AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : શું ફાઈનલમાં 250 રન બનશે? અમદાવાદની પિચથી કોને વધુ ફાયદો થશે?

8 માર્ચે રમાનારી T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુકાબલો જોવા મળશે. મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. ફાઇનલ પહેલા પિચ વિશે મહત્વની માહિતી સામે આવી છે. અહેવાલો મુજબ પિચ બેટ્સમેનોને મદદરૂપ બની શકે છે, જેના કારણે હાઇ-સ્કોરિંગ મેચની શક્યતા વધી ગઈ છે.

T20 WC Breaking : શું ફાઈનલમાં 250 રન બનશે? અમદાવાદની પિચથી કોને વધુ ફાયદો થશે?
Narendra Modi Stadium Image Credit source: X
| Updated on: Mar 07, 2026 | 7:03 PM
Share

T20 વર્લ્ડ કપની ફાઈનલ હંમેશા ખાસ હોય છે, પરંતુ આ વખતની મેચ અનેક કારણોસર ઐતિહાસિક બની શકે છે. જો ભારત જીતશે તો ટીમ સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બનશે. બીજી તરફ, ન્યુઝીલેન્ડ પાસે પ્રથમ વખત ટાઈટલ જીતવાની મોટી તક છે. તેથી બંને ટીમો માટે આ મુકાબલો અત્યંત મહત્વનો છે.

બેટ્સમેનોને વધુ અનુકૂળ પિચ

ફાઈનલ પહેલાં અમદાવાદની પિચને લઈને મહત્વનો અપડેટ સામે આવ્યો છે. મીડિયા અહેવાલ મુજબ પિચ લાલ અને કાળી માટીના મિશ્રણથી તૈયાર કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે તેમાં લાલ માટીનું પ્રમાણ વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે, જે સામાન્ય રીતે બેટ્સમેનોને વધુ અનુકૂળ હોય છે.

મોટો સ્કોર ઉભો થવાની સંભાવના

ક્રિકેટ નિષ્ણાતોના મતે આવી પિચ પર બોલને સારો ઉછાળો મળે છે અને બેટ્સમેનોને શોટ રમવામાં સરળતા રહે છે. જો બેટ્સમેન શરૂઆતમાં સેટ થઈ જાય તો મોટો સ્કોર ઉભો કરવાની સંભાવના વધી જાય છે. તેથી ફાઇનલમાં રનોની વરસાત જોવા મળી શકે છે.

વાનખેડે જેવી પિચ હશે?

અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પિચ કંઈક હદ સુધી મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ જેવી હોઈ શકે છે. તે મેચમાં ભારતે 253 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડે પણ 246 રન સુધી પહોંચતા જબરદસ્ત રનચેઝ કર્યો હતો.

પિચને લઈ મેનેજમેન્ટે ક્યુરેટર્સ સાથે ચર્ચા કરી

આ સાથે એક મહત્વની માહિતી એવી પણ છે કે ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે ટૂર્નામેન્ટ દરમિયાન મળેલી કેટલીક પિચોને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. અહેવાલો મુજબ ટીમ મેનેજમેન્ટે ક્યુરેટર્સ સાથે ચર્ચા કરીને પોતાની ચિંતાઓ જણાવી હતી અને પિચ તૈયાર કરતી પ્રક્રિયા પર પણ નજર રાખી હતી.

હાઈ-સ્કોરિંગ ફાઇનલ જોવા મળી શકે

જો પિચ ખરેખર બેટિંગ માટે અનુકૂળ બને છે તો ફાઇનલમાં 200થી વધુનો સ્કોર સામાન્ય બની શકે છે. જોકે બંને ટીમોમાં શક્તિશાળી બેટિંગ લાઇન-અપ હોવાથી ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે કે કોને વધારે ફાયદો મળશે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે ક્રિકેટપ્રેમીઓને રોમાંચક અને હાઇ-સ્કોરિંગ ફાઇનલ જોવા મળી શકે છે.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાએ પાઠ શીખી લીધો, ફાઇનલ હવે અમદાવાદની આવી પિચ પર રમાશે

થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
g clip-path="url(#clip0_868_265)">