IND vs PAK Breaking News : નમો સ્ટેડિયમમાં ફરી દેખાશે IPLની ઓપનિંગ સેરેમની જેવી રોનક, BCCIએે કરી મોટી જાહેરાત
Ahmedabad : 14 ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડ કપનો સૌથી મહત્વનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટના પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જે માટે બંને ટીમ અમદાવાદ પહોંચી ચુકી છે. આ બધા વચ્ચે BCCIએ એક મોટી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.

BCCIએ આજે જાહેરાત કરી છે કે સિંગર અરિજીત સિંહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી ધમાલ મચાવશે. આ ખાસ સેરેમની બપોરે 12.30 કલાકે શરુ થશે. અમિત શાહ, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને રજનીકાંત સહિતના સ્ટાર્સ પણ આ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચશે. સેરેમની પહેલા સવારે 10 વાગ્યાથી દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. દર્શકો પોતાની સાથે દવા, પર્સ, મોબાઈલ, ટોપી લઈ જઈ શકશે.

વનડે વર્લ્ડકપની સૌથી વધુ રાહ જોવાઇ રહેલ ભારત-પાકિસ્તાન મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી હતી. આજે 12 ઓક્ટોબરના બપોરે દિલ્લીથી ટીમ અમદાવાદ પહોંચી હતી.

શુકવારે ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પ્રેક્ટિસ કરશે. ભારતીય ક્રિકેટ ટીમ 15 ઓક્ટોબર બપોર સુધી અમદાવાદમાં રોકાશે.

શુક્રવારે બપોરે 2 થી 5 પાકિસ્તાન ક્રિકેટ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે જ્યારે સાંજે 6 થી 9 ભારતીય ક્રિકેટ ટીમ પ્રેક્ટિસ કરશે. બંને ટીમો વર્લ્ડકપ 2023 ની 2-2 લીગ મેચ જીતીને અમદાવાદ પહોંચી છે ત્યારે બંને ટિમ અજેય રહેવા પ્રયત્ન કરતી જોવા મળશે.

1992, 1996, 1999, 2003, 2011, 2015 અને 2019ના વર્લ્ડકપની મેચોમાં ભારતે પાકિસ્તાનને હાર આપી છે. હવે 2023ના વર્લ્ડકપમાં પણ ભારત પોતાનો જીતનો રેકોર્ડ કાયમ રાખવા માંગશે.