સ્કૂલમાં આગ લાગતા અભિનેતાનો 7 વર્ષનો પુત્ર દાઝયો, હોસ્પિટલમાં ચાલી રહી છે બ્રોન્કોસ્કોપી
અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનો નાનો પુત્ર માર્ક શંકર સિંગાપોરમાં અકસ્માતનો ભોગ બન્યા છે. પવન કલ્યાણે મીડિયા સાથે વાત કરતા પોતાના પુત્રના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે.અભિનેતાનો 7 વર્ષનો પુત્ર દાઝી ગયો છે,

સિંગાપોરમાં મંગળવારે સ્કૂલમાં આગ લાગી હતી. આ ઘટનામાં 10 વર્ષની એક બાળકીનું મોત થયું હતું જ્યારે 20 અન્ય લોકો આગમાં દાઝી ગયા હતા. આ ઘાયલોમાં આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનો નાનો પુત્ર માર્ક શંકરનો પણ સમાવેશ થાય છે.

અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનો નાનો દીકરો માર્ક શંકર સિંગાપુરમાં શાળામાં આગ લાગતા દાઝી ગયો છે.માર્ક સિંગાપોરની એક શાળામાં લાગેલી ભીષણ આગમાં ફસાઈ ગયો હતો અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પવન કલ્યાણે આ અકસ્માત અને તેમના પુત્રના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે.

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે તેમના નાના પુત્ર માર્ક કલ્યાણના સિંગાપોરમાં આગ અકસ્માતમાં ઘાયલ થવા અંગે સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમની બ્રોન્કોસ્કોપી ચાલી રહી છે. તેમને જનરલ એનેસ્થેસિયા આપવામાં આવશે.

હું વડા પ્રધાન મોદીનો ખૂબ આભાર માનું છું કે તેમણે મને ફોન કર્યો અને કહ્યું બધું સારું થઈ જશે. તેમણે સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશન દ્વારા ઘણી મદદ પૂરી પાડી છે.

પવન કલ્યાણે અકસ્માત વિશે કહ્યું, 'તે સમર કેમ્પમાં ભાગ લેવાનો હતો અને ત્યાં આગની ઘટના બની.જ્યારે મેં તેના વિશે સાંભળ્યું, ત્યારે મને લાગ્યું કે તે એક સામાન્ય ઘટના હશે, પછી મને તેની ગંભીરતાનો અહેસાસ થયો. આમાં, એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો અને ઘણા બાળકો હજુ પણ હોસ્પિટલમાં છે.

સ્કૂલમાં આગ લાગતા માર્ક શંકરના હાથ અને પગમાં ઈજાઓ થઈ છે. તેવી જાણકારી સામે આવી છે.પવન કલ્યાણ અને અન્ના લેઝનેવાનો દીકરો છે. તેનો જન્મ વર્ષ 2017ના રોજ થયો છે. તે હજુ આઠ વર્ષનો છે.
અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

































































