AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: પિતાએ પર્સનલ લોન લીધી હોય, તેનું અવસાન થાય તો, તે લોન પુત્ર ભરવા માટે જવાબદાર છે?

કાનુની સવાલ: ઘણા લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન ઊભો થાય છે કે જો પિતાએ પર્સનલ લોન લીધી હોય અને તેમના અવસાન પછી તે બાકી રહી જાય તો શું પુત્ર અથવા પરિવારના સભ્યોને તે લોન ચૂકવવાની ફરજ પડે છે? આ બાબત સમજવા માટે ભારતીય કાયદાની કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી જરૂરી છે.

| Updated on: Apr 20, 2026 | 1:08 PM
Share
સૌ પ્રથમ, પર્સનલ લોન એક અનસિક્યોર્ડ લોન (Unsecured Loan) હોય છે. એટલે કે આ લોન સામે કોઈ ગીરવે રાખવામાં આવેલી સંપત્તિ નથી. તેથી બેન્ક અથવા નાણાકીય સંસ્થા લોન લેનાર વ્યક્તિ પાસેથી જ વસૂલાત કરી શકે છે.

સૌ પ્રથમ, પર્સનલ લોન એક અનસિક્યોર્ડ લોન (Unsecured Loan) હોય છે. એટલે કે આ લોન સામે કોઈ ગીરવે રાખવામાં આવેલી સંપત્તિ નથી. તેથી બેન્ક અથવા નાણાકીય સંસ્થા લોન લેનાર વ્યક્તિ પાસેથી જ વસૂલાત કરી શકે છે.

1 / 6
જો લોન લેનાર વ્યક્તિ (પિતા) જીવિત હોય તો લોન ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી તેમની જ રહે છે. પરંતુ જો તેમન અવસાન થાય છે, તો પરિસ્થિતિ થોડી બદલાઈ જાય છે. કાયદા મુજબ પુત્ર કે પરિવારના સભ્યો પર સીધી રીતે લોન ભરવાની ફરજ નથી પડતી.

જો લોન લેનાર વ્યક્તિ (પિતા) જીવિત હોય તો લોન ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી તેમની જ રહે છે. પરંતુ જો તેમન અવસાન થાય છે, તો પરિસ્થિતિ થોડી બદલાઈ જાય છે. કાયદા મુજબ પુત્ર કે પરિવારના સભ્યો પર સીધી રીતે લોન ભરવાની ફરજ નથી પડતી.

2 / 6
જોકે એક મહત્વપૂર્ણ શરત છે. જો પુત્ર કે પરિવારના સભ્યો પિતાની સંપત્તિ વારસામાં મેળવે છે, તો તે સંપત્તિના મૂલ્ય સુધી તેઓ લોન ચૂકવવા માટે જવાબદાર બની શકે છે. સરળ ભાષામાં કહીએ તો જો તમને પિતાની મિલકત મળે છે, તો લોનદાતા તે મિલકતમાંથી લોન વસૂલ કરી શકે છે.

જોકે એક મહત્વપૂર્ણ શરત છે. જો પુત્ર કે પરિવારના સભ્યો પિતાની સંપત્તિ વારસામાં મેળવે છે, તો તે સંપત્તિના મૂલ્ય સુધી તેઓ લોન ચૂકવવા માટે જવાબદાર બની શકે છે. સરળ ભાષામાં કહીએ તો જો તમને પિતાની મિલકત મળે છે, તો લોનદાતા તે મિલકતમાંથી લોન વસૂલ કરી શકે છે.

3 / 6
બીજી તરફ જો કોઈ પણ પ્રકારની સંપત્તિ વારસામાં મળતી નથી, તો બેન્ક પુત્રને લોન ભરવા માટે મજબૂર કરી શકતી નથી. તેમજ જો પુત્ર લોનમાં ગેરંટીદાર (Guarantor) અથવા કો-અપ્લિકન્ટ (Co-applicant) તરીકે જોડાયેલ હોય તો તેની જવાબદારી ઉભી થાય છે.

બીજી તરફ જો કોઈ પણ પ્રકારની સંપત્તિ વારસામાં મળતી નથી, તો બેન્ક પુત્રને લોન ભરવા માટે મજબૂર કરી શકતી નથી. તેમજ જો પુત્ર લોનમાં ગેરંટીદાર (Guarantor) અથવા કો-અપ્લિકન્ટ (Co-applicant) તરીકે જોડાયેલ હોય તો તેની જવાબદારી ઉભી થાય છે.

4 / 6
આથી લોન લેતી વખતે ગેરંટીદાર બનતા પહેલા અથવા કો-અપ્લિકન્ટ તરીકે નામ ઉમેરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે આવી સ્થિતિમાં ભવિષ્યમાં નાણાકીય જવાબદારી ઊભી થઈ શકે છે.

આથી લોન લેતી વખતે ગેરંટીદાર બનતા પહેલા અથવા કો-અપ્લિકન્ટ તરીકે નામ ઉમેરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે આવી સ્થિતિમાં ભવિષ્યમાં નાણાકીય જવાબદારી ઊભી થઈ શકે છે.

5 / 6
સારાંશ રૂપે કહીએ તો પિતાની પર્સનલ લોન આપમેળે પુત્ર પર ટ્રાન્સફર થતી નથી. પરંતુ વારસામાં મળેલી સંપત્તિ અથવા ગેરંટીદાર તરીકેની ભૂમિકા આ જવાબદારી નક્કી કરે છે.

સારાંશ રૂપે કહીએ તો પિતાની પર્સનલ લોન આપમેળે પુત્ર પર ટ્રાન્સફર થતી નથી. પરંતુ વારસામાં મળેલી સંપત્તિ અથવા ગેરંટીદાર તરીકેની ભૂમિકા આ જવાબદારી નક્કી કરે છે.

6 / 6

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
હવાલા કૌભાંડ સામે આવ્યા બાદ હવે AAP નેતાઓની મુશ્કેલીઓ વધશે
હવાલા કૌભાંડ સામે આવ્યા બાદ હવે AAP નેતાઓની મુશ્કેલીઓ વધશે
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
g clip-path="url(#clip0_868_265)">