મિલર, મેથ્યુ બ્રિત્ઝકે અને શમર જોસેફ પણ પોતપોતાના દેશમાં પાછા ફરવાના છે.

રાજસ્થાન રોયલ્સના શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, વાનિન્દુ હસરંગા, મહિશ થીક્ષના, ફઝલહક ફારૂકી, ક્વેના માફાકા અને નંદ્રે બર્ગર ભારત છોડી પોતાના દેશ પરત ફરશે.

આ ઉપરાંત, આ તમામ 10 ટીમોમાં હાજર વિદેશી કોચિંગ અને સપોર્ટ સ્ટાફને પણ તેમના દેશોમાં મોકલવામાં આવશે. આમાં જસ્ટિન લેંગર, રિકી પોન્ટિંગ, બ્રેડ હેડિન અને એન્ડી ફ્લાવર સહિત ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે. (All Photo Credit: PTI)
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને ધ્યાનમાં રાખીને IPL 2025ની બાકીની મેચો સ્થગિત કરી દેવાઈ છે. હવે ફરી મેચ ક્યારે રમાશે તે થોડા દિવસોમાં નક્કી થશે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો






































































