Breaking News: શું નિફ્ટી ફરી ઘટવા લાગ્યો છે? તે કયા સ્તરે ઘટી શકે છે અને શા માટે?
Breaking News: ભારતીય શેર બજારમાં તાજેતરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે નિષ્ણાતો વધુ મોટી તેજીની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. બજારના વિશ્લેષકોના મતે નિફ્ટીએ થોડા સમય પહેલા જ પોતાનો બોટમ બનાવી લીધો છે અને હવે તે મજબૂત અપટ્રેન્ડમાં પ્રવેશી ચૂક્યો છે.

અગાઉ કરવામાં આવેલી આગાહી મુજબ નિફ્ટી 22,254ના સ્તર સુધી પહોંચ્યા પછી ત્યાંથી મજબૂત બાઉન્સ બેક કરશે અને એવું જ બન્યું. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નિફ્ટીએ આ લેવલને સ્પર્શ કર્યા બાદ આશરે 11 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. માત્ર 21 દિવસમાં આવી તેજી બજારની મજબૂતી દર્શાવે છે.

હાલમાં બજારમાં થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે, જેના કારણે નિફ્ટીમાં 3થી 4 ટકાનો ઘટાડો શક્ય છે. પરંતુ નિષ્ણાતો આ ઘટાડાને નેગેટિવ નહીં, પરંતુ રોકાણ માટેનો સારો અવસર ગણાવી રહ્યા છે. તેમના મુજબ આ સમય દરમિયાન ગુણવત્તાવાળી અને મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેર ખરીદવા જોઈએ.

રોકાણકારો માટે ત્રણ મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી છે. પ્રથમ, લાંબા ગાળાના દૃષ્ટિકોણથી સારા શેરોમાં રોકાણ કરવું જોઈએ અને નિફ્ટી 30,000ના સ્તર સુધી પહોંચવાની રાહ જોવી જોઈએ. બીજું, જે લોકો પહેલેથી SIP ચલાવી રહ્યા છે, તેમણે તેમાં ટોપ-અપ કરવાનું વિચારવું જોઈએ. ત્રીજું, જો કોઈ પાસે લમ્પસમ રોકાણ માટે પૈસા હોય, તો તેને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વધુ યોગ્ય રહેશે.

નિષ્ણાતોનું માનવું છે કે બજાર પહેલેથી જ ગતિ પકડી ચૂક્યું છે અને આવતા કેટલાક મહિનાઓમાં નિફ્ટી વધુ 20થી 25 ટકા સુધી વધી શકે છે. જોકે આ તેજી બાદ ફરીથી 15થી 16 ટકાની મોટી સુધારાની શક્યતા પણ નકારી શકાય નહીં.

આથી હાલનો સમય સમજદારીપૂર્વક રોકાણ કરવાનો છે. ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે યોગ્ય આયોજન અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે આગળ વધવું રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.
લેન્સકાર્ટના CEO પિયુષ બંસલની પત્ની નિધિ મિત્તલ પણ હિન્દુ વિરોધી! X એકાઉન્ટ કર્યું ડિએક્ટિવેટ, કરી હતી PM મોદી અને હિન્દુ વિરોધી પોસ્ટ
