Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેમ્પિયન્સ ટ્રોફી પછી શ્રેયસ અય્યરને મળી શકે છે મોટું ઈનામ, BCCI કરશે મોટી જાહેરાત

શ્રેયસ અય્યર માટે સારા દિવસો પાછા આવી રહ્યા છે, કારણ કે જે વસ્તુ તેની પાસેથી છીનવાઈ ગઈ હતી, તે ચેમ્પિયન્સ ટ્રોફી પછી તેને ફરીથી મળી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શ્રેયસ અય્યરના સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખી BCCI તેને મોટું ઈનામ આપી શકે છે.

| Updated on: Mar 07, 2025 | 4:46 PM
કેટલાક ખેલાડીઓ એવા છે જેમનું મોટું નામ છે, અને કેટલાક એવા પણ છે જેમનું મોટું નામ નથી પણ તેમનું મોટું કામ બોલે છે. શ્રેયસ અય્યર આ બીજી શ્રેણીનો ખેલાડી છે. ભલે તેનું નામ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિરાટ-રોહિત જેવા મોટા નામોમાં બહુ ગુંજતું નથી, પરંતુ તે પોતાના દમ પર ટુર્નામેન્ટના ટોચના ખેલાડીમાં સામેલ છે.

કેટલાક ખેલાડીઓ એવા છે જેમનું મોટું નામ છે, અને કેટલાક એવા પણ છે જેમનું મોટું નામ નથી પણ તેમનું મોટું કામ બોલે છે. શ્રેયસ અય્યર આ બીજી શ્રેણીનો ખેલાડી છે. ભલે તેનું નામ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિરાટ-રોહિત જેવા મોટા નામોમાં બહુ ગુંજતું નથી, પરંતુ તે પોતાના દમ પર ટુર્નામેન્ટના ટોચના ખેલાડીમાં સામેલ છે.

1 / 5
ચેમ્પિયન્સ ટ્રોફી પછી અય્યરને તેના આ જ પ્રદર્શનનું ઈનામ મળી શકે છે. એવા સમાચાર છે કે ચેમ્પિયન્સ ટ્રોફીના અંત પછી BCCI ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રિન્યુ કરશે, જેમાં શ્રેયસ અય્યરને ફરીથી સામેલ કરી શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી પછી અય્યરને તેના આ જ પ્રદર્શનનું ઈનામ મળી શકે છે. એવા સમાચાર છે કે ચેમ્પિયન્સ ટ્રોફીના અંત પછી BCCI ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રિન્યુ કરશે, જેમાં શ્રેયસ અય્યરને ફરીથી સામેલ કરી શકે છે.

2 / 5
ગયા વર્ષે BCCIએ શ્રેયસ અય્યરને અનુશાસનહીનતાનો દોષી ઠેરવ્યા બાદ તેની સામે કાર્યવાહી કરી હતી. તેણે ઘરેલુ ક્રિકેટ ન રમીને BCCIના નિયમો તોડ્યા હતા. પણ હવે વાર્તા બદલાઈ ગઈ છે. શ્રેયસ અય્યરે તે ઘટનામાંથી માત્ર પાઠ જ નથી શીખ્યો પણ પોતાનામાં પહેલા કરતા વધુ પરિપક્વતા પણ લાવી છે.

ગયા વર્ષે BCCIએ શ્રેયસ અય્યરને અનુશાસનહીનતાનો દોષી ઠેરવ્યા બાદ તેની સામે કાર્યવાહી કરી હતી. તેણે ઘરેલુ ક્રિકેટ ન રમીને BCCIના નિયમો તોડ્યા હતા. પણ હવે વાર્તા બદલાઈ ગઈ છે. શ્રેયસ અય્યરે તે ઘટનામાંથી માત્ર પાઠ જ નથી શીખ્યો પણ પોતાનામાં પહેલા કરતા વધુ પરિપક્વતા પણ લાવી છે.

3 / 5
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી પછી ખેલાડીઓના વાર્ષિક કરાર રિન્યૂ કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે BCCI આ ICC ટુર્નામેન્ટમાં ખેલાડીઓના પ્રદર્શનની સમીક્ષા કરવા માંગતા હતા. નવા કરારમાં ખેલાડીઓના ગ્રેડ અંગેનો નિર્ણય ત્રણેય ફોર્મેટમાં તેમના પ્રદર્શનના આધારે લેવામાં આવશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી પછી ખેલાડીઓના વાર્ષિક કરાર રિન્યૂ કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે BCCI આ ICC ટુર્નામેન્ટમાં ખેલાડીઓના પ્રદર્શનની સમીક્ષા કરવા માંગતા હતા. નવા કરારમાં ખેલાડીઓના ગ્રેડ અંગેનો નિર્ણય ત્રણેય ફોર્મેટમાં તેમના પ્રદર્શનના આધારે લેવામાં આવશે.

4 / 5
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે BCCI ગ્રેડ A પ્લસની પણ સમીક્ષા કરશે, જેમાં હાલમાં રોહિત, વિરાટ, બુમરાહ અને જાડેજાનો સમાવેશ થાય છે. આ ચારમાંથી રોહિત, વિરાટ અને જાડેજાને ટોચના ગ્રેડ એટલે કે ગ્રેડ A પ્લસમાંથી બાકાત રાખી શકાય છે. આનું કારણ એ છે કે BCCI ફક્ત તે ખેલાડીઓને જ પ્રાથમિકતા આપવાનું વિચારી રહ્યું છે જે ત્રણેય ફોર્મેટ રમી રહ્યા છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટાઈટલ જીત સાથે, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં તેમનું સ્થાન ગ્રેડ A પ્લસમાં જ રહેવાની અપેક્ષા છે. (All Photo Credit : PTI / X)

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે BCCI ગ્રેડ A પ્લસની પણ સમીક્ષા કરશે, જેમાં હાલમાં રોહિત, વિરાટ, બુમરાહ અને જાડેજાનો સમાવેશ થાય છે. આ ચારમાંથી રોહિત, વિરાટ અને જાડેજાને ટોચના ગ્રેડ એટલે કે ગ્રેડ A પ્લસમાંથી બાકાત રાખી શકાય છે. આનું કારણ એ છે કે BCCI ફક્ત તે ખેલાડીઓને જ પ્રાથમિકતા આપવાનું વિચારી રહ્યું છે જે ત્રણેય ફોર્મેટ રમી રહ્યા છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટાઈટલ જીત સાથે, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં તેમનું સ્થાન ગ્રેડ A પ્લસમાં જ રહેવાની અપેક્ષા છે. (All Photo Credit : PTI / X)

5 / 5

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">