AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભારત સરકાર નાગરિકોનું સોનું જપ્ત કરી શકે? જાણો ભારતના નિયમો અને ઇતિહાસ

તાજેતરમાં વડા પ્રધાન Narendra Modiએ લોકોને થોડો સમય સોનું ખરીદવાનું ટાળવાની સલાહ આપી હતી. હવે સવાલ એ છે કે સરકાર લોકોનું સોનું ખાસ યોજનાઓ દ્વારા જમા લઈ શકે છે કે નહીં.

| Updated on: May 13, 2026 | 2:54 PM
Share
ભારતમાં સોનાને માત્ર આભૂષણ નહીં પરંતુ સુરક્ષિત બચત તરીકે પણ જોવામાં આવે છે. લગ્ન, તહેવારો અને રોકાણમાં તેનું ખાસ મહત્ત્વ છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પરિસ્થિતિ અને વિદેશી ચલણના દબાણને ધ્યાનમાં રાખીને લોકોને થોડો સમય સોનું ખરીદવાનું ટાળવાની સલાહ આપી હતી. ત્યારથી ચર્ચા ચાલી રહી છે કે શું સરકાર લોકો પાસેથી સોનું જમા કરાવી શકે છે અને આવી સ્થિતિ પહેલાં ક્યારે સર્જાઈ હતી.

ભારતમાં સોનાને માત્ર આભૂષણ નહીં પરંતુ સુરક્ષિત બચત તરીકે પણ જોવામાં આવે છે. લગ્ન, તહેવારો અને રોકાણમાં તેનું ખાસ મહત્ત્વ છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પરિસ્થિતિ અને વિદેશી ચલણના દબાણને ધ્યાનમાં રાખીને લોકોને થોડો સમય સોનું ખરીદવાનું ટાળવાની સલાહ આપી હતી. ત્યારથી ચર્ચા ચાલી રહી છે કે શું સરકાર લોકો પાસેથી સોનું જમા કરાવી શકે છે અને આવી સ્થિતિ પહેલાં ક્યારે સર્જાઈ હતી.

1 / 6
મહામંદીના સમયમાં, 1933માં ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટેએ અમેરિકામાં એક ખાસ આદેશ જાહેર કર્યો હતો, જેમાં લોકોને વધારે પ્રમાણમાં સોનું રાખવા પર રોક લગાવવામાં આવી હતી. લોકો પાસે રહેલું મોટાભાગનું સોનું સરકારે જમા કરાવવું પડતું અને બદલામાં તેમને નોટો આપવામાં આવતી. નિયમ તોડનારાઓ સામે દંડ અને જેલ જેવી કડક કાર્યવાહી પણ થઈ શકતી હતી.

મહામંદીના સમયમાં, 1933માં ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટેએ અમેરિકામાં એક ખાસ આદેશ જાહેર કર્યો હતો, જેમાં લોકોને વધારે પ્રમાણમાં સોનું રાખવા પર રોક લગાવવામાં આવી હતી. લોકો પાસે રહેલું મોટાભાગનું સોનું સરકારે જમા કરાવવું પડતું અને બદલામાં તેમને નોટો આપવામાં આવતી. નિયમ તોડનારાઓ સામે દંડ અને જેલ જેવી કડક કાર્યવાહી પણ થઈ શકતી હતી.

2 / 6
આ નિર્ણય ત્યારે લેવાયો હતો જ્યારે અમેરિકાની અર્થવ્યવસ્થા ભારે મંદીમાં હતી. બેંકો બંધ થઈ રહી હતી, બેરોજગારી વધી રહી હતી અને દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. સરકાર માનતી હતી કે લોકો પાસે જમા થયેલું સોનું બજારમાં નાણાંની અવરજવર ઘટાડે છે, તેથી સોનાના ભંડાર પર નિયંત્રણ જરૂરી બન્યું હતું.

આ નિર્ણય ત્યારે લેવાયો હતો જ્યારે અમેરિકાની અર્થવ્યવસ્થા ભારે મંદીમાં હતી. બેંકો બંધ થઈ રહી હતી, બેરોજગારી વધી રહી હતી અને દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. સરકાર માનતી હતી કે લોકો પાસે જમા થયેલું સોનું બજારમાં નાણાંની અવરજવર ઘટાડે છે, તેથી સોનાના ભંડાર પર નિયંત્રણ જરૂરી બન્યું હતું.

3 / 6
ભારતમાં અમેરિકાની જેમ લોકો પાસેથી સોનું જપ્ત કરવામાં આવ્યું નથી, પરંતુ અગાઉ સોનાને લઈને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. 1968માં સરકારે ગોલ્ડ કંટ્રોલ કાયદો લાવ્યો હતો, જેમાં સોનાની ઇંટો અને સિક્કા રાખવા પર નિયંત્રણ મૂકાયું હતું. લોકોને મોટાભાગે ફક્ત દાગીનાના રૂપમાં જ સોનું રાખવાની મંજૂરી હતી. આ નિયમો સોનાની આયાત ઘટાડવા અને કાળા નાણાં પર નિયંત્રણ માટે બનાવાયા હતા, જે પછી 1990માં હટાવી દેવામાં આવ્યા હતા.

ભારતમાં અમેરિકાની જેમ લોકો પાસેથી સોનું જપ્ત કરવામાં આવ્યું નથી, પરંતુ અગાઉ સોનાને લઈને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. 1968માં સરકારે ગોલ્ડ કંટ્રોલ કાયદો લાવ્યો હતો, જેમાં સોનાની ઇંટો અને સિક્કા રાખવા પર નિયંત્રણ મૂકાયું હતું. લોકોને મોટાભાગે ફક્ત દાગીનાના રૂપમાં જ સોનું રાખવાની મંજૂરી હતી. આ નિયમો સોનાની આયાત ઘટાડવા અને કાળા નાણાં પર નિયંત્રણ માટે બનાવાયા હતા, જે પછી 1990માં હટાવી દેવામાં આવ્યા હતા.

4 / 6
હાલમાં ભારતમાં સોનું રાખવાની કોઈ નિશ્ચિત કાનૂની મર્યાદા નથી, પરંતુ જરૂર પડે ત્યારે તેના કાયદેસર સ્ત્રોતની માહિતી આપવી જરૂરી બને છે. આવકવેરા તપાસ દરમિયાન સામાન્ય રીતે પરિણીત મહિલાઓને 500 ગ્રામ, અપરિણીત મહિલાઓને 250 ગ્રામ અને પુરુષોને 100 ગ્રામ સુધીનું સોનું રાહતરૂપે રાખવાની મંજૂરી મળે છે.

હાલમાં ભારતમાં સોનું રાખવાની કોઈ નિશ્ચિત કાનૂની મર્યાદા નથી, પરંતુ જરૂર પડે ત્યારે તેના કાયદેસર સ્ત્રોતની માહિતી આપવી જરૂરી બને છે. આવકવેરા તપાસ દરમિયાન સામાન્ય રીતે પરિણીત મહિલાઓને 500 ગ્રામ, અપરિણીત મહિલાઓને 250 ગ્રામ અને પુરુષોને 100 ગ્રામ સુધીનું સોનું રાહતરૂપે રાખવાની મંજૂરી મળે છે.

5 / 6
સામાન્ય સ્થિતિમાં સરકાર લોકોનું ખાનગી સોનું સીધું જપ્ત કરી શકતી નથી. પરંતુ યુદ્ધ, મોટી આર્થિક મુશ્કેલી અથવા રાષ્ટ્રીય કટોકટી જેવી પરિસ્થિતિમાં ખાસ સત્તાઓ હેઠળ સરકાર કડક પગલાં લઈ શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

સામાન્ય સ્થિતિમાં સરકાર લોકોનું ખાનગી સોનું સીધું જપ્ત કરી શકતી નથી. પરંતુ યુદ્ધ, મોટી આર્થિક મુશ્કેલી અથવા રાષ્ટ્રીય કટોકટી જેવી પરિસ્થિતિમાં ખાસ સત્તાઓ હેઠળ સરકાર કડક પગલાં લઈ શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

6 / 6

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">