AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોહમ્મદ અઝહરુદ્દીન પહેલા આ ચાર ક્રિકેટરો પણ મંત્રી બન્યા હતા, રાજકીય પીચ પર રમી જોરદાર ઈનિંગ

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન તેલંગાણા સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ 31 ઓક્ટોબર, શુક્રવારના રોજ હૈદરાબાદના રાજભવન ખાતે તેમને પદના શપથ લેવડાવ્યા. અઝહરુદ્દીન મંત્રી તરીકે શપથ લેનારા પહેલા ક્રિકેટર નથી. આ પહેલા ઘણા ક્રિકેટરો મંત્રી બની ચૂક્યા છે.

| Updated on: Oct 31, 2025 | 8:47 PM
Share
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને કોંગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીન મંત્રી તરીકે પોતાની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. તેમને તેલંગાણા સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. અઝહરુદ્દીન 2009માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ એક વખત મુરાદાબાદ મતવિસ્તારથી સાંસદ પણ રહી ચૂક્યા છે. અઝહરુદ્દીન મંત્રી તરીકે શપથ લેનારા પહેલા ક્રિકેટર નથી. આ પહેલા ઘણા ક્રિકેટરો મંત્રી બની ચૂક્યા છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને કોંગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીન મંત્રી તરીકે પોતાની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. તેમને તેલંગાણા સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. અઝહરુદ્દીન 2009માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ એક વખત મુરાદાબાદ મતવિસ્તારથી સાંસદ પણ રહી ચૂક્યા છે. અઝહરુદ્દીન મંત્રી તરીકે શપથ લેનારા પહેલા ક્રિકેટર નથી. આ પહેલા ઘણા ક્રિકેટરો મંત્રી બની ચૂક્યા છે.

1 / 6
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ 2017 માં પંજાબના પૂર્વ અમૃતસર મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમને પંજાબમાં અમરિંદર સિંહ સરકારમાં પ્રવાસન અને સ્થાનિક સંસ્થાઓના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, 2019 માં તેમનું મંત્રી પદ છીનવી લેવામાં આવ્યું હતું.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ 2017 માં પંજાબના પૂર્વ અમૃતસર મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમને પંજાબમાં અમરિંદર સિંહ સરકારમાં પ્રવાસન અને સ્થાનિક સંસ્થાઓના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, 2019 માં તેમનું મંત્રી પદ છીનવી લેવામાં આવ્યું હતું.

2 / 6
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણ બે વખત ભાજપના સાંસદ રહ્યા હતા અને એક વખત અમરોહા જિલ્લાના નૌગણવા વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017 માં જ્યારે ભાજપે ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવી, ત્યારે ચેતન ચૌહાણને કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 16 જુલાઈ, 2020ના રોજ કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમનું અવસાન થયું.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણ બે વખત ભાજપના સાંસદ રહ્યા હતા અને એક વખત અમરોહા જિલ્લાના નૌગણવા વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017 માં જ્યારે ભાજપે ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવી, ત્યારે ચેતન ચૌહાણને કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 16 જુલાઈ, 2020ના રોજ કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમનું અવસાન થયું.

3 / 6
ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી મનોજ તિવારીએ 2021 માં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ સાથે તેમના રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ વર્ષે, તેમણે શિબપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરીને બંગાળ વિધાનસભાની ચૂંટણી જીતી હતી. ત્યારબાદ, તિવારીને મમતા બેનર્જી સરકારમાં રમતગમત અને યુવા બાબતોના રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી મનોજ તિવારીએ 2021 માં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ સાથે તેમના રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ વર્ષે, તેમણે શિબપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરીને બંગાળ વિધાનસભાની ચૂંટણી જીતી હતી. ત્યારબાદ, તિવારીને મમતા બેનર્જી સરકારમાં રમતગમત અને યુવા બાબતોના રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

4 / 6
ટીમ ઈન્ડિયા માટે રમનારા ઓલરાઉન્ડર લક્ષ્મી રતન શુક્લાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી રાજકારણમાં પ્રવેશ કર્યો. તે 2016 ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર હાવડા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા. જ્યારે મમતા બેનર્જી બીજી વખત બંગાળના મુખ્યમંત્રી બન્યા, ત્યારે લક્ષ્મી રતન શુક્લાને યુવા સેવાઓ અને રમતગમત રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

ટીમ ઈન્ડિયા માટે રમનારા ઓલરાઉન્ડર લક્ષ્મી રતન શુક્લાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી રાજકારણમાં પ્રવેશ કર્યો. તે 2016 ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર હાવડા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા. જ્યારે મમતા બેનર્જી બીજી વખત બંગાળના મુખ્યમંત્રી બન્યા, ત્યારે લક્ષ્મી રતન શુક્લાને યુવા સેવાઓ અને રમતગમત રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

5 / 6
ઘણા અન્ય ક્રિકેટરોએ પણ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. યુસુફ પઠાણ અને કીર્તિ આઝાદ પણ રાજકારણમાં પ્રવેશ્યા છે. સચિન તેંડુલકર 2012 થી 2018 સુધી રાષ્ટ્રપતિના નામાંકન દ્વારા રાજ્યસભાના સંસદ સભ્ય હતા  (PC : PTI / GETTY / X)

ઘણા અન્ય ક્રિકેટરોએ પણ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. યુસુફ પઠાણ અને કીર્તિ આઝાદ પણ રાજકારણમાં પ્રવેશ્યા છે. સચિન તેંડુલકર 2012 થી 2018 સુધી રાષ્ટ્રપતિના નામાંકન દ્વારા રાજ્યસભાના સંસદ સભ્ય હતા (PC : PTI / GETTY / X)

6 / 6

ગૌતમ ગંભીર ક્રિકેટર અને કોચ ઉપરાંત સાંસદ પણ રહી ચૂક્યા છે. ગૌતમ ગંભીર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
g clip-path="url(#clip0_868_265)">