RBI NEW RULES 2026 : હવે UPIમાં મોટો ફેરફાર! ₹10,000થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 1 કલાકનો બ્રેક
ડિજિટલ ઠગાઈ રોકવા માટે RBI નવા સુરક્ષા પગલાં લાવવા તૈયારીમાં છે. પ્રસ્તાવિત નિયમો અનુસાર, ₹10,000થી વધુની UPI ટ્રાન્ઝેક્શન પર લગભગ એક કલાકનો વિરામ રાખવામાં આવશે, જેથી ભૂલથી કે છેતરપિંડીથી થયેલી ચુકવણી અટકાવી શકાય. સાથે જ “વન-ક્લિક કિલ સ્વિચ” જેવી સુવિધા પણ હશે, જેની મદદથી યુઝર જરૂર પડે ત્યારે તરત જ તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શન બંધ કરી શકશે. આ નવા નિયમોનો હેતુ લોકોના પૈસા વધુ સુરક્ષિત રાખવાનો છે.

દેશમાં વધી રહેલી ઓનલાઈન ઠગાઈને રોકવા માટે ભારતીય રિઝર્વ બેંકે કેટલાક નવા અને કડક સુરક્ષા નિયમોનો પ્રસ્તાવ કર્યો છે, જેને “5 પોઇન્ટ સેફ્ટી પ્લાન” કહેવામાં આવે છે. હાલ આ નિયમો અમલમાં આવ્યા નથી, પરંતુ ભવિષ્યમાં લાગુ થઈ શકે છે. આ યોજનામાં વન-ક્લિક સ્વિચ જેવી સુવિધા અને મોટી રકમની ચુકવણીમાં એક કલાકનો વિરામ જેવા પગલાં સામેલ છે. આ લેખમાં આપણે આ પાંચ મહત્વપૂર્ણ નિયમો અને તે સામાન્ય લોકો માટે કેવી રીતે ઉપયોગી બની શકે તે સરળ ભાષામાં સમજશું.

સૌ પ્રથમ સમજીએ કે આવા નિયમોની જરૂર શા માટે પડી રહી છે. નેશનલ સાયબર ક્રાઈમના અહેવાલ મુજબ, 2025 દરમિયાન લાખો ડિજિટલ ઠગાઈના કેસ નોંધાયા હતા. આ કારણે સામાન્ય લોકોના બેંક ખાતામાંથી હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ. ખાસ વાત એ છે કે મોટાભાગના કેસોમાં ₹10,000થી વધુની રકમ સામેલ હતી. તેથી હવે રિઝર્વ બેંક ડિજિટલ ચુકવણીઓને વધુ સુરક્ષિત બનાવવા અને લોકોને વિશ્વાસ વધારવા માટે નવા પગલાં લેવા પર ધ્યાન આપી રહી છે. ( Credits: AI Generated )

જો કોઈ વ્યક્તિને લાગે કે તેના સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે અથવા થવાની શક્યતા છે, તો તે તરત જ એક બટન દબાવીને પોતાના બધા ડિજિટલ પેમેન્ટ વિકલ્પોને બંધ કરી શકે છે. આ સુવિધાને “કિલ સ્વિચ” કહેવાય છે. એટલે કે, માત્ર એક ક્લિકથી તમે UPI, નેટ બેંકિંગ અને કાર્ડ જેવી તમામ સેવાઓને તાત્કાલિક સુરક્ષિત બનાવી શકો છો. ( Credits: AI Generated )

હવે ₹10,000થી વધુની ચુકવણી માટે એક કલાકનો વેઈટિંગ સમય રાખવામાં આવશે. માનો કે તમે ₹15,000 ટ્રાન્સફર કરો છો, તો રકમ તમારા ખાતામાંથી ડેબિટ થઈ જશે, પરંતુ તરત જ સામેના ખાતામાં નહીં પહોંચે, તે એક કલાક સુધી તમારી બેંક પાસે જ રોકાઈ રહેશે. આ દરમિયાન જો તમને લાગે કે ટ્રાન્ઝેક્શન ભૂલથી થયું છે અથવા છેતરપિંડી થઈ છે, તો તમે તરત બેંકને જાણ કરી શકો છો અને ટ્રાન્ઝેક્શન રદ કરાવી શકો છો. ( Credits: AI Generated )

70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને ઓનલાઈન ઠગાઈથી બચાવવા માટે RBI એ “ટ્રસ્ટેડ પર્સન” જેવી નવી વ્યવસ્થા સૂચવી છે. તેનો અર્થ એ છે કે મોટા ટ્રાન્ઝેક્શન કરતા પહેલા તેમને કોઈ વિશ્વસનીય વ્યક્તિની મંજૂરી અથવા ચકાસણી લેવી પડી શકે. આથી સોશિયલ એન્જિનિયરિંગ જેવી ઠગાઈની ઘટનાઓને ઘટાડવામાં મદદ મળશે. ( Credits: AI Generated )

છેતરપિંડી કરનારાઓ ઘણીવાર બીજાના નામે બનાવેલા નકલી ખાતાઓનો ઉપયોગ કરે છે. તેને રોકવા માટે રિઝર્વ બેંક હવે ખાતાઓ માટે વાર્ષિક પૈસા આવવાની મર્યાદા નક્કી કરવાની વિચારણા કરી રહી છે. જો કોઈ ખાતામાં અચાનક આ મર્યાદા કરતાં વધારે રકમ આવે, તો તેને “શેડો ક્રેડિટ” તરીકે ગણવામાં આવશે. એટલે કે પૈસા ખાતામાં દેખાશે, પરંતુ જ્યાં સુધી ગ્રાહક તે પૈસાનો સાચો સ્ત્રોત સ્પષ્ટ નહીં કરે, ત્યાં સુધી તે રકમ ઉપાડી શકશે નહીં. ( Credits: AI Generated )

હવે માત્ર OTPથી કામ નહીં ચાલે. RBI એ સૂચન કર્યું છે કે મોટી રકમના ટ્રાન્ઝેક્શન માટે વધારાની સુરક્ષા જરૂરી બનશે, જેમ કે બાયોમેટ્રિક ઓળખ, PIN અથવા સુરક્ષા ટોકન. સાથે જ સિસ્ટમ પણ તપાસશે કે ટ્રાન્ઝેક્શન કોઈ નવા ડિવાઇસ પરથી થઈ રહ્યું છે કે પહેલાથી ઉપયોગમાં લેવાતા વિશ્વસનીય ડિવાઇસ પરથી, જેથી છેતરપિંડીની શક્યતા ઘટે. ( Credits: AI Generated )

RBIના આ નવા પગલાંના કારણે ડિજિટલ ચુકવણીઓ ધીમી પડશે, પરંતુ તેની નોંધપાત્ર વધારો થશે. હાલમાં RBIએ આ પ્રસ્તાવો પર લોકોના સૂચનો અને પ્રતિભાવ 8 મે, 2026 સુધી માંગ્યા છે. ત્યારબાદ આ નવા નિયમો જલ્દી અમલમાં આવી શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
