AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL માં યુવરાજ સિંહની રી-એન્ટ્રી, 2027 ની સિઝનમાં આ ટીમમાં સંભાળશે મોટી જવાબદારી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ યુવરાજ સિંહ IPL 2027 પહેલા નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. અહેવાલો મુજબ, યુવરાજ IPL ની એક ટીમના સપોર્ટ સ્ટાફ સાથે જોડાવા માટે તૈયાર થયો છે. જો આ નિમણૂક થાય છે, તો IPLમાં કોચિંગ ક્ષેત્રે યુવરાજનો આ પ્રથમ મોટો પડાવ ગણાશે, જે ટીમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Smit Chauhan
| Edited By: | Updated on: Jun 19, 2026 | 11:52 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, IPL 2027 પહેલા યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સના સપોર્ટ સ્ટાફનો ભાગ બની શકે છે. ફ્રેન્ચાઈઝીના સહ-માલિક JSW આગામી બે વર્ષ માટે ટીમનું સંચાલન સંભાળવા જઈ રહ્યા છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, IPL 2027 પહેલા યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સના સપોર્ટ સ્ટાફનો ભાગ બની શકે છે. ફ્રેન્ચાઈઝીના સહ-માલિક JSW આગામી બે વર્ષ માટે ટીમનું સંચાલન સંભાળવા જઈ રહ્યા છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે.

1 / 5
દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ઓપરેશન્સમાં પણ નવા ચહેરાઓને તક મળી શકે છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી સપોર્ટ સ્ટાફનું નેતૃત્વ કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. હાલ ટીમ સાથે હેમાંગ બદાણી અને શેન વોટસન જેવા નામો જોડાયેલા છે, પરંતુ આગામી સિઝન પહેલા સ્ટાફમાં મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે.

દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ઓપરેશન્સમાં પણ નવા ચહેરાઓને તક મળી શકે છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી સપોર્ટ સ્ટાફનું નેતૃત્વ કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. હાલ ટીમ સાથે હેમાંગ બદાણી અને શેન વોટસન જેવા નામો જોડાયેલા છે, પરંતુ આગામી સિઝન પહેલા સ્ટાફમાં મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે.

2 / 5
ખાસ વાત એ છે કે યુવરાજ સિંહ IPLમાં પહેલીવાર સત્તાવાર કોચિંગ ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે, તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું છે. અભિષેક શર્મા, સંજુ સેમસન, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય અને રિષભ પંત જેવા ખેલાડીઓ સાથે યુવરાજે વ્યક્તિગત રીતે કામ કર્યું છે અને તેમની રમતને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી છે.

ખાસ વાત એ છે કે યુવરાજ સિંહ IPLમાં પહેલીવાર સત્તાવાર કોચિંગ ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે, તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું છે. અભિષેક શર્મા, સંજુ સેમસન, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય અને રિષભ પંત જેવા ખેલાડીઓ સાથે યુવરાજે વ્યક્તિગત રીતે કામ કર્યું છે અને તેમની રમતને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી છે.

3 / 5
એક અહેવાલ મુજબ ફ્રેન્ચાઈઝીઓ યુવરાજની માર્ગદર્શન આપવાની શૈલીથી પ્રભાવિત છે. ખાસ કરીને અભિષેક શર્માની સફળતા બાદ યુવરાજની કોચિંગ ક્ષમતાની ચર્ચા વધી છે. યુવા ખેલાડીઓ સાથે કામ કરવાની તેમની કુશળતા દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફાયદો સાબિત થઈ શકે છે.

એક અહેવાલ મુજબ ફ્રેન્ચાઈઝીઓ યુવરાજની માર્ગદર્શન આપવાની શૈલીથી પ્રભાવિત છે. ખાસ કરીને અભિષેક શર્માની સફળતા બાદ યુવરાજની કોચિંગ ક્ષમતાની ચર્ચા વધી છે. યુવા ખેલાડીઓ સાથે કામ કરવાની તેમની કુશળતા દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફાયદો સાબિત થઈ શકે છે.

4 / 5
યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટનો સૌથી સફળ મેચ વિનર્સમાંનો એક રહ્યો છે. 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના ODI વર્લ્ડ કપમાં ભારતની જીતમાં તેની ભૂમિકા ઐતિહાસિક રહી હતી. તેણે 304 ODIમાં 8701 રન, 40 ટેસ્ટમાં 1900 રન અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1177 રન બનાવ્યા હતા. હવે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે યુવરાજ IPLમાં કોચ તરીકે કેવી છાપ છોડે છે. (PC:PTI/X)

યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટનો સૌથી સફળ મેચ વિનર્સમાંનો એક રહ્યો છે. 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના ODI વર્લ્ડ કપમાં ભારતની જીતમાં તેની ભૂમિકા ઐતિહાસિક રહી હતી. તેણે 304 ODIમાં 8701 રન, 40 ટેસ્ટમાં 1900 રન અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1177 રન બનાવ્યા હતા. હવે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે યુવરાજ IPLમાં કોચ તરીકે કેવી છાપ છોડે છે. (PC:PTI/X)

5 / 5

Breaking News: વધુ એક વૈભવ સૂર્યવંશી? બિહારની 14 વર્ષની ખેલાડીએ ODIમાં ફટકારી ટ્રિપલ સેન્ચુરી

Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">