કાનુની સવાલ: કંપની સેલરી સ્લીપ ન આપે તો શું કરશો? કર્મચારીઓના હક્ક અંગે કાયદો શું કહે છે
ઘણી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યાનો સામનો કરે છે. કંપની દ્વારા સેલરી સ્લીપ આપવામાં ન આવવી. ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં અનેક નોકરીદાતાઓ સેલરી તો ખાતામાં જમા કરે છે, પરંતુ તેની ઓફિશિયલ સેલરી સ્લીપ કે પગારની વિગતો આપવાનું ટાળે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે કંપની સેલરી સ્લીપ ન આપે તો કર્મચારી શું કરી શકે? અને આ મુદ્દે કાયદો શું કહે છે?

સેલરી સ્લીપ માત્ર એક કાગળ નથી, પરંતુ કર્મચારીના હક્કનો મહત્વનો ડોક્યુમેન્ટ્સ છે. તેમાં મૂળ પગાર, ભથ્થાં, PF, ESI, ટેક્સ કટોકટી સહિતની તમામ વિગતો સમાવિષ્ટ હોય છે. લોન લેતી વખતે, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે, નવી નોકરીમાં જોડાતાં કે કોઈ કાનૂની વિવાદ સમયે સેલરી સ્લીપ ખૂબ જ જરૂરી બની જાય છે.

કાયદો શું કહે છે?: ભારતમાં Payment of Wages Act, 1936, Minimum Wages Act અને Industrial Employment (Standing Orders) Act મુજબ નોકરીદાતાએ કર્મચારીને તેના પગારની સ્પષ્ટ વિગતો આપવી ફરજિયાત છે. ખાસ કરીને Companies Act અને Labour Laws અનુસાર પગાર ચૂકવતી વખતે તેની બ્રેકઅપ માહિતી છુપાવી શકાતી નથી.

આ ઉપરાંત Income Tax Act મુજબ પગારમાંથી TDS કપાત કરવામાં આવે તો તેની માહિતી કર્મચારીને આપવી જરૂરી છે. જો કંપની ટેક્સ કે PF કાપે છે પરંતુ સેલરી સ્લીપ નથી આપતી તો તે કાયદાનો ભંગ ગણાય છે.

કંપની સેલરી સ્લીપ ન આપે તો શું કરવું?: સૌપ્રથમ HR વિભાગ અથવા મેનેજમેન્ટને ઇમેલ અથવા લેખિત અરજી કરો. મૌખિક વાતચીત કરતાં લેખિત પુરાવો વધુ અસરકારક રહે છે.

કંપની પોલિસી તપાસો: ઓફર લેટર અથવા અપોઇન્ટમેન્ટ લેટરમાં સેલરી સ્લીપ અંગે શું લખેલું છે તે તપાસો. મોટાભાગની કંપનીઓ તેમાં માસિક સેલરી સ્લીપ આપવાની જોગવાઈ છે કે નહીં.

લેબર ઓફિસમાં ફરિયાદ: જો કંપનીને વારંવાર વિનંતી છતાં સેલરી સ્લીપ ન આપે, તો તમે તમારા વિસ્તારની લેબર કમિશનર ઓફિસ અથવા શ્રમ વિભાગમાં ફરિયાદ કરી શકો છો. લેગલ નોટિસ મોકલો: અંતિમ વિકલ્પ તરીકે વકીલ મારફતે કંપનીને લેગલ નોટિસ મોકલી શકાય છે. ઘણી વખત નોટિસ મળતા જ કંપની મામલો સોલ્વ કરી દે છે.

કંપનીને શું સજા થઈ શકે?: કાયદા મુજબ કર્મચારીના હક્કોનું ઉલ્લંઘન કરનારી કંપની સામે દંડ, દૈનિક પેનલ્ટી અને ક્યારેક કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. PF અથવા ટેક્સ સંબંધિત ગડબડ હોય તો કંપની પર અલગથી કાર્યવાહી થાય છે.

કર્મચારીઓ માટે મહત્વની સલાહ: ક્યારેય સેલરી સ્લીપ વિના લાંબા સમય સુધી નોકરી ચાલુ ન રાખવી. કારણ કે ભવિષ્યમાં કોઈ વિવાદ, છૂટાછેડા કે કોર્ટ કેસ સમયે સેલરી સ્લીપ મહત્વનો પુરાવો બની શકે છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
