Surat: ગુજરાત સ્થાપના દિવસે સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ Videoમાં શું છે તેની ખાસિયત
આજે 1 મે 2026ના રોજ ગુજરાત રાજ્યનો 66મો સ્થાપના દિવસ છે. આજના આ દિવસે રાજ્યને નવી ટેક્નોલોજીકલ ભેટ મળી છે.
સુરતના ચોર્યાસી વિસ્તારમાં દેશનો પહેલો માનવ રહિત અને બેરિયરલેસ ટોલબુથ લોન્ચ કરવામાં આવ્યો છે. તાઈવાનની અત્યાધુનિક ટેક્નોલોજી સાથે ટોલબુથ સક્રિય કરવામાં આવ્યો છે. આ ટોલિંગ સિસ્ટમ 20 મીટર દૂરથી જ ગાડીની નંબર પ્લેટ અને ફાસ્ટેગને સ્કેન કરી શકે છે. આ ટોલબુથની ખાસ વાત એ છે કે 120 કિમી પ્રતિ કલાકની સ્પીડે આવતી ગાડીની માહિતી પણ કૅપ્ચર થશે.
ટોલબુથની શું છે ખાસિયત?
- વાહન રોક્યા વગર ટોલ કટ થશે
- કેમેરા અને સેન્સર દ્વારા ફાસ્ટેગ અને નંબર પ્લેટની સ્કેનિંગ
- હાઈ-સ્પીડ સ્કેનિંગ
- 8 લેન પર 32 CCTV કેમેરા
- નિયમોના ઉલ્લંઘન પર ઈ-ચલણ
- સમયની બચત
- ઇંધણની બચત
- ટ્રાફિક ફ્લોમાં સુધારો
ચોર્યાસી ટોલ પ્લાઝા દિલ્હી મુંબઈ હાઈવે પર છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલય તરફથી આ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં આવનારા સમયમાં આ પ્રકારના ટોલબુથ દેશમાં અન્ય જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે. આ ટોલ પ્લાઝા સુરત-ભરૂચની વચ્ચે છે.
આ પણ વાંચો: Breaking News : અમદાવાદ મહાનગરપાલિકા વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ, જુઓ વીડિયો
Follow Us
