છોડમાંથી તૈયાર કરવામાં આવી કોરોનાની નવી વેક્સીન ‘કોવિફેન્જ’, તમામ વેરિઅન્ટ પર 71 ટકા સુધી અસરકારક, જાણો કેવી રીતે કરે છે કામ

વૈજ્ઞાનિકોએ કોરોના સામે વિશ્વની પ્રથમ રસી બનાવી છે જે છોડમાંથી તૈયાર કરવામાં આવી છે. કેનેડા સરકારે આ છોડ આધારિત રસી 'કોવિફેન્ઝ'ને મંજૂરી આપી છે. જાણો કેવી રીતે કામ કરે છે આ રસી...

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 10:47 PM
વૈજ્ઞાનિકોએ કોરોના સામે વિશ્વની પ્રથમ આવી રસી (Covid19 Vaccine) બનાવી છે જે છોડમાંથી તૈયાર કરવામાં આવી છે. કેનેડા સરકારે આ છોડ આધારિત રસી 'Covifenz'ને મંજૂરી આપી છે. આ રસી મિત્સુબિશી કેમિકલ, બાયોફાર્મા કંપની મેડિકાગો અને ગ્લેક્સોસ્મિથક્લાઇન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. કેનેડામાં કોવિડની આ પ્રથમ રસી તૈયાર કરવામાં આવી છે.

વૈજ્ઞાનિકોએ કોરોના સામે વિશ્વની પ્રથમ આવી રસી (Covid19 Vaccine) બનાવી છે જે છોડમાંથી તૈયાર કરવામાં આવી છે. કેનેડા સરકારે આ છોડ આધારિત રસી 'Covifenz'ને મંજૂરી આપી છે. આ રસી મિત્સુબિશી કેમિકલ, બાયોફાર્મા કંપની મેડિકાગો અને ગ્લેક્સોસ્મિથક્લાઇન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. કેનેડામાં કોવિડની આ પ્રથમ રસી તૈયાર કરવામાં આવી છે.

1 / 5
ડેઈલીમેલના અહેવાલ મુજબ, આ રસીનું માનવીય પરીક્ષણ 18 થી 64 વર્ષની વયના લોકો પર કરવામાં આવ્યું છે. ટ્રાયલમાં, આ રસી કોરોનાના તમામ પ્રકારો સામે 71 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તે ખાસ કરીને ડેલ્ટા વેરિઅન્ટ્સ સામે 75 ટકા સુધી અસરકારક છે જેણે કોરોનાની બીજી લહેરમાં વિનાશ સર્જ્યો હતો.

ડેઈલીમેલના અહેવાલ મુજબ, આ રસીનું માનવીય પરીક્ષણ 18 થી 64 વર્ષની વયના લોકો પર કરવામાં આવ્યું છે. ટ્રાયલમાં, આ રસી કોરોનાના તમામ પ્રકારો સામે 71 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તે ખાસ કરીને ડેલ્ટા વેરિઅન્ટ્સ સામે 75 ટકા સુધી અસરકારક છે જેણે કોરોનાની બીજી લહેરમાં વિનાશ સર્જ્યો હતો.

2 / 5
કેનેડા સરકારે આ રસીને મંજૂરી આપી છે. કેનેડામાં, આ રસી 18 થી 64 વર્ષની વયના લોકોને લગાવવામાં આવશે. અન્ય રસીની જેમ, આ રસીના પણ બે ડોઝ આપવામાં આવશે, પરંતુ બે ડોઝ વચ્ચે 21 દિવસનું અંતર રાખવામાં આવશે. 64 વર્ષથી વધુ ઉંમરના લોકો પર આ રસીની શું અસર થશે તે જાણવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે.

કેનેડા સરકારે આ રસીને મંજૂરી આપી છે. કેનેડામાં, આ રસી 18 થી 64 વર્ષની વયના લોકોને લગાવવામાં આવશે. અન્ય રસીની જેમ, આ રસીના પણ બે ડોઝ આપવામાં આવશે, પરંતુ બે ડોઝ વચ્ચે 21 દિવસનું અંતર રાખવામાં આવશે. 64 વર્ષથી વધુ ઉંમરના લોકો પર આ રસીની શું અસર થશે તે જાણવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે.

3 / 5
હવે સમજો કે આ રસી કેવી રીતે કામ કરે છે. રસીમાં છોડના કણો હોય છે જે શરીરમાં નકલી સ્પાઇક પ્રોટીન ઉત્પન્ન કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ આ પ્રોટીનને દૂર કરે છે. આવું થયા પછી શરીરમાં આ પ્રોટીન સામે એન્ટિબોડીઝ બનવા લાગે છે. આ રીતે રોગપ્રતિકારક શક્તિ વાયરસના ચેપ સામે રક્ષણ આપવા માટે સતર્ક બની જાય છે.

હવે સમજો કે આ રસી કેવી રીતે કામ કરે છે. રસીમાં છોડના કણો હોય છે જે શરીરમાં નકલી સ્પાઇક પ્રોટીન ઉત્પન્ન કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ આ પ્રોટીનને દૂર કરે છે. આવું થયા પછી શરીરમાં આ પ્રોટીન સામે એન્ટિબોડીઝ બનવા લાગે છે. આ રીતે રોગપ્રતિકારક શક્તિ વાયરસના ચેપ સામે રક્ષણ આપવા માટે સતર્ક બની જાય છે.

4 / 5
રિપોર્ટ અનુસાર, આ રસી લીધા પછી કેટલાક દર્દીઓને તેની આડઅસર જોવા મળી શકે છે. તેમાં તાવ, શરદી, ઝાડા, સાંધાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને ઉધરસ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ લક્ષણો રસી આપવામાં આવ્યાના થોડા કલાકો સુધી દેખાઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, આ રસી લીધા પછી કેટલાક દર્દીઓને તેની આડઅસર જોવા મળી શકે છે. તેમાં તાવ, શરદી, ઝાડા, સાંધાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને ઉધરસ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ લક્ષણો રસી આપવામાં આવ્યાના થોડા કલાકો સુધી દેખાઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">